Monday, July 29, 2019

આવો જાણીએ : દારુલ ઉલૂમ દેવબંદ


નોંધ : લાંબો  લેખ.

તમે ફતવો એટલે શું જાણો છો? સમાચારમાં છાશવારે કૂતુહલ પ્રેરે એવા અથવા હાસ્યાસ્પદ  જાતજાતના ફતવાના સમાચાર આવતાં  જ રહેતા હોય છે એટલે એમ માનીને ચાલીશ કે તમે જાણો છો. તે છતાંય  જેમને જાણ નથી એમના માટે આ 2-4 સેમ્પલિયા નીચે મુકું છું, વિસ્તારથી વાંચવા હોય તો અંતમાં  કડીઓ પણ મુકેલી  છે.






મને આ ફતવાઓમાં બે કારણથી રસ પડ્યો. પહેલું તો એ કે આ છાપાવાળા જેમના માટે પહેલાથી લઈને છેલ્લા પાના ઉપર જાહેરાતો છાપવી અને આવક રળવી પ્રાથમિકતા હોવા છતાં આ સમાચારોને સ્થાન આપે છે એની પાછળ કૈક કારણ હોવું જોઈએ. અને બીજું એ કે કોઈક તો એમના ફતવા માનતું હશે ને? તો જ એ લોકો બહાર પાડતાં હશે. જો એમને માનનારો વર્ગ જ ના હોય તો પછી એ લોકો બોલે જ શું કામ? કોઈ હાંસીપાત્ર થવા માટે તો અટપટા નિયમો(ફતવા) અંગે જાહેરાત ના કરે ને? દાખલા  તરીકે હું કે તમે કે કોઈ પણ હિન્દૂ સંગઠન એમ જાહેરાત કરે કે ગુજરાતની દરેક શાળામાં ભગવદ ગીતાના નિયમિત પાઠ થવા જોઈએ તો કોઈ આપણી વાત સમાચારમાં છાપશે? કોઈ આપણને ગણકારશે?

મોટા ભાગના બિન-મુસ્લિમ લોકો સૌથી પહેલાં તો આ મુદ્દામાં ના રસ લે છે ના વાત કરે છે. અને વાત કરવા દબાણ કરો તો બહુ બહુ તો એટલું  કહેશે કે 'હા હવે, કોઈકે ફતવો બહાર પાડ્યો, એમાં આપણે શું?' 

બસ, આજે મારે આજ બે મુદ્દા પર વાત કરવી છે.

1) આ 'કોઈક'  કોણ છે?
2) "આપણે શું?"

પહેલાં મુદ્દાનો ટૂંકોને ટચ જવાબ છે આ 'કોઈક' છે દારુલ ઉલૂમ  દેવબંદ. અને આપણે શું એ સમજવા માટે પહેલાં દેવબંદને ઊંડાણથી જાણવું પડશે. અને દેવબંદને જાણવા પહેલાં અત્યાર સુધીની ઇસ્લામની સફરને ટૂંકમાં સમજવી  પડશે.

ઇસ્લામનો સંક્ષિપ્ત પરિચય :

