Tuesday, September 15, 2020

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD)


 મંદિર મારા અત્યંત રસનો વિષય છે અને આપણી સનાતન સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. આનંદ એ વાતનો છે કે વાચકોને પણ મંદિરો વિશે જાણવામાં ઘણી રુચિ છે. આજથી બે એક વર્ષ પહેલા કેરળના સબરીમાલા મંદિર વિશે લખાયેલા લેખને સારો પ્રતિસાદ મળ્યો હતો અને વાચકોની સંખ્યા દસેક હજાર સુધી પહોંચી હતી. આજે આપણે આંધ્ર પ્રદેશ સ્થિત ભારતના સુપ્રસિદ્ધ વિષ્ણુ મંદિર તિરૂપતિ વિશે જાણશું. ખરું પૂછો તો આ લેખના બે ઉદ્દેશ્ય છે, એક તો મંદિરની રોચક વાતો કરવી અને સાથે સાથે તેની હાલની સ્થિતિથી પણ આપ સૌને વાકેફ કરવા છે. 

તો ચાલો પહેલો ભાગ શરુ કરીએ.

તિરૂપતિ એવું મંદિર છે કે જો કોઈ હિન્દુ આ મંદિર વિશે અજાણ હોય તો મોટી નવાઈ કહેવાય. મંદિરની ખ્યાતિના ઘણાં કારણો છે. પહેલું કારણ એ કે આ હિન્દુઓના અતિ પ્રાચીન મંદિરોમાંનું એક છે. બીજું આ એક એવું મંદિર છે કે જેના ઉપર આપણાં સોમનાથ કે અયોધ્યાની જેમ વિદેશી આક્રાંતાઓના હુમલા ક્યારેય થયા નથી. એટલે કે આ મંદિરની પવિત્રતા અક્ષુણ્ણ રહી છે. ત્રીજું કે સૌથી ધનાઢ્ય હિન્દૂ મંદિર તરીકે તિરૂપતિ વિશ્વ પ્રસિદ્ધ છે. આ ત્રીજા કારણ માટે આપણે તેલુગુ હિન્દૂ NRI ઓને ધન્યવાદ આપવા ઘટે. વળી આ એક જ મંદિર એવું છે જેને પ્રસાર માધ્યમો જેવા કે અખબારો અને ટીવી દ્વારા નિયમિત રીતે આવરી લેવામાં આવે છે. જોકે મોટે ભાગે ચેનલોને TRPમાં જ રસ હોય છે અને એટલે ફલાણાં ઉદ્યોગપતિએ આટલા કરોડનું દાન કર્યું અને ઢીંકણાએ આટલું સોનું દાન કર્યું એવા જ સમાચારો હોય છે. ખરેખર મંદિરને લગતી માહિતી તો હોય જ નહિ. 

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD)

આંકડાઓમાં


  • 23,000 કર્મચારીઓ →  8,000 કાયમી, 15,000 હંગામી

  • વાર્ષિક અઢી કરોડ શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ (+ વાર્ષિક ઉત્તરોત્તર વધારો )

  • વાર્ષિક આવક અંદાજે 3100 કરોડ

    • 1230 કરોડ દાનપેટીમાં આવતું હૂંડિયામણ

    • 846 કરોડ ડીપોઝીટો/થાપણો પર વ્યાજની આવક

      • 12000 કરોડથી વધુની થાપણો

  • વાર્ષિક 450 જુદા જુદા ઉત્સવોનીઉજવણી

  • 11 શૈક્ષણિક સંસ્થાનો ચલાવવા
  • 3 હોસ્પિટલો ચલાવવી
  • 1 ગૌશાળા ચલાવવી

મંદિરનો ઇતિહાસ 

ઇતિહાસ માટે હું મિત્ર શ્રી ઐય્યરની ટીમે તૈયાર કરેલું ઇન્ફો-ગ્રાફિક્સ (અંગ્રેજીમાં ) રજૂ કરું છું.

અત્યાર સુધીની વાતો પહેલો ભાગ હતો, મારે બીજા ભાગ વિશે વિસ્તારથી વાત કરવી છે. આ બીજો ભાગ છે પ્રત્યક્ષ રીતે આ મંદિર ઉપર અને અપ્રત્યક્ષ રીતે આપણી હિન્દૂ સંસ્કૃતિ પર થઇ રહેલા સતત હુમલાઓ અંગે. સબરીમાલા ઉપરનો લેખ વાંચનારાઓને એકસરખી પેટર્ન દેખાશે અને ખ્યાલ આવશે કે દક્ષિણ ભારતમાં શું ચાલી રહ્યું છે. As usual, છાતી ઠોકીને કહું છું કે બીજા કોઈ ગુજરાતી છાપામાં કે લેખમાં કે ચેનલ પર તમને આ માહિતી નહિ મળે. 

એતો જગજાહેર વાત છે કે ખ્રિસ્તીઓની વટાળ/ધર્માંતરણ પ્રવૃત્તિ જો કોઈ રાજ્યમાં બેફામ ચાલતી હોય તો તે છે આંધ્ર પ્રદેશ. એ હદ સુધી કે આંધ્રથી ચૂંટાયેલા YSRCPના સાંસદ આ વાતનો ટીવી ઉપર જાહેરમાં સ્વીકાર કરે છે. 

https://twitter.com/TimesNow/status/1264962176902500355

છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી એવી ઘટનાઓ બની છે કે જેના ઉપર ધ્યાન દેવાથી ખ્યાલ આવશે કે આપણા આ પ્રાચીન અને આર્થિક રીતે અતિ-સંપન્ન હિન્દૂ તીર્થ ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરવાનો ખ્રિસ્તીઓ દ્વારા ખુલ્લેઆમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આપણે હિંદુઓ ભાષા આધારિત રાજ્યોમાં વહેંચાયેલા હોવાથી આ બધાં અંગે અજાણ છીએ. ભાષાઓ આપણી હિન્દૂ સંસ્કૃતિની વૈવિધ્યતામાં વધારો કરે છે પણ સાથે સાથે આપણી એકતાનો અમુક અંશે ભાગાકાર પણ કરે છે એ એક કડવી વાસ્તવિકતા છે. શક્ય છે કે માનો કાલે ઉઠીને ગાંધીનગરના આપણાં સ્વામિનારાયણ મંદિરમાં કે શ્રીનાથજીમાં કે અંબાજીમાં આવા કોઈ કારસ્તાનો થાય તો આપણી જેમ જ દક્ષિણના હિંદુઓ તે વાતથી અજાણ રહી જાય. અને આ ખંડિત એકતાનો વિરોધીઓ ફાયદો લેતા રહે. ચાલો ક્રમશ: વાત કરીએ.

