Monday, July 29, 2019

આવો જાણીએ : દારુલ ઉલૂમ દેવબંદ


નોંધ : લાંબો  લેખ.

તમે ફતવો એટલે શું જાણો છો? સમાચારમાં છાશવારે કૂતુહલ પ્રેરે એવા અથવા હાસ્યાસ્પદ  જાતજાતના ફતવાના સમાચાર આવતાં  જ રહેતા હોય છે એટલે એમ માનીને ચાલીશ કે તમે જાણો છો. તે છતાંય  જેમને જાણ નથી એમના માટે આ 2-4 સેમ્પલિયા નીચે મુકું છું, વિસ્તારથી વાંચવા હોય તો અંતમાં  કડીઓ પણ મુકેલી  છે.






મને આ ફતવાઓમાં બે કારણથી રસ પડ્યો. પહેલું તો એ કે આ છાપાવાળા જેમના માટે પહેલાથી લઈને છેલ્લા પાના ઉપર જાહેરાતો છાપવી અને આવક રળવી પ્રાથમિકતા હોવા છતાં આ સમાચારોને સ્થાન આપે છે એની પાછળ કૈક કારણ હોવું જોઈએ. અને બીજું એ કે કોઈક તો એમના ફતવા માનતું હશે ને? તો જ એ લોકો બહાર પાડતાં હશે. જો એમને માનનારો વર્ગ જ ના હોય તો પછી એ લોકો બોલે જ શું કામ? કોઈ હાંસીપાત્ર થવા માટે તો અટપટા નિયમો(ફતવા) અંગે જાહેરાત ના કરે ને? દાખલા  તરીકે હું કે તમે કે કોઈ પણ હિન્દૂ સંગઠન એમ જાહેરાત કરે કે ગુજરાતની દરેક શાળામાં ભગવદ ગીતાના નિયમિત પાઠ થવા જોઈએ તો કોઈ આપણી વાત સમાચારમાં છાપશે? કોઈ આપણને ગણકારશે?

મોટા ભાગના બિન-મુસ્લિમ લોકો સૌથી પહેલાં તો આ મુદ્દામાં ના રસ લે છે ના વાત કરે છે. અને વાત કરવા દબાણ કરો તો બહુ બહુ તો એટલું  કહેશે કે 'હા હવે, કોઈકે ફતવો બહાર પાડ્યો, એમાં આપણે શું?' 

બસ, આજે મારે આજ બે મુદ્દા પર વાત કરવી છે.

1) આ 'કોઈક'  કોણ છે?
2) "આપણે શું?"

પહેલાં મુદ્દાનો ટૂંકોને ટચ જવાબ છે આ 'કોઈક' છે દારુલ ઉલૂમ  દેવબંદ. અને આપણે શું એ સમજવા માટે પહેલાં દેવબંદને ઊંડાણથી જાણવું પડશે. અને દેવબંદને જાણવા પહેલાં અત્યાર સુધીની ઇસ્લામની સફરને ટૂંકમાં સમજવી  પડશે.

ઇસ્લામનો સંક્ષિપ્ત પરિચય :

