Monday, January 23, 2017

અમેરીકન બ્રાહ્મણ



વાતની શરૂઆત ૧૮૪૯થી થાય છે. ડો. જેમ્સ બોલ્ટન ડેવીસ(James Bolton Davis) જે સાઉથ કેરોલીનાના ફેરફિલ્ડ કાઉન્ટીમાં સ્થિત હતા તેમને સૌ-પ્રથમ વાર અમેરિકાની ધરતી પર ભારતીય "ગાય" લાવવાનું શ્રેય જાય છે. એમ મનાય છે કે તેઓ જયારે તુર્કીના સુલતાનના ખેતીવાડી ખાતાના સલાહકાર હતા તે દરમ્યાન તેમણે ભારતીય ગૌ-વંશ અંગે માહિતી અને જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ દક્ષિણ અમેરિકાનું રાજ્ય લુઈઝીઆના. જે એ વખતે ૨,૫૦૦,૦૦૦ એકરમાં ફેલાયેલું જંગલી ઘાસ અને ફૂલોથી આચ્છાદિત પ્રદેશ હતો. આ વિશાળ પ્રદેશમાં સેન્ટ ફ્રાન્સિસ-વિલ નામે ખેતી-નિર્ભર એક નાનું ગામ. મિસીસિપી નદીના ખોળે પોતાના કપાસ, શેરડી અને નેસ માટે પ્રખ્યાત.

ત્યાં, તે દિવસે રીચાર્ડ બેરોને એક ખાસ અને અજુગતું કહી શકાય એવું, છેક ભારતથી નિર્યાત થયેલું એવું કૈક મળ્યું કે જે પહેલા આ દેશમાં કોઈએ ક્યારેક નિહાળ્યું નહોતું. તે આશ્ચર્ય-ચકિત હતો, એમ કહો કે હત-પ્રભ હતો.  જયારે તેણે જોયું ત્યારે તેના આનંદનો કોઈ પાર નહોતો. એવું તે શું હતું એ? તેની સમક્ષ ભારતના બે મહાકાય આખલાઓ હતા. તેમને જોયા એજ ક્ષણે તે સમજી ગયો હતો કે આજથી તેનો સમય પલટાઈ જશે. એને માત્ર એ નહતી ખબર કે એનો નહિ આખાય અમેરિકન સમાજ સહીત દુનિયાનો સમય બદલાઈ જશે...

નાના એવા ગામમાં વાત વાયુ-વેગે પ્રસરી ગઈ. તે બે ભારતીય આખલાઓ વિશિષ્ટ હતા, કૈક અલગ હતા અહીના લોકો માટે. તેમને લાંબા કાન હતા અને જે પીઠ ઉપર ખૂંધ હતા તે તો કઈ નવું જ હતું. તે ઘડીએ, તે દિવસે "બોસ ઈન્ડીકસ"નું(BosIndicus) અમેરિકામાં આગમન થયું.

તે વખતની જાલિમ બ્રિટીશ હકૂમતે મિ. બેરોને ભારતીય આખલા ભેટ આપ્યા હતા. મિ. બેરોએ બ્રિટીશ અધિકારીઓને કપાસ અને શેરડી અંગે ખાસ શિક્ષણ આપ્યું હતું, તેના વળતર રૂપે તેમને આ ભેટ મોકલવામાં આવી હતી.

આ એ કાળ હતો જયારે યાંત્રિક યુગની, ઓદ્યોગીકરણની શરૂઆત માત્ર હતી. અમેરિકા પોતાના ગુલામ/વેઠિયા-મજૂરોની કાળી મજૂરીના ટેકે વર્ષોથી બ્રિટીશરોને કપાસ પૂરું પાડતો હતો. ભારત તે વખતે કપાસના કાચા માલ માટે પહેલાં જેવો આકર્ષક સ્ત્રોત રહ્યો નહોતો. જેના લીધે અમેરિકાના લાંબા-રેસા વાળા કપાસને ધ્યાનમાં રાખીને વણાટના યંત્રો/ઓજારો વિકસાવવામાં આવ્યા હતા. બ્રિટીશ અધિકારીઓ આ લાંબા-રેસા વાળું કપાસ ભારતમાં ઉગાડવા માટેની જરૂરી પધ્ધત શીખવા અમેરિકા આવેલ હતા. આ આખલાઓ આ જ ઉપકારના વળતર રૂપે ભેટ અપાયા હતા.

ઉત્તર અમેરિકા પાસે ક્યારેય પોતાની કહી શકાય એવા કોઈ ઢોર/ગાયની પ્રજાતિ હતી નહિ. અહી સૌથી પહેલા યુરોપથી સ્થળાંતર કરીને આવેલા સ્પેન અને ઇંગ્લેન્ડના વસાહતી લોકો પોતાની સાથે પશુઓ લઈને આવ્યા હતા. આ ગાયો હતી બોસ-ટોરસ (Bos Taurus), યુરોપિયન પ્રજાતિની.

બોસ ઇન્ડીકસ અથવા ઝેબુ(Zebu) તરીકે ઓળખાતી આપણી ગુજરાતી/ભારતીય ગાયો  ખડતલતા,પ્રજનનક્ષમતા/ફળદ્રુપતાના ગુણોવાળી અને ગમે એવી કઠોર આબોહવામાં ગુજારો કરવાનું સામર્થ્ય ધરાવતી હતી. તદ્દ-ઉપરાંત તેઓ ગરમી સહન કરવાની આવડત અને માખી/મચ્છર/જીવ-જંતુ વિરુદ્ધની ગજબનાક રોગપ્રતિકાર-ક્ષમતા માટે જાણીતી હતી.

અમેરિકાના દક્ષિણ ભાગમાં જ્યાં ઘણે અંશે ગુજરાત જેવું શુષ્ક અને ગરમ વાતાવરણ હોય છે ત્યાં આપણી ગાયોએ કાઠું કાઢ્યું અને જોત-જોતામાં તો આ ભાઈ મિ. બેરો પાસે હૃષ્ટ-પુષ્ટ અને એકદમ સ્વસ્થ પશુ ધન થઇ ગયું. એ આજુ-બાજુના અન્ય પશુ-પાલકોની આંખમાં કણાની જેમ ખૂંચવા માંડ્યો.

માત્ર ૬ જ વર્ષના ગાળા બાદ ન્યૂ ઓરલીન્સના પશુ બજારોમાં બોસ ઇન્ડીકસ લોકોમાં "લુઈઝીઆનાના લાંબા કાન વાળી ગાયો" તરીકે જાણીતા થઇ ગયા. 