ઉપર ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે 1983માં મંદિરના મુખ્ય મહંતને ભ્રષ્ટચારના આરોપો મૂકીને કાઢી મૂકવામાં આવ્યા ત્યાંથી વાતની શરૂઆત થાય છે. આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ચલ્લા કોન્ડાઇયાની આગેવાનીમાં 1984માં એક આયોગની રચના કરવામાં આવી. આયોગનો ઉદ્દેશ્ય તિરૂપતિ ટ્રસ્ટમાં ચાલતી સંભવિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરીને તેના પ્રશાસનમાં સુધારા સૂચવવાનો હતો. આ આયોગ એક્ટરમાંથી નેતા અને મુખ્યમંત્રી બનેલા અને ત્યારના પ્રસિદ્ધ એવા એન.ટી. રામારાવના શાસન દરમ્યાન રચાયું હતું. આ આયોગે 1200 પાનાંનો રિપોર્ટ મે 1986માં રજૂ કર્યો હતો જેનો તત્કાલીન સંત સમાજ દ્વારા ખૂબ વિરોધ થયો હતો. આ રિપોર્ટમાં 276 સૂચનો કરાયા હતા જે બધે બધાં જ રાજ્ય સરકારે સ્વીકારી લીધા હતા. આ સૂચનોમાં મુખ્ય મુદ્દાઓ કે જેના ઉપર સંત સમાજનો વિરોધ હતો તે નીચે પ્રમાણે છે.

  1. વારસાગત આચાર્ય પ્રથાનો અંત 
  2. દર્શનાર્થીઓ માટે વધુ સવલતોના નામે ટ્રસ્ટની જમીન વેચાણનો રાજ્ય સરકારને હક 
  3. તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ કે જે સ્વતંત્ર અને ધનાઢ્ય ટ્રસ્ટ છે તેને રાજ્ય સરકારના Endowments Commissionerate ની હેઠળ લાવવું.

સંત સમાજે ત્યારે વિજયવાડામાં રેલીઓ કાઢીને ખૂબ વિરોધ વ્યકત કર્યો હતો અને ખૂબ જ તાર્કિક અને સચોટ દલીલો રજૂ કરી હતી. દાખલા તરીકે શું ક્યારેય કોઈ આખા દેશમાં કોઈ પણ રાજ્ય સરકારે ક્યારેય એવો કાયદો કે વટહુકમ જાહેર કર્યો છે કે ડોક્ટરનો કે વકીલનો દીકરો/દીકરી બાપની કે માની પ્રેક્ટિસનો વારસદાર ના થઇ શકે ? હકીકતમાં ગેરરીતિઓના બહાનાની આડમાં મંદિર પ્રશાસનને રાજ્ય સરકાર અંતર્ગત લાવવા તેમજ મંદિરની આવક સરકારને હસ્તક થઇ જાય તેના બદ-ઈરાદાથી જ આ આયોગે રિપોર્ટ બનાવ્યો હતો. આ આયોગ મુખ્યમન્ત્રી દ્વારા મંદિરોનું પ્રશાસન સુધારવાના ઈરાદાથી રચવામાં આવ્યું હતું પણ તેમને અંધારામાં રાખીને રિપોર્ટમાં ખોટી રજૂઆતોના આધારે સૂચનો કરાયા હતા. દાખલા તરીકે માત્ર 69 મંદિરોના સર્વે દ્વારા રાજ્યના 34,000 મંદિરોના આચાર્યો અને તેમનું ભાવિ નક્કી કરાયું હતું. મોટા અને જાણીતાં મંદિરોને બાદ કરતાં તેલંગાણા વિસ્તારના નાના કોઈ પણ મંદિરોના આચાર્યોનો અભિપ્રાય લેવામાં નહોતો આવ્યો. 

ઊંડાણથી આ રિપોર્ટ વિશે  જાણવું હોય તો આ લિંક ઉપરનો રિપોર્ટ વાંચો. 
મૂળ આ દક્ષિણ ભારતની કુખ્યાત પેટર્ન છે કે બધાં જ રાજ્યોમાં સુઆયોજનના નામ પાર માત્ર અને માત્ર હિન્દુ મંદિરોને રાજ્ય સરકારો પોતાના હસ્તક રાખે છે. એટલે કે રાજ્ય માને છે કે માત્ર હિંદુઓ જ અણઘડ છે અને આપણને પોતાના ધાર્મિક સ્થળોનું નિયંત્રણ કરતાં આવડતું નથી. બીજા ધર્મોમાં બધા જ ચાણક્ય જેવા તીવ્ર બુદ્ધિમાન છે અને સરકારને તેમના ધાર્મિક સ્થળોમાં ચંચૂપાત કરવાની જરૂર લાગતી નથી. કેવું મજાનું આપણાં દેશનું 'સેક્યુલારિઝમ'. હકીકતમાં આ બધું માત્ર હૂંડીનાં પૈસા ચાઉં કરી જવા અને હિન્દુ આસ્થાને યોજનાબદ્ધ રીતે હાનિ પહોંચાડવાના ષડયંત્રો છે. તમને કદાચ થયું હોય કે આ બધામાં ખ્રિસ્તીઓ ક્યાંથી વચ્ચે આવ્યા? ઘણી વાર અમુક વસ્તુઓ પડદા પાછળ થતી હોય તો ધ્યાનમાં ના આવે. આ ચીફ જસ્ટિસ ચલ્લાએ પોતે ધર્માંતરણ કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો કે કે નહિ તેની જાહેરમાં કોઈ જ માહિતી મળતી નથી. પણ આંધ્રમાં આ એક હકીકત છે કે વટલાયેલા લોકો, અને ખાસ કરીને જેઓ સરકારમાં જ કામ કરે છે તેઓ સરકારી વિધિ કરાવીને કાયદેસર પોતાનું નામ બદલાવતાં નથી કારણકે મોટા ભાગના ધર્મ પરિવર્તન કરનારાઓ દલિત એટલે કે અનુસૂચિત જાતિના લોકો છે અને જો તેઓ આધિકારિક રીતે પોતાનું નામ બદલી નાંખે તો તેમનું અનુસૂચિત જાતિનું પ્રમાણ જપ્ત થઇ જાય અને તેમને મળતાં સરકારી લાભો બંધ થઇ જાય. આ વાતનો નક્કર પુરાવો આ વસ્તી ગણતરીમાંથી મળતી માહિતીનું નીચેનું કોષ્ટક છે.