ઇસ્લામની સ્થાપના મુહંમદ પયગમ્બરે કરી. મુહંમદ પયગંબરના અવસાન બાદ તેમના અનુગામી અંગે બે મત  ઉભા થયા. ત્યાંથી ઇસ્લામના બે ફાંટા થયા. આ બે ફાંટા છે, સુન્ની અને શિયા. આ બંને વચ્ચે ફરક એ છે કે મોટા ભાગના ત્યારના મુસલમાનો એ મતના હતા કે મુહંમદના સસરા અને મિત્ર અબુ બકરને મુહંમદે અનુગામી નીમ્યા છેએમને  માનનારા વર્ગનો ફાંટો સુન્ની કહેવાયો. જયારે એક વર્ગ એવું માનતો હતો કે મુહંમદે તેના પિતરાઈ ભાઈ તેમ જ જમાઈ (?!)  એવા અલી ઈબ્ન અબી તાલિબને અનુગામી નીમ્યા છે. અલીને અનુગામી માનનારા શિયા કહેવાયા.  દુનિયામાં 90% મુસલમાનો સુન્ની છે અને માત્ર 10% જેવા શિયા છે.  આપણાં દેશમાં ઠેક-ઠેકાણે દર વર્ષે  'તાજીયા ' ના જુલુસ નીકળે છે એ જોયા છે? ઇસ્લામિક કેલેન્ડરના પહેલા અને પવિત્ર મહિના મોહર્રમના દસમાં દિવસે આ જુલૂસમાં માતમ મનાવનારાઓ શિયા છે  જેઓ મુહંમદ પૈગંબરના પૌત્ર હુસૈન ઈબ્ન અલીના મોતના શોકમાં પોતાની જાતને ઘાતક હથિયારોથી ખૂબજ જખ્મી કરે છે. મને બાળપણમાં એમના છાપામાં ફોટાઓ જોઈને પણ અરેરાટી થતી હતી.એમાં 7-8 વર્ષના બાળકો પણ હોય છે. નાના છરાઓનો ઝૂડો બનાવીને એને ફંગોળીને પોતાની જ  પીઠ ઉપર વાર કરે. એક-બે વાર નહિ, પોતે જ લોહી-લુહાણ થઇ જાય ત્યાં સુધી કરે. આવો માતમ સુન્નીઓ મનાવતા  નથી. સુન્નીમાં હનફી પંથને માનવા વાળા સૌથી વધુ સંખ્યામાં છે. એટલે ટૂંકમાં દુનિયામાં આજની તારીખે 7.7 અબજની દુનિયાની વસ્તીમાં જે 1.8 અબજ મુસલમાનો છે એમાંથી 1.5 અબજ સુન્ની છે અને એમાંય મોટા ભાગના હનફી છે.

અરબી શબ્દ "શરિયા " નો મૂળ અર્થ થાય છે "માર્ગ". એટલે કુરાનના સંદર્ભમાં શરિયા એટલે ખુદાએ બતાવેલો માર્ગ. જોકે સામાન્ય વ્યવહારમાં શરિયાનો અર્થ ઇસ્લામિક કાયદો કે કાનૂન  એમ કરવામાં આવે છે. એટલે કુરાનના સંદર્ભમાં શરિયા એટલે ખુદાનો કાયદો કે કાનૂન. હવે જ્યાં સુધી પયગમ્બર મુહંમદ જીવિત હતા ત્યાં સુધી તો તેમણે ખુદાના 'દૈવી" નિયમોનું (જેનું સંકલન એટલે કુરાન)  તત્કાલીન મુસલમાનો માટે અર્થઘટન  કરી આપ્યું પણ એમના અવસાન બાદ વધુ ભણેલા અને સમજદાર/ વિશેષજ્ઞ મુસલમાનો ઉપર આ દૈવી નિયમોની સ્પષ્ટતા કરવાની જવાબદારી આવી.કુરાનના આ "દૈવી" નિયમો સ્પષ્ટ નહોતા કે વિશેષજ્ઞો પણ એકમત થઈને એનું અર્થઘટન કરી શકે એટલે 11મી સદીના અંતની આસપાસ ચાર જુદા જુદા વ્યકતિઓએ જુદું જુદું અર્થઘટન કર્યું અને અર્થઘટન કરનારાઓના નામો પરથી સુન્ની-ઇસ્લામના જે ચાર પંથ થયા તે  છે હનફી,  માલિકી, શાફી  અને હંબલી. બીજા પણ ઓછા અંશે ફેલાયેલ પંથો છે જેવા કે સલાફી, ઝાહીરી વગેરે. પણ આ પંથોની મુખ્ય પંથોમાં ગણતરી થતી નથી. આ પંથોમાં કુરાનની આયતોના અર્થઘટનમાં ફેર છે અને ઘણાં  ફરક રમૂજી છે. દાખલા તરીકે સ્ત્રીઓએ કપડાં  કેમ પહેરવા એ અંગે એમના મત જુદા જુદા છે. હનફી અને માલિકી પંથ એમ કહે છે કે સ્ત્રીઓએ હાથ અને મોઢાને બાદ કરતાં  પૂર્ણ શરીર ઢાંકવું જોઈએ અને શાફી  અને હંબલી પંથ (કે જે ખૂબ જ રૂઢિચૂસ્ત છે ) કહે છે કે હાથ અને મોઢા સહીત આખું શરીર ઢાંકવું.