ઇસ્લામની સ્થાપના મુહંમદ પયગમ્બરે કરી. મુહંમદ પયગંબરના અવસાન બાદ તેમના અનુગામી અંગે બે મત  ઉભા થયા. ત્યાંથી ઇસ્લામના બે ફાંટા થયા. આ બે ફાંટા છે, સુન્ની અને શિયા. આ બંને વચ્ચે ફરક એ છે કે મોટા ભાગના ત્યારના મુસલમાનો એ મતના હતા કે મુહંમદના સસરા અને મિત્ર અબુ બકરને મુહંમદે અનુગામી નીમ્યા છેએમને  માનનારા વર્ગનો ફાંટો સુન્ની કહેવાયો. જયારે એક વર્ગ એવું માનતો હતો કે મુહંમદે તેના પિતરાઈ ભાઈ તેમ જ જમાઈ (?!)  એવા અલી ઈબ્ન અબી તાલિબને અનુગામી નીમ્યા છે. અલીને અનુગામી માનનારા શિયા કહેવાયા.  દુનિયામાં 90% મુસલમાનો સુન્ની છે અને માત્ર 10% જેવા શિયા છે.  આપણાં દેશમાં ઠેક-ઠેકાણે દર વર્ષે  'તાજીયા ' ના જુલુસ નીકળે છે એ જોયા છે? ઇસ્લામિક કેલેન્ડરના પહેલા અને પવિત્ર મહિના મોહર્રમના દસમાં દિવસે આ જુલૂસમાં માતમ મનાવનારાઓ શિયા છે  જેઓ મુહંમદ પૈગંબરના પૌત્ર હુસૈન ઈબ્ન અલીના મોતના શોકમાં પોતાની જાતને ઘાતક હથિયારોથી ખૂબજ જખ્મી કરે છે. મને બાળપણમાં એમના છાપામાં ફોટાઓ જોઈને પણ અરેરાટી થતી હતી.એમાં 7-8 વર્ષના બાળકો પણ હોય છે. નાના છરાઓનો ઝૂડો બનાવીને એને ફંગોળીને પોતાની જ  પીઠ ઉપર વાર કરે. એક-બે વાર નહિ, પોતે જ લોહી-લુહાણ થઇ જાય ત્યાં સુધી કરે. આવો માતમ સુન્નીઓ મનાવતા  નથી. સુન્નીમાં હનફી પંથને માનવા વાળા સૌથી વધુ સંખ્યામાં છે. એટલે ટૂંકમાં દુનિયામાં આજની તારીખે 7.7 અબજની દુનિયાની વસ્તીમાં જે 1.8 અબજ મુસલમાનો છે એમાંથી 1.5 અબજ સુન્ની છે અને એમાંય મોટા ભાગના હનફી છે.

અરબી શબ્દ "શરિયા " નો મૂળ અર્થ થાય છે "માર્ગ". એટલે કુરાનના સંદર્ભમાં શરિયા એટલે ખુદાએ બતાવેલો માર્ગ. જોકે સામાન્ય વ્યવહારમાં શરિયાનો અર્થ ઇસ્લામિક કાયદો કે કાનૂન  એમ કરવામાં આવે છે. એટલે કુરાનના સંદર્ભમાં શરિયા એટલે ખુદાનો કાયદો કે કાનૂન. હવે જ્યાં સુધી પયગમ્બર મુહંમદ જીવિત હતા ત્યાં સુધી તો તેમણે ખુદાના 'દૈવી" નિયમોનું (જેનું સંકલન એટલે કુરાન)  તત્કાલીન મુસલમાનો માટે અર્થઘટન  કરી આપ્યું પણ એમના અવસાન બાદ વધુ ભણેલા અને સમજદાર/ વિશેષજ્ઞ મુસલમાનો ઉપર આ દૈવી નિયમોની સ્પષ્ટતા કરવાની જવાબદારી આવી.કુરાનના આ "દૈવી" નિયમો સ્પષ્ટ નહોતા કે વિશેષજ્ઞો પણ એકમત થઈને એનું અર્થઘટન કરી શકે એટલે 11મી સદીના અંતની આસપાસ ચાર જુદા જુદા વ્યકતિઓએ જુદું જુદું અર્થઘટન કર્યું અને અર્થઘટન કરનારાઓના નામો પરથી સુન્ની-ઇસ્લામના જે ચાર પંથ થયા તે  છે હનફી,  માલિકી, શાફી  અને હંબલી. બીજા પણ ઓછા અંશે ફેલાયેલ પંથો છે જેવા કે સલાફી, ઝાહીરી વગેરે. પણ આ પંથોની મુખ્ય પંથોમાં ગણતરી થતી નથી. આ પંથોમાં કુરાનની આયતોના અર્થઘટનમાં ફેર છે અને ઘણાં  ફરક રમૂજી છે. દાખલા તરીકે સ્ત્રીઓએ કપડાં  કેમ પહેરવા એ અંગે એમના મત જુદા જુદા છે. હનફી અને માલિકી પંથ એમ કહે છે કે સ્ત્રીઓએ હાથ અને મોઢાને બાદ કરતાં  પૂર્ણ શરીર ઢાંકવું જોઈએ અને શાફી  અને હંબલી પંથ (કે જે ખૂબ જ રૂઢિચૂસ્ત છે ) કહે છે કે હાથ અને મોઢા સહીત આખું શરીર ઢાંકવું.