વર્ષવસ્તીટકાવારીફેરફાર
19418,13,0084.53%
197114,87,3645.37%વધારો
198111,47,2333.44%ઘટાડો
201106,82,6601.38%ઘટાડો

1971થી એવું તો શું થયું કે ખ્રસ્તીઓની વસ્તી ઘટવા માંડી અને 2011માં ઘટીને 1.38% થઇ ગઈ ? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો ત્યારે આ રાજ્યમાં હતો પણ નહિ. કોઈ 'ઘર વાપસી' તો થઇ નહોતી રહી. થયું માત્ર એટલું કે આંધ્રના સંપૂર્ણ તટવર્તી વિસ્તારોમાં આખે આખા ગામેગામ "Christ Village" (એટલકે જ્યાં એક પણ સમ ખાવા પૂરતો  હિન્દુ કે મુસલમાન ના રહ્યો હોય એવું ગામ ) થઇ ગયા પણ લોકોએ હોંશિયારી કરીને સરકારથી પોતાનું ધર્માંતરણ છુપાડયું. હું નથી કહેતો, રાજ્યના સાંસદ જ કહે છે કે રાજ્યની 25% વસ્તી એટલે કે સવા કરોડ લોકો અમેરિકન ડોલર અને બ્રિટિશ પાઉન્ડની તાકાત અને દાદાગીરી ઉપર વટલાઈ ચૂક્યા છે.  

અને જો આ સંસદ સભ્ય (જે ભાજપના નથી ! ) ઉપર વિશ્વાસ ના હોય તો આ નીચે એક બીજો નક્કર પુરાવો છે. 

ગયા જ વર્ષે સપ્ટેમ્બર 2019માં નવા ચૂંટાયેલ ખ્રિસ્તી મુખ્ય મંત્રી જગન રેડ્ડી (હા, એણે પોતાનું નામ બદલ્યું નથી, ગરીબોને છેતરવાનો એનો જન્મસિદ્ધ અધિકાર છે ) એ માત્ર અને માત્ર એને વોટ આપીને સત્તામાં લાવનાર આ 25% પ્રજાના તુષ્ટિકરણ માટે થઈને એક વિચિત્ર યોજના બહાર પાડી કે રાજ્યના બધાં જ દેવળોના પાદરીઓને રાજ્ય સરકાર માસિક 5,000 રૂપિયાનું માનદ વેતન રાજ્યકોષમાંથી આપશે. જોરદાર સેક્યુલારિઝમ ! જયારે આનો વિરોધ થયો તો એણે કહ્યું કે સારું ચાલોને મંદિરના હિન્દુ આચાર્યોને પણ આપો. [બહુ ઉપકાર કર્યો!] હવે મજાની વાત એ છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં 1.38% ખ્રિસ્તી જયારે 90.87% હિંદુઓ છે. આ યોજનામાં 30,00 પાદરી અને 31,000 આચાર્યોને લાભ અપાશે. એટલે માત્ર 6 લાખની ખિસ્તીઓની વસ્તી માટે રાજ્યમાં 30,000 પાદરી અને દેવળો છે ?? દરેક દેવળમાં માત્ર 20 જ ખ્રિસ્તીઓ જાય છે ? અને લગભગ 5 કરોડની હિન્દુ પ્રજાના માત્ર 31,000 આચાર્યો છે? બધી આંકડાની રમત છે. તમે ને હું સાચા આંકડા નથી જાણતા, પણ એને તો વોટ અને સત્તા મળ્યા છે!! એને તો ખબર જ છે કે કેટલા Crypto-Christian (કાયદેસર નામથી હિન્દુ પણ ખાનગીમાં ધર્માંતરણ કરી ચૂકેલા ) છે અને કેટલા ચર્ચ/દેવળો છે. 

હાલમાં બહાર આવેલી વિવાદિત ઘટનાઓ : 

1) જૂન 2019માં આ જગન રેડ્ડીએ તેના કાકા સુબ્બા રેડ્ડીને ટ્રસ્ટના ચેરમેન પડે નિયુકત કરી દીધા. ટ્રસ્ટના નિયમાનુસાર કોઈ પણ બિન-હિન્દુ  વ્યકતિ આ પદ ઉપર નિમી શકાય નહિ. ઉહાપોહ થયો એટલે સુબ્બા રેડ્ડીએ માત્ર એટલું જ કહ્યું કે હું તો જન્મથી હિન્દુ જ છું. જન્મથી હશે પણ હજી છે કે નહિ એતો રામ જ જાણે.

2) ઓગસ્ટ 2019માં તિરૂપતિ મુખ્ય મંદિર સુધી યાત્રીઓને લઇ જતી બસની ટિકિટોની પાછળ ખ્રિસ્તીઓના યાત્રાધામ જેરુસલેમની જાહેરાતો છાપીને ટિકિટોનું વિતરણ કરાતું હોવાનું સમાચારોમાં આવ્યું છે.

3) તિરૂપતિ મંદિરની આજુ બાજુના વિસ્તારો તો ઠીક પણ મંદિરના પ્રાગણમાં ઉભા રહીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનારાઓના વિડીયો યુ-ટ્યુબ પર ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના 'આશીર્વાદ' વગર તો વટાળ પ્રવૃત્તિ આ હદ સુધી પ્રસરે તે શક્ય જ નથી. 


4) 2018માં ટ્રસ્ટના બોર્ડ મેમ્બર તરીકે 'અનિતા' નામની ખ્રિસ્તી વિધાયકને ઉમેરવામાં આવી હતી. હિન્દુ ચૈતન્ય સમિતિના પ્રયત્નો બાદ તેને બોર્ડમાંથી કાઢવામાં આવી હતી. 