આ બધાં  જ પંથોમાં એક સામ્યતા છે કે તેમણે  મુસલમાનો માટે જીવનકાર્યોને પાંચ નૈતિક વિભાગોમાં વહેંચ્યા છે. પંથ પ્રમાણે કયું કાર્ય આ પાંચમાંથી કયા વિભાગમાં આવે છે એમાં ભિન્નતા હોઈ શકે.

1) ફરજીયાત
2) કરવા યોગ્ય
3) તટસ્થ અભિગમ (કરવું ના કરવું વ્યક્તિ ઉપર)
4) કરવા અયોગ્ય
5) પ્રતિબંધિત

જો તમને મારી જેમ ઓફિસોમાં રજૂ થતાં ચાર્ટ જેવા રિપોર્ટમાં રસ પડતો હોય તો આ નીચેની છબિમાં આ ચાર પંથ વિશે ઘણી વિગત આપેલી છે.

આડ વાત : ઇસ્લામના આ કુરઆનમાં જણાવાયેલા આ "દૈવી" નિયમો શું છે?  નિયમો કે જે ફરિશ્તા (દેવદૂત - દેવનો દૂત, અલ્લાહનો દૂત )  જીબરિલે(Angel Gabriel) ઇ.સ. 610થી 632ના સમયગાળામાં મક્કા નજીક "હિરા" નામની ગુફામાં મુહંમદ  પૈગમબરને  કહ્યા.

આ ઉપરાંત ઇસ્લામના પાંચ મુખ્ય સ્તંભ છે. ગમે તે પંથનો હોય પણ દરેક મુસલમાન આ પાંચ બાબતોને સ્વીકારીને એને આધીન જીવન ગાળે છે. આ પાંચ બાબતો નીચે પ્રમાણે છે.

1) શહાદા  : મુસલમાનના મુખ્ય મતની  શપથ કે ઘોષણા. જેમ બ્રાહ્મણો જનોઈ દરમ્યાન કે વૈષ્ણવો બ્રહ્મ સંબંધ લેતા અમુક નિયમો પાળવાનું વચન આપે એના જેવું.

શહાદા  આ પ્રમાણે છે...

લા ઇલાહા ઇલ્લલ્લાહ, મુહમ્મદુન રસુલુલ્લાહ  

અર્થ : અલ્લાહ એકમાત્ર પરમેશ્વર છે [બીજો કોઈ ભગવાન નથી ] અને મુહંમદ અલ્લાહના રસૂલ છે. રસૂલ  એટલે અલ્લાહનો પૈગામ (સંદેશ) લાવનાર - પૈગમ્બર.

2) નમાઝ  - રોજિંદી પાંચ નમાઝ  અદા  કરવી.

3) જકાત - ધર્મ અર્થે દાન - જે મુસલમાનોની આવક અમુક લઘુત્તમ મર્યાદા  (કે જેને નિસાબ કહે છે) કરતાં ઉપર હોય  તેમણે  પોતાની આવકના ઓછામાં ઓછું 2.5% નું દાન કરવું.

4) ઉપવાસ/રોજા  - પવિત્ર માસ દરમ્યાન કુરાનના નિયમો પ્રમાણે રોજા  રાખવા.