અમેરિકાના પશુ બજારોમાંઆપણા દેશી આખલાના વંશમાંથી ઉદભવેલી ગાયોની માંગ વધતી ચાલી. મિ. બેરોની સફળતાને ધ્યાનમાં લઈને ૧૮૮૫માં જે. એમ. ફ્રોસ્ટ(J. M. Frost) અને આલ્બર્ટ મોન્ટગોમરી(Albert Montgomery)એ હ્યુસ્ટન ટેકસાસમાં બીજા બે ભારતીય આખલાઓ આયાત કર્યા. હવે તો સરકસના નામે ભારતીય ગૌ-ઘન, પશુ-ધનની આયાત ચાલુ થઇ ગઈ. એક જાણીતા સોદામાં "પ્રિન્સ" નામનો લાલ છાંટની રૂવાંટી વાળો ભારતીય આખલો વિક્ટોરિયા,ટેક્સાસના એ.એમ. મેક્ફદ્દીને (A.M. McFaddin) ૧૯૦૪માં "હેગનબાક પશુ-પ્રદશન"(Haggenbach Animal Show) વાળાઓ પાસેથી  વેચાતો લીધો. આજ પશુ-પ્રદર્શન વાળાઓએ બીજા ૧૨ ભારતીય પશુઓ ડો. વિલિયમ જેકોબ (Dr. William States Jacobs) ને હ્યુસ્ટનમાં વેચ્યા હતા. ૧૯૦૫ અને ૧૯૦૬માં પીઅર્સ, ટેક્સાસ ખાતે આવેલા પીઅર્સ નેસના કર્તા-હર્તા એવા  એબલ પી. બોર્ડને,(Able P Borden) વિક્ટોરિયા,ટેક્સાસના થોમસ. એમ. કોન્નોર(Thomas M. O'Connor) ની સહાયતાથી ૩૦ ભારતીય વંશના આખલા અને ૩૦ જુદી જુદી પ્રજાતિની ગાયો આયાત કરી.

1923-૨૪માં "ગુજરાત", "ગીર" અને "નેલોર" વંશના ૯૦ આખલા બ્રાઝીલથી આયાત કરવામાં આવ્યા. ૧૯૨૫માં બીજા ૧૨૦ આખલા અને ૧૮ ગાયો આ ધરતી પર આવ્યા. આ બંને જૂથ પહેલા બ્રાઝીલથી મેક્સિકો જહાજ મારફતે લવાયા અને મેક્સિકોથી જમીન-માર્ગે અમેરિકાના ટેક્સાસ રાજ્ય સુધી પહોંચ્યા. આ મુખ્ય ત્રણ પ્રજાતિ અને આંધ્ર-પ્રદેશથી લાવવામાં આવેલી "ઓન્ગોળ" (હાલના પ્રરકાસમ જીલ્લામાં સ્થિત) જાતિ એમ ૪ જાતિઓના સંવર્ધન અને પ્રજનન દ્વારા ઉત્પન્ન કરાયેલી પહેલી સંકર જાતિ અને અમેરિકન ગાય  તે "અમેરીકન બ્રાહ્મણ".... સાંભળીને "ના હોય!!" નો ભાવ પ્રગટ થયો હોય તો વાંધો નહિ, મનેય થયો. એટલે જ તો અડધી રાતે બે વાગે  આ પોસ્ટ લખવા બેઠો. (કાલે ઓફિસમાં મીટીંગમાં બગાસાં પાક્કા!)

આ અમેરિકન બ્રાહ્મણ ગાયોનો આજે એક પ્રકારનો દુનિયાભરમાં દબદબો છે, જે ખૂબજ અનિચ્છીત પ્રકારનો છે. વિગતો જાણશો તો મારી જેમ કાપો તોય લોહી ના નીકળે એવી દશા થશે. કઈ વાંધો નહિ,ચાર જણ જાણેને કદાચ કોઈ  મારા જેવા વિશ્વના ખૂણે-ખૂણે  રહેલા ગૌ-માતા પ્રેમીઓ સંગઠિત થઈને આજે નહિ તો વર્ષ/દસક/સદી પછીય કૈક કરીને ગાયોને કતલખાને જતી બચાવી શકે એ આશાએ જ લખું છું...કારણકે આશા અમર છે.

 આજે દુનિયા ભરમાં આ મૂળ ભારતીય ગાયોની કૂખે અવતરેલી આ ગાયોની "અમેરિકન બ્રાહ્મણ" પ્રજાતિ "Beef" એટલે કે ગૌ-માંસના ઉત્પાદન માટે અવ્વલ નંબરની પ્રજાતિ ગણાય છે. આ અમેરિકન બ્રાહ્મણ પ્રજાતિ અહીંથી નિર્યાત થઈને કેટ-કેટલાય દેશોમાં કેટ-કેટલાય મોટા મોટા ઉદ્યોગ એકમોમાં માત્ર અને માત્ર માંસ ઉત્પાદન માટે જ  ઉછેરવામાં આવે છે. વધુ માહિતી જાણવામાં રસ હોય તો હ્યુસ્ટન સ્થિત "અમેરિકન બ્રાહમણ પશુપાલક મંડળ" (American Brahman Breeders Association)નો સંપર્ક કરી શકો છો...

માહિતી :
૧) http://www.ansi.okstate.edu/breeds/cattle/brahman/
૨) https://www.facebook.com/HinduismDeMystified/photos/a.855326181167027.1073741828.855304897835822/1449693995063573/?type=3&permPage=1

Sunday, December 18, 2016

ભારતીય તોપખાનું આધુનિકીકરણ કાર્યક્રમ

અમેરિકી લશ્કરની એમ-૭૭૭ અફઘાનિસ્તાન યુદ્ધ દરમ્યાન.

આજે ઉત્સાહમાં આપણા જાણીતા ગણાય એવા ગુજરાતી (સંદેશ, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, દિવ્ય ભાસ્કર, અકિલા ), હિન્દી (દૈનિક જાગરણ) અને અંગ્રેજી (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિંદુ, હિન્દુસ્તાન ટાઈમ્સ, ઇન્ડિયન એક્ષ્પ્રેસ) વગેરેની ઈ-કોપી ફેંદી મારી.એક પણ, એક પણ છાપામાં પહેલાથી છેલ્લા પાના સુધી ક્યાંય ઉલ્લેખ સુધ્ધાં નઈ હો!

આ મુંબઈ સમાચારનું બીજું પાનું એક ઉદાહરણ તરીકે જુઓ, છાપાના બીજા જ પાનાં પર (પહેલા પર તો તમે જાહેરાતો છાપી, તે બરાબર છે, આવક માટે જરૂરી છે ) દેશના મોટા સમાચાર હોય કે "મનોરંજન" સમાચાર?

જવા દો, આપણા ત્યાં છાપાવાળાઓને શેને પ્રાથમિકતા આપવી એની ગતાગમ ઓછી છે એ તો જૂની વાત થઇ ગઈ, મુદ્દા પર આવીએ.

૧૩ ડિસેમ્બર, ૨૦૧૬ એ આપણા દેશના સંરક્ષણ માટે સુવર્ણ દિવસ હતો. આ મંગળવારની બપોરે ૪:૩૦ વાગે ઓરિસ્સાના બાલાસોરમાં સંપૂર્ણ સ્વદેશી બનાવટની ૧૫૫-મીલીમીટરની ભારતીય તોપે પ્રાયોગિક સાબિતીના ભાગ રૂપે પહેલો ગોળો દાગ્યો!!! જે ભારતીય લશ્કરના સાધન-સરંજામ (સાચું કહો તો એની તીવ્ર અછત) વિષે જાણે છે એજ આનું વિરાટ મહત્વ સમજી શકશે.