આ બધાં  જ પંથોમાં એક સામ્યતા છે કે તેમણે  મુસલમાનો માટે જીવનકાર્યોને પાંચ નૈતિક વિભાગોમાં વહેંચ્યા છે. પંથ પ્રમાણે કયું કાર્ય આ પાંચમાંથી કયા વિભાગમાં આવે છે એમાં ભિન્નતા હોઈ શકે.

1) ફરજીયાત
2) કરવા યોગ્ય
3) તટસ્થ અભિગમ (કરવું ના કરવું વ્યક્તિ ઉપર)
4) કરવા અયોગ્ય
5) પ્રતિબંધિત

જો તમને મારી જેમ ઓફિસોમાં રજૂ થતાં ચાર્ટ જેવા રિપોર્ટમાં રસ પડતો હોય તો આ નીચેની છબિમાં આ ચાર પંથ વિશે ઘણી વિગત આપેલી છે.

આડ વાત : ઇસ્લામના આ કુરઆનમાં જણાવાયેલા આ "દૈવી" નિયમો શું છે?  નિયમો કે જે ફરિશ્તા (દેવદૂત - દેવનો દૂત, અલ્લાહનો દૂત )  જીબરિલે(Angel Gabriel) ઇ.સ. 610થી 632ના સમયગાળામાં મક્કા નજીક "હિરા" નામની ગુફામાં મુહંમદ  પૈગમબરને  કહ્યા.

આ ઉપરાંત ઇસ્લામના પાંચ મુખ્ય સ્તંભ છે. ગમે તે પંથનો હોય પણ દરેક મુસલમાન આ પાંચ બાબતોને સ્વીકારીને એને આધીન જીવન ગાળે છે. આ પાંચ બાબતો નીચે પ્રમાણે છે.

1) શહાદા  : મુસલમાનના મુખ્ય મતની  શપથ કે ઘોષણા. જેમ બ્રાહ્મણો જનોઈ દરમ્યાન કે વૈષ્ણવો બ્રહ્મ સંબંધ લેતા અમુક નિયમો પાળવાનું વચન આપે એના જેવું.

શહાદા  આ પ્રમાણે છે...

લા ઇલાહા ઇલ્લલ્લાહ, મુહમ્મદુન રસુલુલ્લાહ  

અર્થ : અલ્લાહ એકમાત્ર પરમેશ્વર છે [બીજો કોઈ ભગવાન નથી ] અને મુહંમદ અલ્લાહના રસૂલ છે. રસૂલ  એટલે અલ્લાહનો પૈગામ (સંદેશ) લાવનાર - પૈગમ્બર.

2) નમાઝ  - રોજિંદી પાંચ નમાઝ  અદા  કરવી.

3) જકાત - ધર્મ અર્થે દાન - જે મુસલમાનોની આવક અમુક લઘુત્તમ મર્યાદા  (કે જેને નિસાબ કહે છે) કરતાં ઉપર હોય  તેમણે  પોતાની આવકના ઓછામાં ઓછું 2.5% નું દાન કરવું.

4) ઉપવાસ/રોજા  - પવિત્ર માસ દરમ્યાન કુરાનના નિયમો પ્રમાણે રોજા  રાખવા.

5) હજ  - જીવનમાં શક્ય હોય તો ઓછામાં ઓછી એક વાર હજ કરવી.

હવે મૂળ વિષય પર આવીએ.

