Thursday, June 13, 2019

હિન્દુ શૂરવીર - જસ્સા સિંહ આહલુવાલિયા : હિંદુ સ્ત્રીઓના તારણહાર

ભાઈ જસ્સા સિંહ આહલુવાલિયા  ( ૩ મે ૧૭૧૮ - ૨૨ ઓક્ટોબર ૧૭૮૩)

તમારામાંથી કેટલાને મારી જેમ આખો દિ સમાચાર વાંચવાની કુટેવ છે ? આના લીધે ઘણી મુશ્કેલીઓ થાય છે. જેમ કે બધું વાંચીને અને જાણીને દુખી થવું અને બીજાઓને જણાવીને એમનેય દુખી કરવા. હમણાં હમણાં બે દિવસમાં ઉપરા-ઉપરી દેશના જુદા જુદા ભાગોમાં નાની નાની હિંદુ બાળકીઓ ઉપર કુકર્મ કર્યાના એટલા બધાં સમાચાર વાંચ્યા કે મગજ ખરાબ થઇ ગયું. એક તો સમાચાર અને વિગતો જ એટલી ભયંકર હતી કે મગજ ખરાબ નાં થાય તો બીજું શું થાય. પણ એના કરતાં વધુ ખરાબ એટલે થયું કે હવે તો હિંદુ સમાજને આટલી પીડાજનક વાતથી પણ ફરક નથી પડતો. નિર્ભયા કેસની જેમ કોઈ સમાચારોમાં કે ટીવી ઉપર ઉહાપોહ નહિ, કોઈ Candle March નહિ કશું જ નહિ. ટ્વિન્કલ શર્મા નામની બાળકી હજુ ૩ વર્ષની પણ નહોતી અને એની સાથે આ જઘન્ય ગુનો આચરવામાં આવ્યો. હિંમત હોય તો Google કરીને એના કેસની વિગતો વાંચજો. મારે અહી લખીને મારી અને તમારી પીડા વધારવી નથી. પણ આના પરથી મને વિચાર આવ્યો કે શું આપણો સમાજ હંમેશાથી જ આવો નિષ્ઠુર રહ્યો હશે. ત્યારે ટ્વીટર પર આ એક નીચેનો સંદેશ વાંચ્યો....

મને થયું કે વાત તો સાચી છે પણ આ વાતને તો હજારો વર્ષોનો સમય થઇ ગયો છે અત્યારનું શું.એનો તો જવાબ નથી મારી પાસે પણ આ અંગે શોધતાં શોધતાં ઇતિહાસની એક બીજી નાની વાત હાથ લાગી ગઈ જે આપણને  કોંગ્રેસની મહેરબાનીના લીધે શીખવાડવામાં નહોતી આવી...

ચાલો આ પોસ્ટના મૂળ વિષય પર આવીએ. ભાઈ જસ્સા સિંહનું નામ આ પોસ્ટનું ટાઈટલ વાંચ્યા પહેલાં તમે વાંચ્યું કે સાંભળ્યું હોય તો તમને ધન્યવાદ છે.

પાણીપતનું ત્રીજું યુદ્ધ :
૧૪ જાન્યુઆરી ૧૭૬૧ના રોજ, દિલ્હીથી આશરે ૧૦૦ કિ.મી. દૂર ઉત્તરમાં પાણીપતમાં મરાઠા અને અફઘાનીસ્તાનના રાજા અહમદ શાહ અબ્દાલી વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હતું. અહમદશાહ ને ભારતના સ્થાનિક મુસલમાન રાજા શુજા-ઉદ-દૌલા (અવધનો નવાબ) અને સ્થાનિક  ગંગા-યમુના પ્રદેશના અફઘાન રોહિલ્લા પઠાણ નજીબ-ઉદ્-દૌલાનો ટેકો પ્રાપ્ય હતો.આ યુદ્ધ ૧૮મી સદીનું સૌથી લોહીયાળ અને ભયાનક યુદ્ધ ગણાય છે કે જે એક જ દિવસમાં સૌથી વધુ જાનહાનિ થઇ હોવાનો વિક્રમ ધરાવે છે.