Advanced Towed Artillery Gun System (ATAGS) - આધુનિક ખેંચીને લઇ જવામાં આવતી ૧૫૫-મિમી, ૫૨-કેલીબરની રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO - Defense Research and Development Organization) દ્વારા નિર્મિત આ તોપ બે ખાનગી પેઢીઓના સહયોગથી બનાવવામાં આવી છે. કલ્યાણી ગ્રુપ અને તાતા પાવર(વ્યૂહાત્મક ઇજનેરી ડીવીઝન) ભાગીદારો છે. તે ઉપરાંત રક્ષા મંત્રાલય હેઠળ આવતું OFB-Ordinance Factory Board પણ આ પરિયોજનામાં જોડાયેલ છે. જમીનથી જમીન પર માર કરતી આ તોપના બે દિવસ પ્રયોગ થયા છે અને તકનીકી માપદંડો ઉપર તે સફળ નીવડી છે. કોઈ પણ નિર્માણાધીન/વિકાસાધીન શસ્ત્ર/સાધનનો પહેલી વાર ઉપયોગ એક ખૂબ મોટી કસોટી અને મોટું સીમા-ચિન્હ છે. કેટ કેટલાય ઇજનેરો અને ટેકનિશિયનોના રાત-દિવસના ઉજાગરા અને મહેનતની કસોટી થઇ હશે અને કેવી રીતે તેઓ ફાટી આંખે પહેલો ગોળો નિર્ધારિત લક્ષ્યને જઈને વીંધે છે કે નહિ તે જોઈ રહ્યા હશે. એક ઇજનેર તરીકે મારા એ બધાં જ જાત-ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન.

આજની તારીખે ભારતીય તોપખાનામાં ૧૫૫-મિમીની તોપોની અછત એ ખૂબ જ ચિંતાજનક મુદ્દો છે અને જગ-જાહેર છે. અછત એટલી તીવ્ર છે કે ધારી લો કે એક સાથે ૫ જુદી જુદી જગ્યાએ કારગીલ ઉભા થાય તો આપણા લશ્કરની કળ વળી જાય. અને ચીન-પાકિસ્તાનની મિત્રતા એટલી ગાઢ થતી જાય છે કે આવનાર ભવિષ્યમાં આપણે એક-સામટા બે દુશ્મનો સામે બાથ ભીડવી પડે એ સાચી શક્યતા છે. પાકિસ્તાન એ ચીનનો દત્તક પુત્ર થઇ ચૂક્યો છે, ભવિષ્યના યુદ્ધમાં દીકરાને હાથ લગાડશો તો બાપ કઈ છાનો બેસી રહેવાનો નથી. 

દેશ-દ્રોહી, મુસલમાનોના તુષ્ટિકરણ અને હિન્દુઓના પતન માટે કટિબદ્ધ એવી કોંગ્રેસના છેલ્લા ૧૮ વર્ષના શાસનકાળમાં ૧૫૮૦ નવી તોપ માટેના આંતર-રાષ્ટ્રીય ટેન્ડરો કેટલીય વાર બહાર પડ્યા અને રદ્દ થયા. પરિણામ એ છે કે ૧૯૮૬માં ખરીદાયેલી ૪૧૦ હોવીત્ઝર (કારગીલ યુધ્ધમાં ટીવી પર જોઈ હશે) બાદ છેલ્લા ૩૦ વર્ષમાં એક પણ નવી તોપ લશ્કરમાં જોડાઈ નથી. ઘણાં વર્ષોના આ ટેન્ડરોના ખેલ બાદ, DRDOના પુણે સ્થિત ARDE(Armament Research and Development Establishment) - શસ્ત્રસરંજામ શોધખોળ અને વિકાસ વિભાગને દેશ માટે સ્વદેશી તોપ બનાવવાનું કાર્ય સોંપાયું હતું. OFB અને ભારત ફોર્જને નાળચા બનાવવાનો આદેશ અપાયો છે. 

માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના "Make in India" કાર્યક્રમ હેઠળ, ઉલ્લેખિત ખાનગી કંપનીઓના સહયોગથી લશ્કરની ખૂબ મોટી જરૂરીયાતને પહોંચી વળવા ૨ ઉત્પાદન એકમો આકાર લઇ રહ્યા છે એમ DRDOના વડા શ્રી ડો. એસ. ક્રિસ્ટોફરે જણાવ્યું.

નંગ દીઠ ૧૫ થી ૧૮ કરોડના ભાવે ૧૫૮૦ ATAGS તોપો માટે રૂ ૨૫,૦૦૦ કરોડનો કરાર કરવામાં આવ્યો છે. 

કોઈ પણ યુધ્ધમાં સૌથી વધુ સૈનિકોની શહીદી કે ઇજાનું કારણ તોપમારો હોય છે જે ૨૦-૩૦ કિલોમીટર દૂરથી કરવામાં આવે છે. પહેલા ભારે તોપમારો દુશ્મનનો કચ્ચરઘાણ વાળી દે પછી પાયદળ અને ટેન્કોની ટુકડીઓ ઓછામાં ઓછા સંઘર્ષ સાથે આગળ જઈને કબજો જમાવે છે. લશ્કરી ભાષામાં તોપ એ પાયદળની કરોડરજ્જુ છે... કરોડ ટટ્ટાર તો લશ્કર તૈયાર. એના વિના બધું નકામું. 

ભારતીય થળસેના પાસે ૨૬૪ તોપ રેજીમેન્ટ છે, દરેક પાસે ૨૧ તોપ હોય છે. મોટા ભાગની રેજીમેન્ટમાં હાલમાં હલકી ૧૦૫-મિમીની તોપો છે. પણ ભારતીય સેના ૧૫૫-મીમીની તોપને દરેક રેજીમેન્ટની પ્રાથમિક તોપ બનાવવાનું સ્વપન સેવે છે કારણકે ૧૫૫-મિમીનો મોટો ગોળો ઘણો વધારે વિનાશ નોતરે છે. 

૨૬૪ પૈકી જો માત્ર અડધી એટલે કે ૧૩૨ રેજીમેન્ટનું પણ આધુનિકીકરણ કરવા માટે 2772 તોપ જોઈએ જે હાલના ૧૫૮૦ તોપના ઓર્ડરથી ય પહોંચી ના વળાય. 

૨૫મી નવેમ્બર,૨૦૧૬ના  રક્ષા મંત્રી શ્રી મનોહર પારીકરે સંસદમાં જણાવ્યું કે ATAGS એ DRDOનો અત્યંત આગવી પ્રાથમિકતા ધરાવતા કાર્યક્રમોમાંથી (એક) છે જે સપ્ટેમ્બર,૨૦૧૫ સુધી માં સમાપ્ત કરવાનું લક્ષ્ય હતું જે હવે માર્ચ ૨૦૧૭ સુધી પાછો ઠેલાયો છે.