5) ટ્રસ્ટના નિયમો મુજબ ટ્રસ્ટમાં કામ કરતો દરેક કર્મચારી હિન્દુ ધર્મ પાળતો હોય તે ફરજીયાત છે. એક અંદાજ પ્રમાણે ઉપર જણાવેલ 23,000માંથી 2,000 એટલે કે આશરે 10% કર્મચારીઓ એવા છે જેઓ ખાનગીમાં ખ્રિસ્તી ધર્મ પાળે છે પણ સરકારી રેકોર્ડમાં 'હિન્દુ અનુસૂચિત જાતિ'ના છે. એટલે જ બોર્ડે જે 44 કર્મચારીઓને પોતાની સાચી ઓળખ છુપાવવા માટે નોકરીમાંથી કાઢી નાખવા અંગે નોટિસ ફટકારી હતી તે કર્મચારીઓએ ટ્રસ્ટ વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો હતો. અને 'માનનીય' કોર્ટે તેમાં પણ આ જૂઠ્ઠા કર્મચારીઓનો પક્ષ લીધો હતો. આપણું ન્યાય તંત્ર જોરદાર છે ! જે તંત્રે હિંદુઓને અયોધ્યામાં પ્રભુ રામની ઉપાસના માટે મંદિર પુનઃ બાંધી આપવા માટે 75 વર્ષ સુધી લટકાવી રાખ્યા એ તંત્ર પાસેથી આશા રાખે એમાં મારી ગણતરી ના કરશો. આ તો મોદી આવ્યા એટલે આ તંત્રમાં પરિવાર વાદની કૃપાથી બની બેઠેલા ન્યાયાધીશોને જખ મારીને નિર્ણય આપવો પડ્યો.

6) સપ્ટેમ્બર 2019માં તિરૂપતિ મંદિરની વેબસાઈટ ઉપરથી હિન્દુ પુસ્તકોના સ્થાને જીસસને લગતી ખ્રિસ્તી પુસ્તકો ડાઉનલોડ કરવા મૂકવામાં આવી હતી.

7) ડિસેમ્બર 2019માં ઉપર જણાવેલ ટ્રસ્ટના Crypto-Christian કર્મચારીઓએ મંદિરની અધિકૃત વેબસાઈટ ઉપર વેંકટેશ્વર સ્વામી (શ્રી કૃષ્ણ) ની જગ્યાએ જીસસની તસવીર લગાવી દીધી.    

જેટલું વધારે વાંચું અને લખું એમ મને પોતાને વધુ દુઃખ થાય છે...એટલે હવે અહીં જ પૂરું કરીએ. 

ટૂંકમાં, કાશ્મીર, કેરળ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, સાત ઉત્તર-પશ્ચિમના નાના નાના રાજ્યોમાં હિન્દુ કાં હાલમાં લઘુમતીમાં છે કાં લઘુમતી થવાની તૈયારીમાં છે. 29 માંથી 11 તો ગયા અને  'સર્વ ધર્મ સમાન'ની મૂર્ખામી ભરેલી માન્યતા પર વિશ્વાસ કરી બેસેલા સ્થાનિક હિંદુઓ હાથ ઘસતા રહી ગયા. હવે પોતાની મૂર્ખામીનું પરિણામ ભોગવે છે. તમને અને મને બીજા ધર્મ માટે દુભાવાના કે દ્વેષ નહિ હોય પણ તેમના મનમાં આપણાં માટે કેટલો તિરસ્કાર છે એ કોઈ દિવસ જાણવાનો પ્રયત્ન કરો તો ખબર પડે. દાખલા તરીકે ખ્રિસ્તીઓના પાયાના મૂળ "10 સિદ્ધાંતો" [10 Commandments] વિશે જાણો છે? એમાંનો આ બીજા જ નંબરનો સિદ્ધાંત વાંચો. આ લોકો તમને અને મને ક્યારેય સ્વીકારી નહિ શકે. એટલે જ સ્વામી વિવેકાનંદ કહેતાં હતા કે જયારે ધર્માંતરણ થાય છે ત્યારે મને એક હિંદુ ઓછો થયો તેના કરતાં એક હિન્દુ/જૈન વિરોધી વધ્યો એનું વધુ દુઃખ છે. આ બીજા નંબરનો સિદ્ધાંત ઇસ્લામ અને ખ્રિસ્તી બંને ધર્મમાં પાયાનો છે. એમના મનમાં જન્મથી જ [અથવા વટલાય કે તરત જ ]  આપણા એટલે કે મૂર્તિ-પૂજકો વિરુદ્ધ ઝેર ભરવાનું ચાલુ થઇ જાય છે. પાલઘરમાં બે હિન્દુ સાધુઓની નિર્મમ હત્યા કોણે કરી હતી અને કેમ કરી હતી થોડું જાણવા પ્રયત્ન કરજો. 

તામિળનાડુમાં અને પંજાબમાં પણ પૂરજોશમાં પ્રયત્નો ચાલુ છે. ત્યાં પણ આધિકારિક વસ્તીના આંકડાઓ અને સાચી સ્થિતિ અંગે સ્થાનિક લોકોને સંદેહ છે....અને જયારે આ વટાળનો વંટોળ આપણાં રાજ્યમાં આવશે ત્યારે આપણાં માટે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ હશે. પણ આપણે તો 'પડશે એવા દેવાશે'ની માનસિકતાવાળી પ્રજા....આમાં ને આમાં જ ક્યાં પડી જઈશું ખબરે નઈ  પડે...

જ્યાં સુધી ધર્મપ્રેમી લોકો રાજકારણમાં નહિ ઝંપલાવે અને રાજ્યોમાં શીર્ષ પદ ઉપર ના પહોંચે ત્યાં સુધી આનો કોઈ ઉપાય નથી. રાજકારણમાં ના પડીએ તો વાંધો નહિ પણ યોગીજી જેવા સાચા સંત-મહાત્મા કે જે આવી સ્થિતિ જોઈને મારા અને તમારા બાળકોના ભવિષ્ય માટે થઈને પોતાના સ્થાનિક રાજ્યના રાજકારણમાં ઝંપલાવી ચૂક્યા છે એમને તન-મન-ધનથી ટેકો કરીએ તોય ઘણું. 