અહમદશાહ અબ્દાલીની આગેવાનીમાં આગળ વધી રહેલું જિહાદી અફઘાની સૈન્ય
મરાઠાઓનો સંહાર :

શૂરવીર મરાઠાઓ સદાશિવરાવ ભાઉની આગેવાનીમાં ૪૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સૈનિકો સાથે અફઘાનો સામે ઝઝૂમ્યા હતા. તેમની સાથે આશરે ૨,૦૦,૦૦૦  જેટલા બિન-લડાકુ નાગરિકો હતા કે જેમાં સૈનિકોના કુટુંબના બાળકો/સ્ત્રીઓ અને અન્ય સભ્યો હતા કે જેઓ ઉત્તર ભારતમાં પવિત્ર હિંદુ તીર્થ-સ્થાનોની જાત્રા માટે સાથે નીકળ્યા હતા.

અહમદશાહ અબ્દાલી (કે જે દુરાની સામ્રાજ્યનો રાજા હતો)નું સૈન્ય બમણા કરતાંયે વધુ હતું. તેની પાસે લાખથી વધુ સૈનિકો હતા.  યુદ્ધની વિગતોમાં નથી જવું પણ અંત એવો આવ્યો હતો કે મરાઠાઓની હાર થઇ હતી અને યુધ્ધમાં બધાં જ મુખ્ય સેનાધ્યક્ષો જેવા કે વિલાસરાવ ભાઉ, સદાશિવરાવ ભાઉ, જાંકોજી શીંદે, ઈબ્રાહીમ ખાન ગાર્દી વગેરે વીરગતિ પામ્યા. આંકડાઓ વિષે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે પણ બંને બાજુ થઈને આશરે ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ સૈનિકો મરણ  પામ્યાં. જેમાં અડધોઅડધ ધર્મ કાજે બલિદાનની વેદી ઉપર ચઢી ગયેલા જાંબાઝ મરાઠા સૈનિકો હતા. યુદ્ધ વિષે જાણવામાં રસ હોય તો આ લીંક ઉપર વિકિપીડિયા ઉપર સારી જાણકારી છે --> પાણીપતનું ત્રીજું યુદ્ધ

મરાઠા હારના કારણો : 

હારના કારણોમાં મુખ્યત્વે મરાઠાઓને બીજા કોઈ રાજા-રજવાડાંઓનો ટેકો નહોતો તે ગણી શકાય. રાજપૂત, જાટ, શીખ કોઈએ મરાઠાઓને ટેકો નહોતો કર્યો. કહે છે કે મરાઠાઓએ રાજપૂતોની આંતરિક બાબતોમાં દખલગીરી કરી હતી અને તેમના જીતેલા અમુક રાજપૂતોના પ્રદેશ ઉપર ભારે કર અને દંડ લાગુ કર્યો હતો. તેવી જ રીતે જાટના પ્રદેશો ઉપરના હુમલાઓના લીધે તેમણે સુરજ મલ જેવા જાટ રાજાઓનો ભરોસો ખોયો હતો. ટૂંકમાં મરાઠાઓની અમુક ખોટી ગણતરીઓ અને ભૂલોના લીધે તેમણે તેમના કરતાં વધુ મોટા અને સશકત સામ્રાજ્યનો એકલે હાથે સામનો કરવાનો વારો આવ્યો હતો.