આ ઉપરાંત બીજી પણ તોપો હસ્તગત કરવાની યોજનાઓ કાર્યરત છે. ૧૯૮૬માં ખરીદાયેલી FH-77 બોફોર્સ ૩૯ કેલીબરના ગોળા દાગે છે. તેની ઉપલબ્ધ તકનીકી માહિતીના આધારે OFB તેની સુધારેલી આવૃત્તિની  ૧૫૫-મિમીની ૪૫-કેલીબરની તોપ બનાવી રહી છે. કેલીબર વધે એટલે તોપના નાળચાની લંબાઈ વધે અને તેની સાથે સાથે તોપની વધુ દૂર સુધી ત્રાટકવાની મારક-ક્ષમતા! આ સુધારેલી આવૃત્તિ તોપની મારક-ક્ષમતા ૨૭ થી વધીને ૩૫ કિલોમીટર થઇ જશે!!!! :)

૫મી ઓગસ્ટે રક્ષા મંત્રી શ્રીએ સંસદમાં જણાવ્યું કે આ સુધારેલી ૧૧૪  "ધનુષ" તોપ માટે OFBને ઓર્ડર આપવામાં આવ્યો છે. થળસેનાને પસંદ પડશે તો ઓર્ડર વધારીને ૪૦૦ તોપનો કરવામાં આવશે.

આ ઉપરાંત ભારતે અમેરિકા પાસેથી ૧૪૫ અત્યંત હળવી એવી ૧૫૫-મિમીની ૩૯-કેલીબરની BAE systems દ્વારા નિર્મિત તોપો માટે સોદો કર્યો છે એમ મંત્રી શ્રી એ ૨જી ડિસેમ્બરે  જણાવ્યું છે.

નવેમ્બર ૨૦૧૪માં રક્ષા મંત્રાલયે ૧૫,૭૫૦ કરોડના ખર્ચે જીપ કે તેના સમાન વાહન પર લદાય એવી ૮૧૪ Mounted Gun Systems (MGS) (સન્ની દેઓલનું બોર્ડર યાદ છે?!)  મંજૂર કરી હતી. ૨૮૦ સ્વયં-સંચાલિત  તોપો માટેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. આ બધી જ ૧૫૫ મિમીની ૫૨-કેલીબરની તોપો છે.

એક દિવસ એવો પણ આવશે કે કોઈ મને પૂછે કે "કોણ મોટી તોપ છે?" તો હું વટથી કહીશ કે મારો દેશ! 

સંક્ષિપ્તમાં ભારતની નવી ૧૫૫ મિમીની હાલમાં સંપાદન કરાઈ રહેલી તોપોની યાદી
  • ૧૫૮૦ ખેંચીને લઇ જવાતી તોપ, ૨૫,૦૦૦ કરોડની લાગતે
  • ૧૧૪ "ધનુષ" તોપ, બોફોર્સની સુધારેલી આવૃત્તિ OFB નિર્મિત
  • ૧૪૫ અમેરિકી અત્યંત હળવી BAE Systems દ્વારા નિર્મિત, ૫,૦૦૦ કરોડની લાગતે
  • ૮૧૪ MGS, જીપ પર લાદવામાં આવતી તોપો, ૧૫,૭૫૦ કરોડની લાગતે
  • ૨૮૦ સ્વયં-સંચાલિત tracked and wheeled તોપો
તા.ક. : આ બધું આવતા ૧૦ વર્ષોમાં થશે તે બાદ આપણે ચીનનો સામનો કરવા "અમુક અંશે" તૈયાર થઇ શકશું. સાંભળીને આશ્ચર્ય થયું કે!? જો તમે નિયમિત આપણા લશ્કરી સમાચાર વાંચતા હો તો અને ભ્રષ્ટ કોગ્રેસના રાજમાં દેશનું કેટલું નુકસાન થયું છે તે જાણતાં હોત તો ના થાત. હાલમાં સાધનોની તીવ્ર અછત આપણા લશ્કરને પાંગળું બનાવી રહ્યું છે... આ જુઓ ભારત-ચીન સરખામણી


Saturday, April 23, 2016

એક ટ્રેન-સફર અને બે મુસાફરો.....

૨૪ વર્ષ પહેલાની વાત છે. ૧૯૯૦નો ઉનાળો હતો. ભારતીય રેલ સેવાના અસ્થાયી કર્મચારી એવી હું  અને  મારી મિત્ર લખનૌથી દિલ્લી જઈ રહ્યા હતા. અમારી જ બોગીમાં  બે સંસદ  સભ્યો પણ મુસાફરી કરી રહ્યા હતા. એ ઠીક હતું પણ તેમની સાથેના ૧૨ માણસો જે વગર ટિકિટે બેઠા હતા તેમનું  વર્તન ડરામણું હતું.  તેઓએ બળજબરીથી અમારી બર્થ  ખાલી કરાવી અને અમને  અમારા સામાન પર બેસવા ફરજ પાડી. તે ઉપરાંત તેમણે અભદ્ર અને અપમાનજનક ટીપ્પણીઓ કરી. અમે ગભરામણથી કોકડું વાળીને સમસમીને બેસી રહ્યા. અસામાજીક તત્વોની સોબતમાં અ બહુ જ ભયાનક રાત હતી. ક્યારે રાત પસાર થઈ જાય અને નવો સૂરજ ઉગે એની અમે અત્યંત આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બાકીના મુસાફરો અને ટી.સી. તો ક્યાંય છૂ થઇ ગયા હતા.

બીજે દિવસે સવારે અમે દિલ્લી પહોચ્યાં. અમે શારીરિક રીતે સ્વસ્થ હતા પણ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. મારી મિત્ર તો એટલી હતપ્રભ થઇ ચૂકી હતી કે તેણે આગળની તાલીમ માટે અમદાવાદ જવાનું માંડી વાળ્યું. મેં બીજી એક સખીનો સંગાથ હોવાથી તાલીમ ચાલુ રાખી. (તેનું નામ ઉત્પલ્પર્ણ હઝારિકા છે, જે રેલ બોર્ડમાં ખૂબ ઉંચા હોદ્દા પર છે)  અમે ગુજરાતની રાજધાની માટે રાતની ટ્રેનમાં ચઢ્યા. ઉતાવળે નક્કી થયું હોવાથી પાકી ટીકીટ મળી નહિ અને વેઈટ-લીસ્ટમાં નામ હતા.

અમે પ્રથમ-શ્રેણીની બોગીના ટી.સી.ને મળીને અમદાવાદ સુધી કેમ સફર કરવી એના અંગે વાત કરી. ટ્રેન ખચોખચ ભરેલી હતી અને સીટ મળવી મુશ્કેલ હતું. તે અમને વિવેકથી એક બીજી બોગીમાં લઇ ગયો. મેં સહ-યાત્રીઓ તરફ નજર કરી. ખાદી-વેશભૂષા પરથી બે નેતા જેવા લાગતા વ્યક્તિઓને જોઈને હું ચિંતાતુર થઇ ગઈ. "તેઓ સારા માણસો છે, નિયમિત મુસાફરો છે, ચિંતા કરશો નહિ" - ટી.સી. એ અમને ભરોસો આપ્યો.
 એક ભાઈ ચાલીસની આસપાસના હશે, હાવ-ભાવ પરથી આત્મીયતા વાળા અને મળતાવડા લાગતાં હતા. બીજા ભાઈ, ત્રીસની આસપાસના અને ગંભીર પ્રકૃતિના લાગ્યા. તેઓએ તરત જ ખૂણામાં સંકેલાઈને અમારા માટે જગ્યા કરી.