સ્ત્રોત 

1) મંદિરની વાર્ષિક આવક 

2) આંધ્રમાં બેરોકટોક ધર્માંતરણ અંગે સાંસદનો વિડીયો 

3) જસ્ટિસ કોંડિયા રિપોર્ટ 

4) વસ્તી વિશેની વિગતો

Sunday, August 16, 2020

કૃષ્ણ જન્મભૂમિ - ઇતિહાસનું એક ભૂલાઈ ગયેલું પાનું

"સ્વતંત્ર" માં 10 ઓગસ્ટે  છપાયેલા સંધ્યા કૃષ્ણનના લેખથી પ્રેરાઈને....

 આજે (8-11-20) રામ મંદિરના ઐતિહાસિક ચૂકાદા પછીની પહેલી જનમાષ્ટમી હોવાથી એનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણકે રામ જન્મભૂમિ આંદોલનનું સર્વાધિક પ્રચલિત સૂત્ર એ હતું કે "રામ મંદિર તો ઝાંકી હૈ, કાશી મથુરા અભી બાકી હૈ" ! 

યોગાનુયોગ પણ કેવો કે ભવ્ય રામ મંદિરના શિલા-ન્યાસના માત્ર એક જ અઠવાડિયા પછી જનમાષ્ટમી આવી છે. રામ મંદિર માટે આપણા (હિન્દુ, જૈન અને શીખો) અદમ્ય સાહસ, ધીરજ અને 500 વર્ષની અભૂતપૂર્વ લડત વિષે ઘણું જ કહેવાયું છે અને વંચાયું છે પણ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણ જન્મભૂમિનો ઇતિહાસ એમાં ક્યાંક ભૂલાઈ ગયો છે જે રામ જન્મભૂમિ કરતાં પણ વધુ જૂનો છે ? કેટલો જૂનો? 1000 વર્ષ !!!!

આપણે બધાં જ જાણીએ છીએ કે મથુરા શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે. પુરાણોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રભુનો જન્મ શ્રાવણ મહિનાની વદ અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં મધરાતે માતા દેવકીની કૂખે મામા કંસની મથુરા સ્થિત જેલમાં થયો હતો. ડો. વાસુદેવ શરણ અગ્રવાલ અને શ્રી કૃષ્ણ દત્ત વાજપેયી સહિત અન્ય ઘણાં ઇતિહાસકારોએ નોંધ્યું છે કે મથુરામાં હાલમાં જ્યાં શાહી ઇદગાહ મસ્જિદ ઉભી છે તે મૂળ કેશવરાય અથવા તો કેશવ દેવનું મંદિર હતું. 


જન્મભૂમિ - સર્જન અને વિધ્વંસની કથા 

પ્રભુના અહીં જન્મના સ્મૃતિચિન્હ રૂપે અહીં પ્રાચીન સમયમાં મંદિર બનાવાયું હતું. ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની જેમ જ વિદેશી આક્રાંતાઓએ આ મંદિર ઉપર પણ કઈ કેટલીયે વાર આક્રમણ કર્યા છે. પણ દુર્ભાગ્યે સોમનાથ કે જ્યાં મહાદેવે પોતાનું સ્થાન પાછું મેળવ્યું એમ આ મંદિરનો વિવાદ હજી ઉકેલાયો નથી. નીચે આ મંદિરનો સંક્ષિપ્ત ક્રમશઃ ઇતિહાસ વાંચો.

  • મથુરામાં પ્રભુનું સૌ પ્રથમ મંદિર પ્રભુના પ્રપૌત્ર વજ્રનાભે બંધાવ્યું હતું. કહેવાય છે કે વજ્રનાભે દાદા શ્રી કૃષ્ણના ચાર પ્રખ્યાત મંદિરો બંધાવવ્યા હતા અને મથુરાનું શ્રી કેશવદેવનું મંદિર પહેલું હતું. બાકીના ત્રણ હતા ગોવર્ધનમાં શ્રી હરિદેવનું, વૃંદાવનમાં શ્રી ગોવિંદજીનું અને બળદેવમાં શ્રી બળદેવજીનું. 
    • અહીં એક નાની રોચક વાત એ છે કે અહીં ઉલ્લેખ કર્યો છે તે ગોવર્ધનમાં હરિદેવજીનું મંદિર એટલે આપણાં ગુજરાતી વૈષ્ણવોનું મુખ્ય એવું શ્રીનાથજીનું મંદિર. તે પહેલાં ગોવર્ધનમાં હતું જે સમય જતાં રાજસ્થાન નાથદ્વારામાં ખસેડાયું  છે. ઇસ 1665માં અમાનુષી અને હિંદુઓ માટે દૈત્ય સમાન એવા ઔરંગઝેબના વિધ્વંસથી બચાવવા માટે ગોવર્ધનથી પ્રભુની મૂર્તિને રાતોરાત આગ્રા ખસેડવામાં આવી હતી. છ મહિના સુધી પ્રભુ ત્યાં વિરાજમાન રહ્યા અને તેમના માટે કોઈ સુરક્ષિત સ્થળની સઘન તપાસ ચાલુ રહી. મોટા ભાગના રાજ-રજવાડાંઓ મુઘલો સાથે વૈમનસ્ય ટાળવા માટે પ્રભુની મૂર્તિને પોતાના રાજ્યમાં લાવવા માટે આનાકાની કરી રહ્યા હતા ત્યારે મેવાડના મહારાજા રાજસિંહે હિંમત બતાવી. પ્રભુને મુઘલોથી લપતાં છુપાતાં 32 મહિને આગ્રાથી મેવાડ લાવવામાં આવ્યા. નાથદ્વારાના સ્થળની પસંદગી વિષે પણ રોચક વાત છે. જયારે સિહરમાં પ્રભુના રથનું પૈડું ખૂંપી ગયું ત્યારે મહારાજાએ તેને દૈવી સંકેત માન્યો  અને તે સ્થળે નવા નગરનું નિર્માણ કરાવ્યું તે આપણું આજનું શ્રીનાથજી. 
  • ત્યાર બાદ ગુપ્તાકાળમાં સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે આ મંદિરનો વિસ્તાર કર્યો જેને આપણે દ્વિતીય નિર્માણ તરીકે નોંધશું. તેણે મંદિરની ખ્યાતિ અનેકગણી  વધારી. તેણે જ મથુરાનો પણ ઘણો વિકાસ કર્યો અને મથુરાને હિન્દુઓના સાંસ્કૃતિક અને કલાના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું. આ ભવ્ય મંદિરની ખ્યાતિ ચારેકોર ફેલાયા બાદ જ મહંમદ ગઝની તેને લૂંટવામાં બદ-ઈરાદાથી ઇસ 1017માં ચઢી આવ્યો હતો અને આ પ્રાચીન મંદિરને પહેલીવાર જમીનદોસ્ત કરવામાં આવ્યું. તેના પોતાના જ ઇતિહાસકાર અલ ઉતાબીએ તારીખ-એ-યામિની માં નોંધ્યું છે કે "શહેરની મધ્યમાં એક વિશાળ  અને અદભૂત મંદિર હતું જેને સ્થાનિક લોકો દેવતાઓ બનાવ્યું છે એમ કહેતાં....કોઈ પણ જાતનું શાબ્દિક કે ચિત્ર નિરૂપણ મંદિરની ભવ્યતાને વર્ણવવા ઓછું પડશે."
  • મંદિરનું ત્રીજું પુનઃ નિર્માણ ઇસ 1150(વિક્રમ સવંત 1207)માં રાજા વિજયપાળના સમયમાં જજા નામના નિર્માણકારે કર્યું હતું અને કહેવાય છે કે તે ગગનને આંબતું વિશાળ સફેદ મંદિર હતું. 
  • ત્યાર બાદ 300થી વર્ષો સુધી મંદિર અડીખમ રહ્યું અને વૈષ્ણવ પરંપરાના સુપ્રસિદ્ધ સંતો જેવા કે વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુએ શ્રી હરિના દર્શન આ વિજયપાળના બનાવેલા મંદિરમાં કર્યા હતા. 16મી સદીમાં સિકંદર લોઢી એટલે કે નિઝામ ખાને મંદિર ઉપર આક્રમણ કર્યું અને વિનાશ કર્યો.
  • મંદિરનું ચોથું અને અત્યાર સુધીનું છેલ્લું પુનઃ નિર્માણ મુઘલ રાજા જહાંગીરના સમયમાં રાજા વીર સિંહ બુંદેલાએ કર્યું.  
  • છેલ્લે ઇસ 1650માં દૈત્ય ઔરગંઝેબએ મંદિરનો સંપૂર્ણ વિનાશ કર્યો અને મંદિરના જ પાયાઓ ઉપર શાહી ઇદગાહ દરગાહનું નિર્માણ કર્યું. આજેય કોઈપણ પ્રવાસી કે તમે દરગાહની મુલાકાત લઈને એક જ ક્ષણમાં આ પાયાઓને જોઈ શકે છે. [નિમ્ન ફોટોમાં  દર્શાવેલું છે.] 