5) હજ  - જીવનમાં શક્ય હોય તો ઓછામાં ઓછી એક વાર હજ કરવી.

હવે મૂળ વિષય પર આવીએ.

પરિચય : 
દારુલ ઉલૂમ  દેવબંદ એ ઉત્તર પ્રદેશના સહારનપુર  જિલ્લમાં આવેલા નાનકડાં  શહેર દેવબંદ સ્થિત ભારતનું જ નહિ પણ દુનિયાભરનું સર્વાર્ધિક પ્રચલિત અને દુનિયાભરના મુસલમાનો ઉપર પકડ અને પ્રભાવ ધરાવતું એક વિશાળકાય મદરેસા સંકુલ છે જેને 2017માં 150 વર્ષ પૂરા થયા. પોસ્ટમાં સૌથી પહેલો ફોટો આ સંકુલનો છે.  મદરસો એટલે માત્ર અને માત્ર મુસલમાન બાળકો માટે બનેલી શાળા/વિદ્યાલય. આની સ્થાપના મુહમ્મદ કાસિમ નાનોત્વીએ અને હાજી આબિદ  હુસૈને 1866માં ઇસ્લામના સુન્ની ફાંટાના હનફી વિચારધારાના વિસ્તાર હેતુથી કરી હતી. એક સ્થાપકના નામમાં જે 'નાનોત્વી' જોડાયેલું છે એ એમના મૂળ ગામ નાનોતિનું સૂચક છે અને તેઓ મૂળ તલવારની ધાર પાર વટલાયેલા 'ગુજજર' પરિવારના વંશજ હતા.[12] આજની તારીખે અધિકૃત રીતે ભારતમાં 3000 થી વધુ મદરેસાઓમાં (અને અનધિકૃત બીજા કેટલાય) તથા વિદેશના મદરેસાઓમાં આ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવતી શૈક્ષણિક માહિતી પ્રમાણે ભણાવાય છે.

ઉપરનો ફકરામાં  "દુનિયાભરના મુસલમાનો ઉપર પકડ અને પ્રભાવ ધરાવતું" એ શબ્દો વાંચીને ઘણાં  લોકોની ભ્રમરો ઉંચકાશે, અવિશ્વસનીય લાગશે.  આમે આપણાં ત્યાં પોતાના લોકો જે વાત કરે એને લોકો જલ્દી સ્વીકારતા નથી એટલે જ આ નીચેનો એક લેખનો ટુકડો વાંચો.આ લેખકે તો દેવબંદને ઇસ્લામ જગતનો 'ધ્રુવનો તારો ' અને 'ઇસ્લામનો ગઢ'ની ઉપમા આપી છે. એશિયાના 50 કરોડ મુસલમાનો ઉપર તેમનો પ્રભાવ છે.



એટલે વાત એમ છે કે આ 'કોઈક' કોઈ જેવી તેવી સંસ્થા નથી. દુનિયાભરમાં એનો ડંકો  વાગે છે. તમને અને મને આપણી અજ્ઞાનતાના લીધે એમના વિષે બહુ ખબર નથી એ અલગ વાત છે. ત્યાં આજની તારીખે પણ અફઘાનિસ્તાન , ઈરાન, બર્મા , ઇન્ડોનેશિયા, મલેશિયા, તુર્કી  ઉપરાંત આફ્રિકાના મુસલમાન બહુલ દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. [આ માહિતી સંસ્થાની અધિકૃત વેબસાઈટ ઉપરથી લેવામાં આવી છે.] એટલે આગળ વધીએ એ પહેલાં એટલું સમજો કે આ  સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવતાં ફતવાઓની અસર માત્ર ભારતમાં જ નહિ પણ ભારતની સીમાઓથી ક્યાંય દૂર સુધી ફેલાયેલી છે અને એમને સ્વીકારનારો/માનનારો વર્ગ અત્યંત વિશાળ છે. જેમ આજના હિંદુઓ પોતાના ધાર્મિક પ્રશ્નોને કે રોજિંદી જીવનના પ્રશ્નો લઈને સદગુરૂ જગ્ગી વાસુદેવ કે પંડિત શ્રી રવિશંકર કે મોરારિ બાપુ કે રમેશભાઈ ઓઝા કે અવધેશાનંદજી એવા જુદા જુદા પંથના ધર્માચાર્યો પાસે જાય એમ મુસલમાન સમાજના લોકો આ સંસ્થામાંથી સ્નાતક થયેલા મૌલવીઓ કે મૌલાનાઓ પાસે જાય છે. અને ઘણી વાર સામાન્ય મુસલમાનોના સવાલોના જવાબમાં જ આ ફતવા બહાર પાડવામાં આવે છે.