ગુજરાત ભાજપના નેતા તરીકે તેઓએ પોતાનો પરિચય આપ્યો. તેમણે નામ જણાવ્યા પણ ત્યારે નામ અમારા માટે ખાસ જરૂરી ના હોવાથી યાદ રાખવા કઈ ઝાઝો પ્રયત્ન કર્યો ન હતો. અમે પણ આસામથી આવેલ રેલના તાલીમ કર્મચારી તરીકે અમારી ઓળખાણ આપી. અમે વાતે વળગ્યાં અને જુદા-જુદા વિષયો પર વાર્તાલાપ થયો, ખાસ કરીને ઇતિહાસ અને રાજકારણ અંગે. મારી મિત્રે દિલ્હી યુનીવર્સીટીમાંથી ઇતિહાસમાં અનુ-સ્નાતક હોવાથી તેણે રસપૂર્વક ભાગ લીધો. મેં પણ કંઇક અંશે યોગદાન આપ્યું. વાત વાતમાં હિંદુ- મહાસભા અને મુસ્લિમ લીગના જન્મ/સ્થાપના અંગે વાત ચાલી.

પેલા મોટા-ભાઈ બહુ ઉત્સાહપૂર્વક રજૂઆત કરી રહ્યા હતા. નાના ભાઈ શાંત હતા, ખાસ બોલી નતા રહ્યા પણ તેઓ પણ આ વાતચીતમાં પૂરેપૂરા ઓતપ્રોત હતા તેવું તેમના હાવભાવ પરથી સ્પષ્ટ  હતું. પછી મેં શ્યામા-પ્રસાદ મુખર્જીના અકાળ અવસાન અને તેના વણ-ઉક્લાયેલા રહસ્યની વાત કરી. ત્યારે તે નાના ભાઈએ તરત પૂછ્યું,  "તમને શ્યામા-પ્રસાદ મુખર્જી અંગે કેવી રીતે ખબર?"  મેં જણાવ્યું કે જયારે મારા પિતા કલકત્તા-યુનિવર્સીટીમાં અનુ-સ્નાતક તરીકે શિક્ષણ લઇ રહ્યા હતા ત્યારે વાઈસ-ચાન્સેલર તરીકે મુખર્જીએ આસામના વિદ્યાર્થીઓ માટે શિષ્ય-વૃતિની વ્યવસ્થા કરી આપી હતી. મારા પિતા ઘણી વાર તેમના અકાળ
અવસાન અંગે ખેદ વ્યકત કરે છે. [૫૧ વર્ષની વયે જૂન- ૧૯૫૩માં]

તે નાના ભાઈ તરત જ  ધીમા અવાજે બોલ્યા, "સારું કહેવાય આમને  આટલી બધી જાણકારી છે."
ત્યારબાદ મોટા ભાઈએ તરત જ અમારી સમક્ષ તેમના રાજનૈતિક દળમાં ગુજરાતમાં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો. અમે હસ્યાં ને કહ્યું કે અમે ગુજરાતના નથી.નાના ભાઈએ તરત ભારપૂર્વક કહ્યું, " તો શું થયું? અમને એની સામે કોઈ વાંધો નથી. પ્રતિભાવાન લોકો અમારે ત્યાં આવકાર્ય છે!" મેં એમની આંખમાં આશાનો ચમકારો જોયો હતો.

ભાણું આવ્યું. ચાર શાકાહારી થાળીઓ. બધાં શાંતિથી જોડે જમ્યા. જયારે પેન્ટ્રી અધિકારી પૈસા લેવા આવ્યા ત્યારે નાના ભાઈએ અમારા બધાના પૈસા ચૂકવી દીધા. મેં નમ્ર ભાવે આભાર પ્રગટ કર્યો પણ તેમણે એક નાની વાત હોય એમ ખાસ નોંધ ના લેવા વિવેક કર્યો. તે ભાઈ ખૂબ ઓછું  બોલતા હતા, મોટે ભાગે સાંભળતા હતા.

એટલામાં ટી.સી. આવ્યા અને એમણે ખેદ વ્યકત કર્યો કે સીટની વ્યવસ્થા થઇ શકી નથી. બંને ભાઈઓ તરત જ ઉભા થઈને  બોલ્યા, "કશો  વાંધો નહિ, અમે ચલાવી  લઈશું."  તેઓએ તરત જ ભોંય પર કપડું પાથર્યું અને સૂઈ ગયા અને અમે બંને એ બર્થ પર લંબાવ્યું.

કેવો વિરોધાભાસ! હજી આગલી જ રાતે મેં બે રાજનેતાઓ જોડે ટ્રેનમાં ગૂંગળામણ અનુભવી  હતી. અને આજે અમે બે રાજનેતાઓ જોડે શાંત ચિત્તે સફર કરી રહ્યા હતા...

બીજે દિવસે સવારે જયારે ટ્રેન અમદાવાદ નજીક પહોંચી ત્યારે બંને નેતાઓએ અમને શહેરમાં રહેવાની વ્યવસ્થા અંગે પૂછ્યું. મોટા ભાઈએ જણાવ્યું કે કઈ પણ તકલીફ હોય તો તેમના ઘરના દરવાજા હમેંશા માટે ખુલ્લા છે. નાના ભાઈએ પણ કીધું કે "મારી પાસે આમંત્રણ આપવા માટે કોઈ સ્થાયી ઘર નથી પણ તમે એમના [મોટા ભાઈના] ઘરે સલામત વાતાવરણમાં રહી શકશો."

અમે તેમને ખાતરી આપી કે અમારા ઉતારાની સગવડ થઇ ચૂકી છે અને કોઈ અગવડ નહિ પડે.

ટ્રેન ઉભી રહી તે પહેલાં મેં મારી નોંધપોથી કાઢી અને તેમના નામ ફરીથી પૂછ્યા. મારે બે એવા મોટા-મનના અને ભલા નેતા કે જેમણે "નેતાઓં" પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ બદલવા વિવશ કર્યા તેમને યાદ રાખવા હતા. ટ્રેન થમી એ પહેલાં મેં નામો નોંધી લીધા. તેઓ હતા શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર દામોદરદાસ મોદી.

જયારે પણ હું તેમને ટી.વી પર જોઉં છું ત્યારે તેમના તે દિવસના હૂંફાળા આવકાર, સહ-ભોજન, વિવેક અને સાર-સંભાળ માટે મનોમન વંદન કરું છું.

(લેખક લીના શર્મા રેલ્વે-ઇન્ફોર્મશન બોર્ડમાં દિલ્હીમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત છે.)
lotpot.com  પર મૂકાયેલા લેખનું ભાષાંતર....

Tuesday, October 27, 2015

શું હનુમાન જીવે છે?


લંકાના યુદ્ધ વખતની વાત છે. રાવણના જ્યેષ્ઠ પુત્ર ઇન્દ્રજીતે રામના સૈન્ય પર ખૂબ જ ભીષણ અને ઘાતક હુમલો કર્યો હતો. ઘણાં વીર યોદ્ધાઓ અને સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા. જયારે સેનાપતિ જામ્બ્વન રણ-મેદાનમાં પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલો પ્રશ્ન કર્યો, " શું હનુમાન જીવે છે?"