પરિચય : 
દારુલ ઉલૂમ  દેવબંદ એ ઉત્તર પ્રદેશના સહારનપુર  જિલ્લમાં આવેલા નાનકડાં  શહેર દેવબંદ સ્થિત ભારતનું જ નહિ પણ દુનિયાભરનું સર્વાર્ધિક પ્રચલિત અને દુનિયાભરના મુસલમાનો ઉપર પકડ અને પ્રભાવ ધરાવતું એક વિશાળકાય મદરેસા સંકુલ છે જેને 2017માં 150 વર્ષ પૂરા થયા. પોસ્ટમાં સૌથી પહેલો ફોટો આ સંકુલનો છે.  મદરસો એટલે માત્ર અને માત્ર મુસલમાન બાળકો માટે બનેલી શાળા/વિદ્યાલય. આની સ્થાપના મુહમ્મદ કાસિમ નાનોત્વીએ અને હાજી આબિદ  હુસૈને 1866માં ઇસ્લામના સુન્ની ફાંટાના હનફી વિચારધારાના વિસ્તાર હેતુથી કરી હતી. એક સ્થાપકના નામમાં જે 'નાનોત્વી' જોડાયેલું છે એ એમના મૂળ ગામ નાનોતિનું સૂચક છે અને તેઓ મૂળ તલવારની ધાર પાર વટલાયેલા 'ગુજજર' પરિવારના વંશજ હતા.[12] આજની તારીખે અધિકૃત રીતે ભારતમાં 3000 થી વધુ મદરેસાઓમાં (અને અનધિકૃત બીજા કેટલાય) તથા વિદેશના મદરેસાઓમાં આ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવતી શૈક્ષણિક માહિતી પ્રમાણે ભણાવાય છે.

ઉપરનો ફકરામાં  "દુનિયાભરના મુસલમાનો ઉપર પકડ અને પ્રભાવ ધરાવતું" એ શબ્દો વાંચીને ઘણાં  લોકોની ભ્રમરો ઉંચકાશે, અવિશ્વસનીય લાગશે.  આમે આપણાં ત્યાં પોતાના લોકો જે વાત કરે એને લોકો જલ્દી સ્વીકારતા નથી એટલે જ આ નીચેનો એક લેખનો ટુકડો વાંચો.આ લેખકે તો દેવબંદને ઇસ્લામ જગતનો 'ધ્રુવનો તારો ' અને 'ઇસ્લામનો ગઢ'ની ઉપમા આપી છે. એશિયાના 50 કરોડ મુસલમાનો ઉપર તેમનો પ્રભાવ છે.



એટલે વાત એમ છે કે આ 'કોઈક' કોઈ જેવી તેવી સંસ્થા નથી. દુનિયાભરમાં એનો ડંકો  વાગે છે. તમને અને મને આપણી અજ્ઞાનતાના લીધે એમના વિષે બહુ ખબર નથી એ અલગ વાત છે. ત્યાં આજની તારીખે પણ અફઘાનિસ્તાન , ઈરાન, બર્મા , ઇન્ડોનેશિયા, મલેશિયા, તુર્કી  ઉપરાંત આફ્રિકાના મુસલમાન બહુલ દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. [આ માહિતી સંસ્થાની અધિકૃત વેબસાઈટ ઉપરથી લેવામાં આવી છે.] એટલે આગળ વધીએ એ પહેલાં એટલું સમજો કે આ  સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવતાં ફતવાઓની અસર માત્ર ભારતમાં જ નહિ પણ ભારતની સીમાઓથી ક્યાંય દૂર સુધી ફેલાયેલી છે અને એમને સ્વીકારનારો/માનનારો વર્ગ અત્યંત વિશાળ છે. જેમ આજના હિંદુઓ પોતાના ધાર્મિક પ્રશ્નોને કે રોજિંદી જીવનના પ્રશ્નો લઈને સદગુરૂ જગ્ગી વાસુદેવ કે પંડિત શ્રી રવિશંકર કે મોરારિ બાપુ કે રમેશભાઈ ઓઝા કે અવધેશાનંદજી એવા જુદા જુદા પંથના ધર્માચાર્યો પાસે જાય એમ મુસલમાન સમાજના લોકો આ સંસ્થામાંથી સ્નાતક થયેલા મૌલવીઓ કે મૌલાનાઓ પાસે જાય છે. અને ઘણી વાર સામાન્ય મુસલમાનોના સવાલોના જવાબમાં જ આ ફતવા બહાર પાડવામાં આવે છે.

દેવબંદનો અભ્યાસક્રમ :

દેવબંદ સુન્ની ઇસ્લામના સૌથી વધુ ફેલાયેલા ચાર પંથમાંનો  એક એવા હનફી ઇસ્લામના નિયમો અને રિવાજો પ્રમાણેની બાળકોને તાલીમ આપે છે.આ હનફી  પંથ કે વિચારધારાની શરૂઆત  ઈ. સ. 767 ની આસપાસ કુફા, ઇરાકમાં અબુ હનીફા નામના વ્યકતિએ કરી હતી.