ઔરંગઝેબ દ્વારા વિધ્વંસ પહેલાનો ઇતિહાસ : 

ઔરંગઝેબના કાળનો અધિકૃત ઇતિહાસ તેના જ નિમાયેલા માણસો દ્વારા લખાયેલા માસીર-એ-આલમગીરીમાંથી મળે છે. ઓરછાનાં મહારાજા વીર સિંહે જહાંગીરના કહેવાથી અક્બરનામાના લેખક અને અકબરના મુખ્ય વજીર શેખ અબુ ફઝલનું કતલ કરાવ્યું હતું. કારણકે જહાંગીરને અબુ ફઝલનો પોતે અકબરનો ઉત્તરાધિકારી હોવાનો દાવો માન્ય  નહોતો. આ કારણસર વીર સિંહે જહાંગીરના મનમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. એટલે મુઘલ સામ્રાજ્યની કમાન પોતાના હાથમાં લીધા બાદ જહાંગીરે વીર સિંહને ભેટમાં શું મેળવવાની ઈચ્છા છે એમ પૂછતાં જ તેણે  કૃષ્ણ જન્મભૂમિ ઉપર ફરી ભવ્ય મંદિર બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી. જહાંગીરે પરવાનગી આપી અને વીર સિંહે ત્યારના 33 લાખની કિંમતે મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું. આપણા હિન્દુઓના કમનસીબે જહાંગીરના પૌત્ર એટલે કે ઔરંગઝેબે આ પુનઃ નિર્માણના માત્ર 50 વર્ષ બાદ ફરી મંદિર ધ્વસ્ત કર્યું. તેના માથા ઉપર 'હિન્દુસ્તાન'ને કાફિરો રહિત એટલે હિન્દૂ-રહિત બનાવવાનું ઝનૂન સવાર હતું. એના કાળમાં થયેલા વિનાશની વિગતો વાંચો/સાંભળો તો અરેરાટી થઇ જાય. માત્ર મંદિરના વિનાશથી તેનું જિહાદી ઝનૂન શાંત નહોતું  થયું, તેણે પ્રભુની મૂર્તિઓને આગ્રામાં સ્થિત બેગમ સાહિબ દરગાહના પગથિયાંઓની નીચે દટાવી દીધી જેથી કરીને મુસલમાન તેમના ઉપર રોજ પગ મૂકીને ખુદાની ઈબાદત કરવા જાય. (કેવો ગજબનો પંથ છે નહિ? 'બીજાઓ' માટે આટલું ઝેર બીજા કોઈ પણ ધર્મના અનુયાયીઓમાં જોયાનું કોઈ ઇતિહાસમાં નોંધાયું નથી ) અને આટલું પૂરતું ન હોવાથી તેણે  મંદિરના સ્થાન ઉપર જ શાહી ઇદગાહ દરગાહનું નિર્માણ કરાવ્યું. અરે હદ તો ત્યારે થઇ કે તેને મથુરાનું નામ બદલીને "ઇસ્લામાબાદ" કરી નાખ્યું ? એક બીજું પણ જાણીતું ઇસ્લામાબાદ આજે દુનિયાના નકશામાં છે, રસ હોય તો તપાસ કરજો તેનું નામ કયું મંદિર ધ્વંસ કરીને રખાયું છે.

સિંધિયાઓ દ્વારા મથુરાનો પુનઃ કબ્જો : 

 સિંધિયા વંશની સ્થાપના પેશ્વા બાજીરાવ પહેલાના સરદાર રાણોજી રાવ સિંધિયાએ કરી હતી. રાણોજીના પાંચમા અને સૌથી નાના પુત્ર મહાડજી સિંધિયાએ ઉત્તરમાં મુઘલોને જોરદાર લડત આપીને મરાઠા સામ્રાજ્યનો વ્યાપ અને પકડ વધારી. 1755માં 25 વર્ષની યુવાન વયે મહાડજીએ મથુરા મુઘલો પાસેથી જીતી લીધું અને મથુરાનો પુનરોદ્ધાર શરુ કર્યો. તેણે શાહી ઇદગાહ દરગાહમાં નમાઝ ઉપર પ્રતિબંધ લગાવી દીધો. મથુરામાં સંસ્કૃત શાળા ફરી સ્થાપિત કરી. આખરે બ્રિટિશ-મરાઠા બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થવાથી મથુરાનો કબ્જો બ્રિટિશરોના હાથમાં ચાલ્યો ગયો. 