એક સૈનિકે આ વાતનું માઠું લાગતાં  તરત  વળતો  પ્રશ્ન  કર્યો, "કેમ  તમે માત્ર  હનુમાનની  ક્ષેમ-કુશળતાના સમાચાર પૂછ્યાં? તમે માત્ર એમની જ  ચિંતા  રાખો છો?"  જામ્બ્વને  તરત  ઉત્તર  આપ્યો કે  "જો બીજા બધા જ  મૃત્યુને ભેટ્યા હોય  અને માત્ર હનુમાન જીવિત  બચ્યાં હોય તો ય આપણે યુદ્ધ જીતી જઈશું, પણ જો હનુમાન વીરગતિ પામ્યા હોય  અને બાકી બધા જીવતા હોય તો ય આપણી હાર નક્કી છે"

હા, હનુમાનમાં એટલું બધું અપ્રતિમ અને અપાર શારીરિક બળ હતું કે એકલે હાથે રાવણની સેનાનો સંહાર કરી શકે પણ આ વાર્તાનો માત્ર શાબ્દિક (મૂળ અર્થ) નહિ પણ તેની પાછળનો સૂક્ષ્મ અર્થ (અથવા તો મર્મ) જાણવો અને સમજવો જરૂરી છે.

હનુમાન એ સમર્પણ, ત્યાગ અને દ્રઢતા ના પ્રતિકરૂપ છે. પૈસો/શક્તિ/વગ/પહોંચ/આવડત હોય કે ના હોય પણ જ્યાં સુધી સમર્પણ, ત્યાગ અને દ્રઢતા આ ત્રણ ગુણોનું ભાથું આપણી પાસે હોય ત્યાં સુધી જીવનમાં ગમે તેવી વિકટ/અસહ્ય/અશક્ય પરિસ્થિતિ અને તકલીફોથી આપણે સફળતાપૂર્વક લડી લઈને હેમખેમ પાર ઉતરી જઈએ. આ ગુણો હોવા એટલે હનુમાન આપણી પાસે હોવા સમાન છે. જ્યાં સુધી હનુમાન આપણામાં છે ત્યાં સુધી બધું જ શકય છે.

દુનિયાની સૌથી વધુ જૂની, લાંબી અને લયબદ્ધ કાવ્યરચના તે આપણું રામાયણ. એમાં જ આખી સૃષ્ટિનું જ્ઞાન છે, પ્રેમથી વાંચો અને વંચાવો.... જય હનુમાન. જય શ્રી રામ.

Friday, September 18, 2015

આતંકી હુમલા ચાલુ..... અને સ્વ-રક્ષણના સાધનોની અછત પણ...

27 જુલાઈ, ૨૦૧૫ના રોજ ગુરુદાસપુર પંજાબમાં ૩ આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો તે યાદ છે? (ના હોય તો વાંધો નહિ હો, આ તો સદીઓ પૂરાણી આપણી રાષ્ટ્રીય નબળાઈ છે.) ૨-GPS, ૩-AK47, ૧૦-મેગેઝીન અને ૨ ચીની બનાવટના ગ્રેનેડ... ઓહોહોહો! આપણને હાનિ પહોંચાડવા પૂરતી તૈયારી કરીને અને સામગ્રી લઈને આવ્યા હતા... હવે જરા આપણા સુરક્ષા-કર્મીઓને (જે લડતાં લડતાં શહીદ થઇ ગયા તેમના) જો TV પર "લાઈવ" જોયા હોય તો યાદ કરો....લો થોડું યાદ કરાવું...

કઈ ધ્યાનમાં આવ્યું? ના બખ્તર, ના હેલ્મેટ... અરે ભાઈ, મુંબઈ પરના હુમલાને હજી ૭ જ વર્ષ થયા છે, અમે ભારતીયો કઈ આટલા જલ્દી સુધરીએ નઈ હોં! દુર્ભાગ્યની વાત છે કે આપણું લશ્કર અને પોલીસદળ આજે પણ અત્યંત જરૂરી ગણાતાં એવા શરીર કવચથી  (Body Armour) વંચિત છે.

ભારતીય લશ્કરની સ્થિતિ તો સૌથી વધુ દયનીય છે. રોજે સીમા પર પાકિસ્તાનીઓ સાથે ગોળીબારની આપ-લે કરતાં, કાશ્મીર અને ઇશાનના રાજ્યોમાં ખૂંખાર ત્રાસવાદીઓ જોડે લડતાં લાખો સૈનિકોના જીવ જોખમમાં છે. રક્ષા મંત્રાલયના આકંડાઓ પ્રમાણે છેલ્લાં ૩ વર્ષમાં પાકિસ્તાન સાથે થયેલા ૩૫૭ ગોળીબારોમાં ૧૭ સૈનિકો શહીદ થયા છે. હાલમાં સૈન્યને ઉપલબ્ધ હેલ્મેટોની ગુણવત્તા શું છે જાણો છો? તે મોટર-સાઇકલ ચલાવતા પહેરવાની હેલ્મેટો છે, ૯-મિલીમીટરની ગોળીઓ ઝીલવાની ક્ષમતા તો બીજના ચન્દ્ર જેટલી દૂરની વાત છે.

આ સાધન સરંજામ ખરીદવા કઈ અઘરી વાત નથી.. લડાયક વિમાનો કે બોફોર્સ-ગન કે સબમરીન જેવી ઉચ્ચ તકનીકી અને મોંઘી શસ્ત્ર-સામગ્રીની ખરીદીમાં ટેકનોલોજી આપ-લે, કિંમત, વેચનાર દેશ જોડેના આપણા સબંધો વગેરે ઘણા મુદ્દા સંકળાયેલા હોય છે અને તેથી કરીને અમુક અંશે તેમાં વિલંબ થાય તે સમજાય છે. પણ હેલ્મેટો અને કવચો? યાર, જર્મન લશ્કરને આ વસ્તુઓ આપણા દેશની ખાનગી કંપનીઓ પૂરા પાડે છે.....

તે છતાં આપણા ૧૨ લાખ સૈનિક-સજ્જ લશ્કર માટે માત્ર ૨ ઓર્ડરો હાલમાં અમલમાં છે.  પહેલો ૧,૮૬,૧૩૮ પીસનો ઓર્ડર અને બીજો ૫૦,૦૦૦ પીસનો "ચકાસણી કમિટી" દ્વારા ચકાસણી માટે.

MKU - કાનપુર સ્થિત મધ્યમ કદની ખાનગી કંપની કે જે યુરોપના સંયુક્ત લશ્કર નાટોને (NATO-  North Atlantic Treaty Organisation (NATO) militaries) કવચો પૂરા પાડે છે તે દર મહીને ૫૦૦૦ કવચ અને ૨૫,૦૦૦ હેલ્મેટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ દુનિયાની વિશાળ અને અદ્યતન કંપનીઓમાંની એક છે. તેની પાસે એક્વેડોર, ઈજીપ્ત, શ્રી લંકા અને જર્મની ઉપરાંત ઘણા વિદેશી ગ્રાહકો છે.પણ MKU અને તેના હરીફ TAS(Tata Advanced Systems) કે SM Pulpને થળસેનાના નોર્ધન કમાંડના(Northern Command) નાના સ્થાનિક ઓર્ડરથી વિશેષ કઈ હાથ લાગ્યું નથી. 