દેવબંદનો અભ્યાસક્રમ :

દેવબંદ સુન્ની ઇસ્લામના સૌથી વધુ ફેલાયેલા ચાર પંથમાંનો  એક એવા હનફી ઇસ્લામના નિયમો અને રિવાજો પ્રમાણેની બાળકોને તાલીમ આપે છે.આ હનફી  પંથ કે વિચારધારાની શરૂઆત  ઈ. સ. 767 ની આસપાસ કુફા, ઇરાકમાં અબુ હનીફા નામના વ્યકતિએ કરી હતી.

અહીં 18મી  સદીમાં સ્થાપિત દરસ -એ-નિઝામીના અભ્યાસક્રમ પ્રમાણે ભણાવાય છે જેમાં મુખ્યત્વે કુરાન , હદીસ અને તેના ઉપરના ભાષ્ય ઉપરાંત મુહંમદનું જીવન ચરિત્ર, અરબી ભાષા, તેનું વ્યાકરણ અને સાહિત્ય તેમ જ ફારસી ભાષા શીખવાડાય છે.અભ્યાસક્રમની જુદી જુદી શ્રેણીઓ છે.

1) નાઝીરા  - પ્રાથમિક શ્રેણીમાં 5 વર્ષના અભ્યાસમાં ઉર્દુ, હિન્દી, ફારસી અને અંગ્રેજી ભાષા શીખવાડાય છે.
2) હિફઝે  કુરાન - આમ 2થી 4 વર્ષમાં આખું કુરાન મોઢે કરાવાય છે.
3) ફઝીલત - આ અનુ -સ્નાતક (post-graduate) શ્રેણીનો અભ્યાસ છે કે જે 8 વર્ષનો હોય છે અને આ પૂર્ણ કરનારને "મૌલવી"ની ઉપાધિ (Degree) મળે છે. આ ઉપાધિ મળ્યા બાદ જ વ્યક્તિ મોટા ભાગના મસ્જિદોમાં મૌલવી તરીકે નિમાઈ શકે છે.
4) છેલ્લો Ph. D. શ્રેણીનો અભ્યાસ છે જે પૂર્ણ કરનારને "મુફ્તી"ની ઉપાધિ આપવામાં આવે છે.

જો તમે વાંચતા વાંચતા અહીં સુધી પહોંચ્યા હો તો તમને ધન્યવાદ. પણ કદાચ તમને થતું હશે કે યાર તે પોસ્ટની શરૂઆત ક્યાં કરી હતી અને આ બધું વચ્ચે શું વધારાનું ભર્યું છે. મૂળ વાત પાર આવને. તો ચાલો હવે વાત કરીએ કે આ ઉપર જણાવેલ અભ્યાસક્રમ જે 150 વર્ષથી લાખો  નહિ બલ્કે કરોડો મુસલમાનોને અહીં-તહીંના નાના -મોટા સુધારા સાથે ભણાવવામાં આવ્યો છે એનું પરિણામ શું આવ્યું છે...