દુર્રાની પાસે મરાઠાઓ કરતાં સંખ્યાબળ અને ગુણવત્તાની દૃષ્ટિએ ચડિયાતું સૈન્ય હતું. સંયુક્ત અફઘાન સૈન્ય મરાઠાઓ કરતાં ઘણું વધારે મોટું હતું. મરાઠા પાયદળ યુરોપી ઢબે સુવ્યવસ્થિત ગોઠવાયેલ હતું અને તત્કાલીન શ્રેષ્ઠ ગણાતી તોપો સૈન્ય પાસે હતી પણ તે ઝડપી અફઘાન સૈન્યની સાપેક્ષમાં સ્થિર એક જ જગ્યાએ રહેતી હતી. મરાઠાઓના હળવાં બખ્તરવાળા અશ્વદળ કરતાં ભારે બખ્તર ધરાવતું અફઘાન અશ્વદળ વધુ અસરકારક હતું.[૪૨] અબ્દાલી સામે લડવા કોઈપણ હિંદુ રાજાએ સહાય ન કરી. અબ્દાલીના મિત્ર શાસકો નજીબ, શુજા અને રોહિલ્લાઓ ઉત્તર ભારતને વધુ સારી રીતે જાણતા અને સમજતા હતા. અબ્દાલી પોતે રાજદ્વારી કુનેહ ધરાવતા હતા અને તેનું પ્રદર્શન તેમણે હિંદુ શાસકો જેમ કે જાટ અને રાજપૂત સાથે સમજુતી કરી અને જુના વિરોધિ અવધના નવાબને ધર્મના નામે અપીલ કરી પોતાની છાવણીમાં લાવીને કર્યું હતું.[૪૩]
વધુમાં, મરાઠા સરદારો વચ્ચે આંતરિક ઝઘડાઓ વારંવાર થતા હતા. દરેકને પોતાનું સ્વતંત્ર રાજ્ય ઉભું કરવાના મનસૂબા હતા અને તેઓ એક જ દુશ્મન સામે લડવા તૈયાર નહોતા.[૪૪] તેમાંના કેટલાક ગોળ લડાઈ અથવા આમને સામને લડવાને બદલે છાપામાર યુદ્ધ લડવાના હિમાયતી હતી.મરાઠાઓ તેમની રાજધાની પૂનાથી આશરે ૧,૫૦૦ કિમી દૂર એકલા લડી રહ્યા હતા.[૪૫]

આ ઉપરાંત સાથે રહેલા ૨,૦૦,૦૦૦ નાગરિકોની રક્ષા કરવાની અને લડવાની  બેવડી જવાબદારીના લીધે મરાઠા સૈન્ય વહેચાઈ ગયું હતું જે આમેય સંખ્યા બળની દ્રષ્ટિએ અફઘાની સૈન્ય કરતાં નાનું હતું.



પારંપરિક પોશાકમાં મરાઠી દીકરીઓ.

લડાઈ બાદનો નરસંહાર

અફઘાન અશ્વદળ અને ભાલા ધારી સૈનિકોએ પાણીપતની શેરીઓમાં આતંક મચાવ્યો અને હજારો મરાઠા સૈનિકો અને નાગરિકોની હત્યા કરી.[૫][૬] પાણીપતની શેરીઓમાં આશરો લેનાર સ્ત્રીઓ અને બાળકોને બંદી બનાવી અફઘાન છાવણીમાં મોકલી દેવાયાં. ૧૪ વર્ષથી વધુ વયના પુરુષ બાળકોને તેમની માતા અને બહેનો સામે માથું વાઢીને હત્યા કરવામાં આવી. જે અફઘાન સરદારોએ લડાઈમાં પોતાના સગા-સંબંધી ગુમાવ્યા હતા તેમને પાણીપત અને આસપાસના વિસ્તારોમાં કાફર હિંદુઓની હત્યા કરવા છૂટ આપવામાં આવી.[૪૮] અફઘાન છાવણીની બહાર કપાયેલાં માથાંઓથી વિજય ટેકરા ઉભા કરાયા. શુજા-ઉદ્-દૌલાના દિવાન કાશી રાજે તેમના પ્રથમદર્શી અનુભવની નોંધ કરતાં કહ્યું છે તે અનુસાર લડાઈના બીજા દિવસે ૪૦,૦૦૦ મરાઠા બંદીઓનો ઠંડા કલેજે નરસંહાર કરવામાં આવ્યો હતો.[૫][૬] બોમ્બે ગેઝેટના પત્રકાર હેમિલ્ટન અનુસાર લડાઈના દિવસે પાણીપત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં થઈને આશરે ૫,૦૦,૦૦૦ લાખ મરાઠા સૈનિકો અને નાગરિકો હાજર હતા અને બીજા દિવસે આશરે ૪૦,૦૦૦ બંદીઓની હત્યા કરવામાં આવી. ભાગી રહેલ અનેક મરાઠા સ્ત્રીઓ બળાત્કાર અને અપમાન સહેવાના ડરના કારણે પાણીપતના કૂવાઓમાં કૂદી આપઘાત કર્યો.[૪૮]