નાની પેઢી હોવા છતાં  MKU વાર્ષિક ૬-૮ ટકા જેટલી આવક સંશોધન અને વિકાસમાં વાપરે છે જે તેમને હરીફોથી એક પગલું આગળ રાખે છે. આપણા દેશમાં હકીકતમાં ગોળીબાર કરીને કવચ ચકાસવા ઉપર કાયદાકીય અવરોધ હોવાથી તેઓએ હાલમાં જ જર્મનીમાં હેમ્બર્ગ નજીક એક કંપની હસ્તગત કરી છે. ત્યાં તેઓ પોતાના માલની ગુણવત્તાની ચકાસણી કરે છે. આ સંશોધનો અને ગુણવત્તા માટેનો આગ્રહ તેમના માટે રંગ લાવ્યો. ૨૦૧૪માં રક્ષા મંત્રાલયે કરેલ ચકાસણીમાં માત્ર તેમની હેલ્મેટો જ નિયમિત માપદંડો પર ખરી ઉતરી. લગભગ ૩૦૦ કરોડનો ૧,૫૮,૦૦૦ હેલ્મેટોનું ટેન્ડર માત્ર તેઓ જ ભરી શકશે.

સારી વાત છે, ના મામા કરતાં કાણો મામો સારો. દિલાસો લેવા માટે ઠીક છે પણ આ જરાય પૂરતું નથી. માહિતી તો હજી ઘણીયે છે પણ હાલ આટલું ઘણું છે. આ વાંચ્યા પછી મારી જેમ દેશના જાંબાઝ સૈનિકો માટે (કે જેમને ત્યાગ અને બલિદાનના ભોગે આપણે અમદાવાદ/મુંબઈ/દિલ્હી જેવા 'વર્લ્ડ-ક્લાસ' શહેરોમાં હરીએ-ફરીએ અને જલસા કરીએ છે) મન કકળતું હોય તો માત્ર એટલું કરજો કે ઈ-મેઈલ, ટ્વીટર, ફેસબુક કે ફેક્સ, કોઈપણ માધ્યમ દ્વારા આ વાત રક્ષા સચિવ, રક્ષા મંત્રી, PMO, પ્રધાન-મંત્રી કોઈકના સુધી વાત પહોંચાડશો... નહિ તો ફરી ભવિષ્યના ગુરુદાસપુર પરના હુમલામાં ફરી દેશના અદના સેવકો શહીદ થશે.... અને જેમ આજે હું અને તમે જીવ બાળીએ છે તેમ આપણા છોકરાં જીવ બાળતાં હશે....

જય હિન્દ.
--દેશદાઝ.

Sunday, January 25, 2015

સ્વ-ધર્મ અને પર-ધર્મ


વાત છે આઝાદી પહેલાની. ગુજરાતમાં એક મહાન વનસ્પતિ-શાસ્ત્રી થઇ ગયા. જયકૃષ્ણ ઈન્દ્રજી એમનું નામ.

વનસ્પતિશાસ્ત્રના તેઓ એવા તે અઠંગ અભ્યાસી અને નિષ્ણાત હતા કે અંગ્રેજ વિદ્વાનો પણ તેમનું આ અંગેનું ઊંડું જ્ઞાન જોઇને છક થઇ જતા.
તેઓ જયારે કિશોર હતા ત્યારે એમના ઘરની સ્થિતિ એટલી નબળી હતી કે ભણવા માટે પુસ્તકો અને પહેરવા માટે કપડાં પણ ખરીદી શકાય નહિ. 
જયકૃષ્ણે ફાટેલાં કપડાં અને જૂનાં પુસ્તકોથી જ ચલાવી લીધું હતું.

એકવાર તેમને એક પોલીસ ઇન્સ્પેક્ટરનો ભેટો થયો. વાત ભેગી વાતમાંથી તેણે જયકૃષ્ણની ગરીબી જાણી લીધી. તેણે જયકૃષ્ણને કહ્યું, : ‘ગભરાઇશ નહિ, તને બધી જ આર્થિક સહાય મળી રહેશે. તારા માટે સારા કપડાં, નવાં પુસ્તકો, વાંચવા માટે અનુકૂળ જગ્યા બધું જ મળી રહેશે.’

જયકૃષ્ણે તો એમ જ માન્યું કે આ ઇન્સ્પેક્ટરના રૂપમાં સાક્ષાત ભગવાન જ મારી પાસે આવ્યા છે. જયકૃષ્ણે પૂછ્યું : “તો હું ક્યારે આવું?”

ઈન્સ્પેક્ટરે કહ્યું, “ કાલે સવારે મારી સાથે મારા ચર્ચમાં આવજે.”

“ચર્ચમાં? શા માટે?”

“તું એકવાર ખ્રિસ્તી બની જાય તો પછી તને કોઈ તકલીફ રહેશે નહિ”

“એટલે મારો ધર્મ છોડી તમારો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરું એમ જ ને?”

“હા, હવે તું બરાબર સમજ્યો.”

પણ જયકૃષ્ણે કહ્યું, : “ના, મારાથી નહિ બની શકે, સ્વધર્મ છોડીને પરધર્મ હું કદાપિ સ્વીકાર કરી શકું નહિ. હું તો મારા ધર્મમાં જ રહીશ. અમારી ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે, પરધર્મમાં જવા કરતાં નિર્ધન હોવું અને સ્વધર્મમાં નિધન(મૃત્યુ) થવું બહેતર છે. પરધર્મ અંગીકાર કરવાથી મને બધા જ સુખ મળતાં હોય તો પણ હું પરધર્મ કદી સ્વીકારીશ નહિ. મારા ધર્મમાં રહેવાથી મને ગરીબીની વિપત્તિ મળી છે તો તેને પણ હું જીવનની મહાન સંપત્તિ માની લઈશ પણ ધર્મનો કદાપિ ત્યાગ નહિ કરું.”

સ્વધર્મ પ્રત્યેની જયકૃષ્ણની આવી નિશ્ચલ નિષ્ઠા અને અનન્ય આસ્થા જોઇને પેલો ઇન્સ્પેકટર તો દંગ જ રહી ગયો.....

વાત નાની છે, સમજાય તો બહુ મોટી છે....આ ઘર-વાપસીની જે વાત-વિવાદ ચાલે છે એના સંદર્ભમાં સમજવા જેવી છે.....

Monday, January 5, 2015

'ઘર વાપસી'...... કારણ વિનાનો વિવાદ.