તમે West Point નું નામ સાંભળ્યું છે? ભારતમાં જેમ NDA(National Defense Academy) અથવા IMA (Indian Military Academy) સર્વશ્રેષ્ઠ  લશ્કરી તાલીમની સંસ્થાઓ ગણાય છે તેમ, તેમના કરતાં ક્યાંય વધુ જૂની અને જાણીતી અને દુનિયાની સર્વશ્રેષ્ઠ લશ્કરી તાલીમ સંસ્થા એટલે અમેરિકાની West Point. આ West Point માં એક કેન્દ્ર છે જે Combating Terrorism Center (CTC ) તરીકે ઓળખાય છે, તેની સ્થાપના 2001માં અમેરકા ઉપર થયેલા 9/11ના હુમલા બાદ કરવામાં આવી હતી. આ કેન્દ્ર દુનિયાભરના આતંકવાદી હુમલાઓ અને ગતિવિધીઓ ઉપર ચાંપતી નજર રાખે છે. આ કેન્દ્રે 2009ના નવેમ્બર મહિનાના તેના રિપોર્ટમાં દેવબંદ ઉપર ખૂબ વિસ્તારથી માહિતી પ્રકાશિત કરી હતી. આ આખો રિપોર્ટ અંગ્રેજીમાં અહીં ઉપલબ્ધ છે પણ હું વાચકો માટે તેના મુખ્ય મુદ્દાઓનો અનુવાદ કરી રહ્યો છું. આ લેખના NRI લેખક શ્રી લવ પુરી સાહેબ ન્યુ યોર્ક યુનિવર્સીટીના ફૂલ -બ્રાઇટ વિશેષજ્ઞ છે અને તેઓ 2006માં યુરોપિયન કમિશનનો એશિયામાં માનવાધિકાર અને લોકશાહી ઉપર અધ્યયન માટે પુરસ્કાર મેળવી ચૂકેલ છે.




રિપોર્ટના મુખ્ય મુદ્દા 

  • 1866માં શરુ થયેલી આ સંસ્થા દારૂલ ઉલુમ દેવબંદના 100 વર્ષ જયારે 1967માં પૂરા થયા ત્યાં સુધીમાં સંસ્થામાંથી કુલ 7417 મૌલવીઓ ભણીને બહાર નીકળ્યા છે જેમાંથી 3795 ભારતીય, 3191 પાકિસ્તાની અને 431 અન્ય દેશોમાંથી હતા. અન્ય દેશોમાં ચીન, મલેશિયા અને અફઘાનિસ્તાનનો  સમાવેશ થાય છે. 
  • સંસ્થાના જયારે 100 વર્ષ પત્યા ત્યારે 1967માં તેની દુનિયાભરમાં કુલ 8934 શાળાઓ (મદરેસાઓ) હતા. આજની તારીખે તો આ આંકડો ઘણો વધારે છે. પણ પાક્કો આંકડો મળતો નથી.
  • 1947માં ભારતના ભાગલા બાદ સંસ્થામાંથી સ્નાતક થયેલા ઘણાં ખરા મૌલવીઓ પાકિસ્તાન ચાલ્યા ગયા જેને લીધે ઉપર 3191 નો આંકડો પાકિસ્તાન માટે આપેલ છે. 
  • દુરંદ સીમા રેખાની બંને બાજુ (પાકિસ્તાન અને અફઘાનિસ્તાન) માં વસતા પશ્તુનોમાં આ દેવબંદી ઇસ્લામ સૌથી વધુ પ્રચલિત છે. 
  • જાણીતા પશ્તુન નેતા અબ્દુલ ગફાર ખાને દેવબંદી અભ્યાસક્રમ પ્રમાણેની ઘણાં સ્થાનિક દેવબંદી મદરેસાઓ ચાલુ કર્યા  હતા.
  • અફઘાનિસ્તાનના તાલિબાનીઓ મૂળ દેવબંદી ઇસ્લામ ભણેલા છે. સાઉદી અરબના હસ્તક્ષેપના કારણે અફઘાનિસ્તાનના દેવબંદી ઇસ્લામમાં વહાબી ઇસ્લામ (કે જે સૌથી કટ્ટર ઇસ્લામી  પંથ ગણાય છે) ના વિચારો ભેળવી દેવામાં આવ્યા છે.
  • તાલિબાનનો એક વખતનો નાયક મુલ્લાહ ઓમર દેવબંદી મદરેસામાં ભણ્યો હતો. તે 2013માં ક્ષય (TB) રોગના લીધે મર્યો.
  • મોટા ભાગના અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં તાલિબાનના કમાન્ડરો દેવબંદી ઇસ્લામ ભણેલા હોય છે. પાકિસ્તાન સ્થિત તાલિબાન જૂથ તેહરીક-એ-તાલિબાન તરીકે ઓળખાય છે. 
  • 1990ની આસપાસથી ભારત સરકારે વિદેશથી દેવબંદમાં ભણવા આવતાં  વિદ્યાર્થીઓની ખૂબ જ સઘન તપાસ આદરી છે અને બહુ બધી ચકાસણી કર્યા બાદ અમુક ગણતરીનાને જ વિસા  આપવામાં આવે છે. ભારત સરકારને ચિંતા છે કે પાકિસ્તાન/અફઘાનિસ્તાનથી આવતાં વિદ્યાર્થીઓ કે જે ત્યાં દેવબંદીમાં ભળી ગયેલી વહાબી વિચારધારાને અનુસરે છે તે આ સંસ્થામાં ભણતા ભારતીય મુસલમાન વિદ્યાર્થીઓને ધાર્મિક ઉન્માદ અને કટ્ટરતા તરફ દોરી જશે.