સિયાર-ઉત્-મુતાખરીની અનુસાર:[૪૮]
નાખુશ બંદીઓને લાંબી કતારમાં કૂચ કરવા ફરજ પડાઈ અને કેટલુંક સુકું અનાજ અને પાણીના ઘુંટ બાદ તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો.જે બાળકો અને સ્ત્રીઓ જીવિત રહ્યા તેમને ગુલામીમાં ધકેલવામાં આવ્યા- જેની સંખ્યા આશરે ૨૨,૦૦૦ હતી અને તેમાં ઘણા ઉચ્ચ હોદ્દો ધરાવતા જમીનદારો હતા. તેમને અફઘાનિસ્તાન ગુલામ તરીકે પાછા લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી. તમામ કેદીઓને બળદગાંડા, ઊંટ અને હાથીઓ પર વાંસના પિંજરામાં અફઘાનિસ્તાન મોકલવાની વ્યવસ્થા થઇ હતી.[૪૮]

ઐતિહાસિક બચાવ : 
1761ના એપ્રિલમાં જયારે અહમદશાહ ૨૨,૦૦૦ ગુલામ સ્ત્રીઓ અને દીકરીઓ સાથે પાછો જવા કાબુલનો પ્રવાસ ખેડી રહ્યો હતો ત્યારે તેના સૈનિકો પાછા ફરતાં લાંબી સફર દરમ્યાન તેમની સાથે બળાત્કાર ઉપરાંત અવર્ણનીય જુલમ અને યાતનાઓ આપતાં હતા. અત્યાર સુધી શીખ મિસલો (શીખ શબ્દ કે જેનો અર્થ થાય છે રજવાડાંઓ )એ આ યુધ્ધમાં કોઈ સક્રિય ભૂમિકા નિભાવી નહોતી અને દૂર જ રહ્યા હતા.અબ્દાલી પાછો ફરી રહ્યો હતો ત્યારે ૧૨ શીખ મિસલોની સરબત્ત ખાલસા તરીકે ઓળખાતી દ્વિ-વાર્ષિક બેઠક અમૃતસરમાં યોજાઈ રહી હતી. બચીને ભાગી છૂટેલા મરાઠી નાગરિકો ત્યાં જઈ પહોંચ્યા અને આખી આપવીતી કહી અને કેવી રીતે અહમદશાહ ૨૨,૦૦૦ સ્ત્રીઓ અને દીકરીઓ સાથે પરત ફરી રહ્યો છે તે અંગે વાત કરી અને મદદ કરવા આજીજી કરી. અમાનવીય વર્તનની વાતો સાંભળી શીખ સરદારોનો રોષ/ક્રોધ ભભૂકી ઉઠ્યો અને તેમણે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે શીખ રજવાડાંઓ સ્ત્રીઓની રક્ષા કરશે.

શીખોએ નાની નાની ટુકડીઓમાં વહેંચાઈને પરત ફરી રહેલા સૈન્ય ઉપર પાછળથી હુમલો કરવાની યોજના ઘડી. પરત ફરી રહેલા અબ્દાલીના કાફલામાં ગુલામ સ્ત્રીઓને સૌથી છેલ્લે રાખવામાં આવી હતી. જસ્સા  સિંહની આગેવાનીમાં શીખ સ્વયંસેવકોની ટુકડીઓએ સતલજ નદી પાસે ગોઈન્દવાલમાં અહમદશાહના કાફલા ઉપર ઓચિંતા  હુમલા  કર્યા. હજી તો કંઈ સમજે, કળ  વળે અને પ્રત્યુત્તર આપવા સંગઠિત થાય એ પહેલા તો શીખો ગુલામ બનાવેલી બહેન/દીકરીઓને લઈને પરત ફરી ગયા.

મોટા ભાગના હુમલા મધરાતે કે જયારે અફઘાની સૈનિકો ઊંઘતા હોય અને આગલાં યુદ્ધોનો થાક ઉતારતાં  હોય ત્યારે અથવા તો તેઓ વિજયના મદ માં અને દારૂના નશામાં ચૂર હોય ત્યારે કરવામાં આવ્યા. એમના કાફલામાં  રાતે શીખોના ઓચિંતા હુમલાની ફડક પેસી ગઈ હતી અને અંગ્રેજી "12 O' clock" એ મૂળ અફઘાનીઓની આ ગભરાટની ટીખળ/મજાક કરતી ઉક્તિ હતી જેને આપણે હિન્દુઓએ આજની તારીખે શીખોની જ મજાકનું સાધન બનાવી દીધું.