મા. ગો. વૈદ્ય દ્વારા,

ઉત્તરપ્રદેશના આગ્રા નગરમાં ૫૭ મુસલમાન પરિવારોએ ફરી પોતાનો મૂળ ધર્મ, હિંદુ ઘર્મ અપનાવ્યો. આ ઘટનાને લઈને સંસદમાં તથા મીડિયામાં કારણ વગર એક વિવાદ ઉભો થઇ ગયો. અનેક લોકોએ આ ઘટનાને, આ વિધિને 'ધર્માન્તર', 'ધર્મ પરિવર્તન', 'કન્વર્ઝન'નું નામ આપ્યું, પરંતુ આ ધર્મપરિવર્તન નથી. આ તો પોતાના જ સમાજમાં, પોતાના જ ઘરમાં આ લોકોનું પુનરાગમન છે. આ 'ઘરવાપસી' છે. ધર્મપરિવર્તન તો તેમનું સદીઓ/દાયકાઓપહેલાં જ થઇ ચૂક્યું હતું.

ઇસ્લામનો ભારતમાં તથા સંપૂર્ણ વિશ્વમાં પ્રસાર કઈ રીતે થયો છે તે બધાને ખબર છે. 'ઇસ્લામ' નો અર્થ 'શાંતિ' થાય છે એવું કહેવાય છે પણ ક્યાંય પણ ઇસ્લામનો ફેલાવો શાંતિપૂર્વક થયો નથી. સદીઓથી તલવારની ધાર પર જ ઇસ્લામનો પ્રસાર થયો છે.

વિચારવાની વાત એ છે કે પારસીઓને પોતાની જ જન્મભૂમિ છોડીને કેમ ભાગવું પડ્યું? રાજપૂત  મહિલાઓને જોહરની જ્વાળામાં કેમ બલિદાન આપવું પડ્યું? કાશ્મીર ઘાટીની ૫૦ લાખની મુસલમાન વસ્તીમાં ૪ લાખ હિંદુ પંડિત કેમ સમાઈ ન શક્યા? આ બધાએ જો ઇસ્લામ કબૂલ કર્યો હોય તો બચી ગયા હોત. આ ઈતિહાસ છે. 


કહેવાનો મતલબ એ છે કે આગ્રામાં જે મુસ્લિમ પરિવારોએ ઘરવાપસી કરી તેમનું ધર્મપરિવર્તન બહુ પહેલાં જ થઇ ગયું હતું. કોઈ નક્કર રીતથી થયું હશે. અ જૂની વાતની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી પણ આ બધા હિંદુ જ હતા અને હિંદુ જ છે. તેમણે 'ઉપાસના' ની પદ્ધતિ કોઈની બળજબરીના લીધે બદલી હતી, ધર્મ અને જન્મભૂમિ નહિ.  ભારતમાં આજે મુસ્લિમોની સંખ્યા ૨૦ કરોડથી પણ ઉપર છે. તેમાંથી એક ટકાથી પણ ઓછા બહારથી એટલે કે અરબસ્તાન,તુર્કસ્તાન, ઈરાનથી આવેલાઓના વંશજ હશે. બાકીના બધા મૂળત હિંદુઓ જ છે. હવે આ લોકો પોતાના પૂર્વજોના ઘર/સમાજમાં પાછા આવવા માંગે છે. આ જ 'ઘરવાપસી' છે. આ તો હિંદુઓ અને દેશ માટે આલોચનાનો નહિ બલ્કે આનંદનો વિષય છે. 

હિન્દુઓએ ક્યારેય પણ બળપૂર્વક ધર્માન્તર કરાવ્યું નથી. જો આવું ના હોત તો ઇસ્લામના પ્રસારના કારણે ઈરાનથી ભાગીને આવેલા પારસીઓ હિન્દુસ્તાનમાં પોતાના ધર્મ અને ઉપાસનાની સાથે રહી શકે નહિ. આજે એક હજાર વર્ષ પછી પણ પારસી પોતાની પરંપરા અને આસ્થા સાથે આપણા ત્યાં રહે છે. તદુપરાંત દોઢ હજાર વર્ષ કરતા પણ વધારે સમયથી પોતાની માતૃભૂમિથી છૂટા પડી ગયેલા યહુદીઓને ઈસાઈ દેશોમાં અનેક અપમાન અને યાતનાઓ ભોગવવી પડી, પરંતુ ભારતમાં તેઓ સ્વમાનપૂર્વક સુરક્ષિત રીતે રહે છે. આનું માત્ર અને માત્ર કારણ એ છે કે ભારતમાં હિંદુ બહુસંખ્યક હતા. (રહેશે? ક્યાં સુધી? )

'એકમ સત વિપ્રા બહુધા વદન્તિ'

હિન્દુઓની એક મૌલિક માન્યતા છે કે પરમાત્મા એક જ હોવા છતાં તેના નામ અનેક હોઈ શકે છે તેમ જ પૂજા કરવાના પ્રકાર પણ અનેક હોઈ શકે છે. વિવિધતાનું સન્માન કરવું એ હિન્દુઓની સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે, બળપ્રયોગ કરી અથવા લાલચ આપી પોતાની સંખ્યા વધારવામાં હિન્દુઓને ક્યારેય રસ ન હતો, આજે પણ નથી. 

પણ હા, એક પરિવર્તન જરૂર થયું છે. પહેલાં જૂનવાણી રૂઢિઓને કારણે હિંદુ સમાજમાંથી માત્ર બહાર જવાનો જ રસ્તો હતો. એક વાર ગમે તે કારણસર જો હિંદુ ધર્મ છોડો તો પાછળથી વિચાર બદલાય અને ઈચ્છા હોય તો પણ પાછા હિંદુ ધર્મમાં આવી શકાતું ન હતું. આ એકતરફી રસ્તો હતો. હવે હિંદુ સમાજે પાછા ફરવાના દરવાજા ખોલી દીધા છે. જે લોકો ગયા હોય તે પરત ફરી શકે છે. પહેલાં આર્ય સમાજે આ કામ કર્યું. હવે ઘણી સંસ્થાઓ કરે છે. આજે જેને સનાતની કહેવામાં આવે છે તેમણે પણ પોતાનામાં ઘણું પરિવર્તન કર્યું છે.

વાત વર્ષ ૧૯૬૪-૬૫ની છે. દેશના બધા જ શંકરાચાર્ય, ધર્માચાર્ય, મહંત, પીઠાધીશ, સાધુ-સંતો કર્ણાટકના ઉડુપીમાં ભેગા થયા હતા. તેમણે એક અવાજે સંપૂર્ણ હિંદુ સમાજ વતી જાહેર કર્યું હતું કે જે લોકો ગયા છે તે પાછા આવી શકે છે.

હિન્દવ સોદરા: સર્વે
ન હિંદુ: પતિતો ભવેત |

ભારત હિંદુ બહુલ દેશ છે. માટે અહીનું રાજ્ય પંથનિરપેક્ષ(Secular) છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, લીબિયા વગેરે 'સેક્યુલર' કેમ નથી? આ પ્રશ્નનો ખુલ્લા હૃદયે વિચાર કરવો જોઈએ. માટે હિંદુ સમાજથી જે લોકો કોઈ પણ કારણસર અલગ થઇ ગયા હોય અને પોતાના સમાજમાં પાછા આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત કરવું જોઈએ. ઘરવાપસીનું સ્વાગત થવું જોઈએ, નિંદા નહિ.

વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...