બ્રિટિશરો દ્વારા હરાજી અને અલ્લાહાબાદ (હવે તો પ્રયાગરાજ !!) કોર્ટમાં દાવો : 

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ રાજ દરમ્યાન 1815માં સંપૂર્ણ કૃષ્ણ જન્મભૂમિ વિસ્તારની [કટરા કેશવ દેવ વિસ્તાર તરીકે પ્રચલિત] જમીનની હરાજી કરી અને બનારસના રાજા પટણીમળે ફરી મંદિર ઉભું કરવામાં સંકલ્પ સાથે જમીન ખરીદી લીધી. તેઓ તેમ કરવામાં અસફળ રહ્યા અને જમીન તેમના વારસદારો પાસે આવી. આ વારસદારોએ મંદિર પાછું ઉભું કરવામાં ઢીલ મૂકી અને તેનો ફાયદો લેવા માટે ઇસ 1930માં મથુરાના મુસલમાનોએ અલ્લાહાબાદ હાઇકોર્ટમાં રાજા પટણીમળના વંશજ રાજા કૃષ્ણદાસ વિરુદ્ધ બે દાવા ઠોકી દીધા. કોર્ટે બંને દાવાઓ રદ્દ કરી દીધા અને રાજા કૃષ્ણ  દાસના પક્ષમાં ફેંસલો આપ્યો. ટૂંકમાં આઝાદી પહેલાં જ 1935માં આ કેસો રદ્દ થવાથી જમીન આપણાં હિંદુઓ પાસે આવી ચૂકી હતી પણ પિક્ચર અભી બાકી હૈ દોસ્ત....

પંડિત માલવિયા દ્વારા જમીન સંપાદન 

જયારે 1940માં પંડિત મદન મોહન માલવિયા મથુરા આવ્યા ત્યારે કૃષ્ણ જન્મભૂમિની  બદહાલ સ્થિતિ જોઈ ખૂબ જ વ્યથિત થયા. તેમણે ત્યારના જાણીતા ઉદ્યોગપતિ જુગલ કિશોર બિરલાને પત્ર લખ્યો અને જન્મભૂમિ ઉપર શ્રી કૃષ્ણના મંદિરની પુનઃ સ્થાપના માટે સહાય માંગી. માલવિયાજીની ઈચ્છાને માન આપતાં બિરલાજી એ તરત જ રાજા પતણીમળના વંશજો પાસેથી સંપૂર્ણ જન્મસ્થાન સંકુલ ફેબ્રુઆરી 4 1944ના રોજ ખરીદી લીધું. દુર્ભાગ્યે મંદિરની સ્થાપના કરી શકે તે પહેલાં જ માલવિયાજી અવસાન પામ્યા અને તેમની ઈચ્છા પ્રમાણે બિરલાજીએ 21 ફેબ્રુઆરી 1955ના રોજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની સ્થાપના કરી અને જમીન ટ્રસ્ટને સોંપી દીધી. ત્યારના આગળ પડતાં  હિન્દૂ આગેવાનો જેવા કે શ્રી જયદયાળ દાલમિયા અને અન્ય લોકોને ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા. આગળ જતાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘનું ગઠન કરવામાં આવ્યું કે જેને મંદિરના બાંધકામ અને જાળવણીની જવાબદારી આપવામાં આવી. [જમીનની માલિકી ટ્રસ્ટ હસ્તક જ રહી]

મુસલમાનોનો જમીન હડપવાનો વધુ એક પ્રયાસ અને 1968નો કરાર :

ઉપર જણાવેલ ફેરફારોથી જન્મેલી ઈર્ષ્યાથી પ્રેરાઈને મુસલમાનોએ ફરી એક વાર જમીનની માલિકીનો દાવો કોર્ટમાં કર્યો. 1960માં આ દાવો પણ કોર્ટે રદ્દ કરી દીધો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માલિકી તો કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની જ છે પણ મુસલમાનોને ઈદ દરમ્યાન શાહી ઇદગાહમાં નમાજની છૂટ આપવામાં આવે છે. [આ આપણી કહેવાતી 'સેક્યુલર' કોર્ટો અને સરકારોમાં  આપણાં જ પૈસે બની બેઠેલા નપુંસકોની ફોજે જ દેશનો દાટ વાળ્યો છે. જો જમીનની સંપૂર્ણ માલિકી ખાનગી ટ્રસ્ટની હોય તો નમાજની છૂટ આપવી કે નહિ તે ટ્રસ્ટનો અધિકાર છે, એમાં કોર્ટે બંધારણના કાયા કાયદાની  હેઠળ ચંચૂપાત કરી તેની સમય મળે ઊંડાણમાં તપાસ કરવાની ઈચ્છા છે, કોણ જજ હતો જાણવું છે. ]

આ શાહી ઇદગાહને અડીને જ [તેને તોડીને તેના સ્થાન ઉપર બનાવવાના બદલે ] જન્મસ્થાન ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું. આ દરમ્યાન રાજકીય વાતાવરણ બદલાઈ રહ્યું હતું. 1967માં કોંગ્રેસ ઉત્તર પ્રદેશ વિધાન સભાની ચૂંટણી હારી  અને કોંગ્રેસમાંથી જ છૂટા થઈને અને વિધાનસભામાં બીજા સૌથી મોટા પક્ષ એટલે કે જન સંઘ ( ભાજપના પપ્પા )ના ટેકાથી ચરણ સિંહ મુખ્યમંત્રી બન્યા. ફેબ્રુઆરી 1968માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી દીધી અને બધાં જ બિન-કોંગ્રેસ શાસિત પ્રદેશો પોતાના હસ્તક લઇ લીધા.  આ સમયમાં રાષ્ટ્રપતિ શાસનમાં ખાન-ગ્રેસ [હા આજ કોંગ્રેસનું સાચું નામ છે ]ના સેક્યુલરોના દબાણ હેઠળ ઇદગાહનું વ્યવસ્થાપન અને સંચાલન શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘે શાહી મસ્જિદ ઇદગાહ ટ્રસ્ટને સોંપવું પડ્યું. અને ઇદગાહ ટ્રસ્ટે એટલી ઇદગાહ પૂરતી જમીન સિવાય આજુબાજુની જમીન ઉપરનો દાવો જતો કર્યો. શકય છે કે આ અન્યાય અને બાંધછોડ પાછળ ઇન્દિરા ગાંધીનો હાથ હોય. આ ફેરફાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને આપણી 'માનનીય' કોર્ટે માન્ય રાખ્યું. 