હજી  તો આટ -આટલી પીડા ઓછી હોય એમાં અમુક મરાઠી પરિવારોએ આ સ્ત્રીઓનો પાછો પોતાના કુટુંબોમાં અસ્વીકાર કર્યો. ઘણાંય  શીખ સૈનિકોએ આ સ્ત્રીઓ સાથે લગન કરી એમને સહારો આપ્યો.

દેશની દીકરીઓ સન્માન કાજે પોતાનાથી ક્યાંય વધુ શક્તિશાળી વિદેશી આક્રાંતા સામે પરિણામની પરવાહ કર્યા  વગર યુધ્ધે ચઢી જનાર અને સફળ થનાર સાહસિક અને ધર્મ-પ્રેમી શીખ જસ્સા સિંહ જેવી વાત દુનિયાના ઇતિહાસોમાં ક્યાંય મળે તો જણાવજો. આ પ્રસંગ બાદ જુસ્સા સિંહ એ ઉત્તર ભારતના ઘેર ઘેર પ્રચલિત નામ થઇ ગયું. અને છ મહિના બાદ ભરાયેલી શીખોની "સરબત્ત  ખાલસા " સભામાં તેમની
 સર્વાનુમતે 12 શીખ રજવાડાંના વડા  એટલે કે "જથેદાર" તરીકે પસંદગી થઇ. અતિ-પ્રભાવશાળી અને લોકચાહિતા ગુજરાતી લોક-કલાકાર રાજભા ગઢવીના શબ્દોમાં કહું તો આ બધું વાંચીએ જાણીએ તો ખબર પડે કે વિચાર તો કરો આપણે સનાતનીઓ (હિન્દૂ કે જૈન જે શીખ) કોના વંશજ છીએ.

અબ્દાલી તૂટેલા ઘમંડ અને યુદ્ધમાં કપાયેલા નાક સાથે કાબુલ પાછો પહોંચ્યો. તેણે  આ યુદ્ધ બાદ જીવન પર્યન્ત ચાંદીનું નકલી નાક પહેર્યું હતું! જોકે તે શાંત બેસે એવો માણસ નહોતો. પૂરો શેતાન હતો અને 1762માં  બદલો લેવા પાછો આવ્યો હતો. તેણે  ભારત પર કુલ સાત વાર હુમલાઓ કર્યા  હતા તેમનો આ 1762નો અમૃતસર પરનો 6ઠો  હુમલો હતો જેમાં હજારો  શીખો વીરગતિ પામ્યા અને જતાં  જતાં તે શીખોના અતિ-પવિત્ર એવા હરિમંદિર સાહિબને ખૂબ નુકસાન પહોંચાડતો ગયો.  શીખો ફરી બેઠા થયા, હરિમંદિરને તેના કબ્જામાંથી છોડાવ્યું અને તેને ફરી પાછો કાબુલ ભાગી જવા વિવશ કર્યો. એ વાર્તા અને ઇતિહાસ પણ ઘણો લાંબો છે, પણ તે ફરી ક્યારેક.....

રસ પડ્યો હોય અને આ મહાન શીખ સરદાર ભાઈ જુસ્સા સિંહ વિષે વધુ જાણવું હોય તો આ નીચેના વિડીયો અને સંદર્ભોથી શરૂઆત કરો....



સંદર્ભો :
1. http://www.indiandefencereview.com/spotlights/the-forgotten-hero-of-punjab-jassa-singh-ahluwalia/ 
2. http://www.tribuneindia.com/2009/20090503/spectrum/main3.htm
3. https://en.wikipedia.org/wiki/Jassa_Singh_Ahluwalia
4. http://www.rediff.com/news/column/250-years-on-battle-of-panipat-revisited/20110113.htm
5. https://en.wikipedia.org/wiki/Third_Battle_of_Panipat 
6. https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B2%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88
7. http://malicethoughts.blogspot.com/2016/02/when-sikhs-rescued-maratha-women.html


No comments:

Post a Comment

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...