2007માં બ્રિટનમાં પ્રકાશિત એક સંશોધન અહેવાલમાં એમ જણાવ્યું છે કે ત્યારે બ્રિટનમાં સ્થિત 1350 મસ્જિદોમાંથી 600 મસ્જિદો દેવબંદી ઇસ્લામ ભણેલા મૌલવીઓ ચલાવે છે. એમ પણ કહેવાયું છે કે આ દેવબંદી ઇસ્લામ એક ખૂબ જ રૂઢિચૂસ્ત ઇસ્લામનો પ્રકાર છે જે મુસલમાનોને અન્ય સમુદાયો સાથે હળવા-મળવા તેમજ સામાજિક સંબંધ રાખવા ઉપર પ્રતિબંધની તરફેણ કરે છે. અને તે વખતે એટલે 2007માં, 80% મૌલવીઓ કે જે બ્રિટનમાં જ ઇસ્લામનો અભ્યાસ કરીને મૌલવી બને છે તે બધાં જ દેવબંદી ઇસ્લામના અનુયાયીઓ છે.

આડ વાત : તમે લંડનના  [ કે યુરોપના શહેરોના જેવા કે પેરિસ કે જર્મની કે બીજા ઘણાંય ] "No-Go Zones" વિશે  સાંભળ્યું છે? ના સાંભળ્યું હોય તો Youtube છે જ. તે છતાંય આ નીચે એક લિંક મૂકું છું. હા પાછું તમને એવું ના લાગે કે ગપગોળા હાંકુ છું. એટલે ફરવા જવાનો વિચાર કરતાં  હો તો સરખી તપાસ કરીને હોટલ બુક કરજો.



 હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે "આપણે શું?" 

આ હજી આજ અઠવાડીયાના સમાચાર વાંચ્યા કે નહિ? આ ૧૦ મહાનુભાવો શું અને ક્યાંથી ભણ્યા હતા ?


