Tuesday, October 27, 2015

શું હનુમાન જીવે છે?


લંકાના યુદ્ધ વખતની વાત છે. રાવણના જ્યેષ્ઠ પુત્ર ઇન્દ્રજીતે રામના સૈન્ય પર ખૂબ જ ભીષણ અને ઘાતક હુમલો કર્યો હતો. ઘણાં વીર યોદ્ધાઓ અને સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા. જયારે સેનાપતિ જામ્બ્વન રણ-મેદાનમાં પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલો પ્રશ્ન કર્યો, " શું હનુમાન જીવે છે?"

એક સૈનિકે આ વાતનું માઠું લાગતાં  તરત  વળતો  પ્રશ્ન  કર્યો, "કેમ  તમે માત્ર  હનુમાનની  ક્ષેમ-કુશળતાના સમાચાર પૂછ્યાં? તમે માત્ર એમની જ  ચિંતા  રાખો છો?"  જામ્બ્વને  તરત  ઉત્તર  આપ્યો કે  "જો બીજા બધા જ  મૃત્યુને ભેટ્યા હોય  અને માત્ર હનુમાન જીવિત  બચ્યાં હોય તો ય આપણે યુદ્ધ જીતી જઈશું, પણ જો હનુમાન વીરગતિ પામ્યા હોય  અને બાકી બધા જીવતા હોય તો ય આપણી હાર નક્કી છે"

હા, હનુમાનમાં એટલું બધું અપ્રતિમ અને અપાર શારીરિક બળ હતું કે એકલે હાથે રાવણની સેનાનો સંહાર કરી શકે પણ આ વાર્તાનો માત્ર શાબ્દિક (મૂળ અર્થ) નહિ પણ તેની પાછળનો સૂક્ષ્મ અર્થ (અથવા તો મર્મ) જાણવો અને સમજવો જરૂરી છે.

હનુમાન એ સમર્પણ, ત્યાગ અને દ્રઢતા ના પ્રતિકરૂપ છે. પૈસો/શક્તિ/વગ/પહોંચ/આવડત હોય કે ના હોય પણ જ્યાં સુધી સમર્પણ, ત્યાગ અને દ્રઢતા આ ત્રણ ગુણોનું ભાથું આપણી પાસે હોય ત્યાં સુધી જીવનમાં ગમે તેવી વિકટ/અસહ્ય/અશક્ય પરિસ્થિતિ અને તકલીફોથી આપણે સફળતાપૂર્વક લડી લઈને હેમખેમ પાર ઉતરી જઈએ. આ ગુણો હોવા એટલે હનુમાન આપણી પાસે હોવા સમાન છે. જ્યાં સુધી હનુમાન આપણામાં છે ત્યાં સુધી બધું જ શકય છે.

દુનિયાની સૌથી વધુ જૂની, લાંબી અને લયબદ્ધ કાવ્યરચના તે આપણું રામાયણ. એમાં જ આખી સૃષ્ટિનું જ્ઞાન છે, પ્રેમથી વાંચો અને વંચાવો.... જય હનુમાન. જય શ્રી રામ.

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...