ગેર-બંધારણીય બાંધછોડ 

આ બાંધછોડમાં પાયાની વાત એ છે કે કરાર ઉપર સહી શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘે કરી હતી જેને આ જમીનની માલિકીને લઈને કોઈ પણ નિર્ણય કરવાનો અધિકાર જ નહોતો. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘની સ્થાપના તો માત્ર મંદિરના બાંધકામ અને જાળવણી હેતુથી કરવામાં આવી હતી, માલિકી તો શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ પાસે હતી. કોર્ટે આવા પાયાવિહોણા કરારને  માન્યતા કેવી રીતે આપી દીધી ? સાલા આવા જજોને કે જેમના લીધે દેશની સમરસતા અને એકસૂત્રતામાં ઝેર ફેલાય છે અને પવિત્ર ન્યાયાલયમાં બંધારણીય પદ ઉપર બેસીને છડેચોક હિંદુઓ સાથે અન્યાય કરે છે એમને જાહેરમાં ટાંગી દેવા જોઈએ.

ઉપાસના સ્થળ કાયદો (1991) Places of Worship Act:

1980થી સમય બદલાયો છે, વિશ્વ હિન્દૂ પરિષદ અને સંઘ પરિવારના અથાગ પ્રયત્નોથી હિંદુઓમાં ચેતના, હિંમત અને એકતા ફરી પાછી આવી રહી છે. 1989માં રામ જનભૂમિ ચળવળ ચરમ સીમાએ પહોંચી ચૂકી હતી. મુસલમાનોની મસીહા એવી ખાન-ગ્રેસને આવનારા સમયના એંધાણ આવી રહ્યા હતા અને તેથી જ 1991માં માત્ર અને માત્ર હિંદુઓ પોતાના તોડી પાડવામાં આવેલા મંદિરો ફરી ઉભા ના કરે તે બદ-ઈરાદાથી કોંગ્રેસે આ નવો કાયદો પસાર કર્યો કે જે 15 ઓગસ્ટ 1947થી હયાત કોઈ પણ મસ્જિદને મંદિરમાં ફેરવવા ઉપર પ્રતિબંધ મૂકે છે.  રામ જન્મભૂમિને આ કાયદામાં એક માત્ર અપવાદ તરીકે ગણવામાં આવ્યું હતું. 

ઉકેલ: 
ઉકેલ બહુ જ સરળ છે. કોર્ટ પોતાની ભૂતકાળમાં થયેલી ચૂક સ્વીકારી લે અને શાહી ઇદગાહને આપવામાં આવેલી નમાજની મંજૂરી તેમ જ ઇદગાહ ટ્રસ્ટને આપવામાં આવેલો ઇદગાહના વ્યવસ્થાપનનો અધિકાર અમાન્ય કરી દે. માલિકીને લઈને તો કોઈ વિવાદ જ નથી. પણ તકલીફ એટલી છે કે આ ખાંગ્રેસે અમલમાં લાવેલો 1991નો કાયદો રદ્દ થાય પછી જ આ દિશામાં પહેલ થઇ શકે. ઇજિપ્તમાં અબુ સિમ્બલ ઉપાસના સ્થળમાં આવું જ કૈક કોકડું ગૂંચવાયેલું હતું અને ત્યાંની સરકારે તેને અન્ય સ્થળે ખસેડ્યું હતું. મથુરામાં પણ અયોધ્યાની જ જેમ કૃષ્ણ જન્મભૂમિથી દૂર મુસલમાનો જ્યાં ઈચ્છા હોય ત્યાં દરગાહ ખસેડી લે. આમપણ ઇસ્લામમાં સનાતન ધર્મની જેમ જમીન, નદીઓ, વૃક્ષો કે પર્યાવરણને દૈવી ગણીને તેમને પૂજવામાં નથી આવતા. ઉલ્ટાનું તેના ઉપર તો ઇસ્લામમાં સખત પ્રતિબંધ છે. એમને તો જમીન માત્ર અને માત્ર એટલા માટે પોતાના હસ્તક રાખવી છે કે હિન્દુઓના અપમાનના ઘા ક્યારેય ભરાય નહિ અને તેમને સદાય સ્મરણ રહે કે તેમના પૂર્વજો અને પૌરાણિક કેશવ દેવ મંદિર  સાથે ભૂતકાળમાં શું થયું હતું. આ વિવાદ રામ જન્મભૂમિના વિવાદની સરખામણીમાં ખૂબ જ સરળ છે અને સહેલાઈથી ઉકલી શકે એવો છે. જરૂર છે તો માત્ર હિંદુઓ એક થઈને માંગણી કરવાની અને સરકાર માટે આની કેટલી પ્રાથમિકતા છે તેની. 

છેલ્લે છેલ્લે, મથુરામાં કૃષ્ણ જન્મભૂમિના વિવાદમાં મહાનાયકની ભૂમિકા ભજવી એટલે જ ખાંગ્રેસે દેશના બધાં જ અભ્યાસક્રમોમાં આજ દિન સુધી મદન મોહન માલવિયાજીને માત્ર હાંસિયાનું સ્થાન આપ્યું છે. આ સદીના હિન્દુઓના મહાનાયક એવા આપણા લોકલાડીલા મોદી સાહેબે 2014માં એટલે કે પ્રધાન મંત્રી તરીકે સત્તારૂઢ  થયાના પહેલાં જ વર્ષે ડિસેમ્બરમાં માલવિયાજીને મરણોપરાંત ભારત રત્નનો ખિતાબ અર્પણ કર્યો.


જય શ્રી કૃષ્ણ ।

સ્ત્રોત :

Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...