આપણાં હિંદુઓ ભોળા અને ભલા બહુ ને ભાઈ, એટલે અમુક મને ખાનગીમાં કહે કે અરે ભાઈ કોઈ ધર્મમાં આવું મરવા-મારવાની વાતો ના હોય, આ તો અમુક લોકોએ કુરાનમાંથી ખોટો અર્થ કાઢ્યો છે અને ધર્મને બદનામ કરે છે. આવું બોલનારા એ લોકો છે જેમણે જીવનમાં ક્યારેય કુરાન વાંચ્યું તો જવા દો, હાથમાંય પકડ્યું નથી. આવા ભોળા અને અજ્ઞાનતાથી ભરેલા લોકો માટે અમુક જાણીતાં લેખકોએ સરસ ટ્વીટ મૂક્યા છે.

પણ હું બરાબર જાણું છું મારા હિન્દુ ભાઈ બહેનોને. હજીય વાત મગજમાં નહિ ઉતરે. કહેશે, અરે પણ આ લખનારા તો સંક્રાંત (હિંદુ) અને ફ્રાન્સિસ્કો ( ઈસાઈ) છે. એટલે આ નીચેનો મૂળ પાકિસ્તાનના પણ હાલમાં અહી અમેરિકામાં વસતાં ભાઈ જાવેદ અહમદ ઘમીદીને સાંભળો. એમના જેવા ખરા અર્થમાં વિચારશીલ, પ્રગતિશીલ મુસલમાનોની તાતી જરૂર છે જેઓ પોતાના સમાજમાંની બદીઓ વિશે જાહેરમાં બોલવાની અને સુધારા સૂચવવાની હિંમત રાખે છે. બાકી એ સમાજમાં, સમાજની વિરુદ્ધ જનારને સીધે સીધો 'પતાઈ' દેવામાં આવે છે. આ જાવેદભાઈ પાકિસ્તાનના અન્ય એક પ્રગતિશીલ અને જાણીતાં વ્યક્તિ તારેક ફતહ (કેનેડા સ્થિત) અને આપણાં ભારતના આરીફ મુહંમદ ખાન સાહેબની શ્રેણીમાં આવે છે.


છેલ્લે છેલ્લે,

જો કોઈ એમ કહેતો હોય કેઆપણો તો બેઠો છે ને "હિન્દૂ હૃદય સમ્રાટ"!!! આપણે શું ચિંતા? આવા લોકો માટે એક ખાસ નાનું પ્રેસન્ટેશન બનાવ્યું છે....


અને હજીયે મન સ્વીકારવા તૈયાર ના હોય તો એક માત્ર આ એક નીચેનો વિડીયો જોઈ લે.[ઈચ્છા રહી હોય તો આવા બીજા નેતાઓના વિડિયો  પણ બતાવીશ ] આ શ્રીમાનને તો આપ ઓળખતાં જ હશો. સાહેબના સારામાં સારા મંત્રીઓમાંના એક છે. આ સાહેબ રોજ સવારે એમની પ્રાર્થનામાં "શહાદા" બોલે છે....આ લોકો કરશે હિન્દુઓની રક્ષા...વાહ રે ભારતનું લોકતંત્ર.


નીચેની કડીઓ અમુક ચિત્ર-વિચિત્ર ફતવાના  સમાચારોની છે...
  1. https://gujarati.news18.com/news/national-international/saharanpur-darul-uloom-release-a-deoband-fatwa-on-muslim-women-bangles-743282.html
  2. https://www.bbc.com/gujarati/india-48821840
  3. https://www.divyabhaskar.co.in/news/NAT-deoband-fatwa-on-abortion-1840626.html
  4. http://jaihinddaily.in/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%B2-%E0%AA%89%E0%AA%B2%E0%AB%81%E0%AA%AE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE/
  5. https://zeenews.india.com/gujarati/india/fatwa-of-darul-uloom-it-wrong-to-hug-each-other-on-the-day-of-eid-50847
  6. http://sandesh.com/muslim-women-social-me/
  7. https://www.akilanews.com/Main_news/Detail/2018-11-05/150484

સ્ત્રોત :

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...