અહીં 18મી  સદીમાં સ્થાપિત દરસ -એ-નિઝામીના અભ્યાસક્રમ પ્રમાણે ભણાવાય છે જેમાં મુખ્યત્વે કુરાન , હદીસ અને તેના ઉપરના ભાષ્ય ઉપરાંત મુહંમદનું જીવન ચરિત્ર, અરબી ભાષા, તેનું વ્યાકરણ અને સાહિત્ય તેમ જ ફારસી ભાષા શીખવાડાય છે.અભ્યાસક્રમની જુદી જુદી શ્રેણીઓ છે.

1) નાઝીરા  - પ્રાથમિક શ્રેણીમાં 5 વર્ષના અભ્યાસમાં ઉર્દુ, હિન્દી, ફારસી અને અંગ્રેજી ભાષા શીખવાડાય છે.
2) હિફઝે  કુરાન - આમ 2થી 4 વર્ષમાં આખું કુરાન મોઢે કરાવાય છે.
3) ફઝીલત - આ અનુ -સ્નાતક (post-graduate) શ્રેણીનો અભ્યાસ છે કે જે 8 વર્ષનો હોય છે અને આ પૂર્ણ કરનારને "મૌલવી"ની ઉપાધિ (Degree) મળે છે. આ ઉપાધિ મળ્યા બાદ જ વ્યક્તિ મોટા ભાગના મસ્જિદોમાં મૌલવી તરીકે નિમાઈ શકે છે.
4) છેલ્લો Ph. D. શ્રેણીનો અભ્યાસ છે જે પૂર્ણ કરનારને "મુફ્તી"ની ઉપાધિ આપવામાં આવે છે.

જો તમે વાંચતા વાંચતા અહીં સુધી પહોંચ્યા હો તો તમને ધન્યવાદ. પણ કદાચ તમને થતું હશે કે યાર તે પોસ્ટની શરૂઆત ક્યાં કરી હતી અને આ બધું વચ્ચે શું વધારાનું ભર્યું છે. મૂળ વાત પાર આવને. તો ચાલો હવે વાત કરીએ કે આ ઉપર જણાવેલ અભ્યાસક્રમ જે 150 વર્ષથી લાખો  નહિ બલ્કે કરોડો મુસલમાનોને અહીં-તહીંના નાના -મોટા સુધારા સાથે ભણાવવામાં આવ્યો છે એનું પરિણામ શું આવ્યું છે...

તમે West Point નું નામ સાંભળ્યું છે? ભારતમાં જેમ NDA(National Defense Academy) અથવા IMA (Indian Military Academy) સર્વશ્રેષ્ઠ  લશ્કરી તાલીમની સંસ્થાઓ ગણાય છે તેમ, તેમના કરતાં ક્યાંય વધુ જૂની અને જાણીતી અને દુનિયાની સર્વશ્રેષ્ઠ લશ્કરી તાલીમ સંસ્થા એટલે અમેરિકાની West Point. આ West Point માં એક કેન્દ્ર છે જે Combating Terrorism Center (CTC ) તરીકે ઓળખાય છે, તેની સ્થાપના 2001માં અમેરકા ઉપર થયેલા 9/11ના હુમલા બાદ કરવામાં આવી હતી. આ કેન્દ્ર દુનિયાભરના આતંકવાદી હુમલાઓ અને ગતિવિધીઓ ઉપર ચાંપતી નજર રાખે છે. આ કેન્દ્રે 2009ના નવેમ્બર મહિનાના તેના રિપોર્ટમાં દેવબંદ ઉપર ખૂબ વિસ્તારથી માહિતી પ્રકાશિત કરી હતી. આ આખો રિપોર્ટ અંગ્રેજીમાં અહીં ઉપલબ્ધ છે પણ હું વાચકો માટે તેના મુખ્ય મુદ્દાઓનો અનુવાદ કરી રહ્યો છું. આ લેખના NRI લેખક શ્રી લવ પુરી સાહેબ ન્યુ યોર્ક યુનિવર્સીટીના ફૂલ -બ્રાઇટ વિશેષજ્ઞ છે અને તેઓ 2006માં યુરોપિયન કમિશનનો એશિયામાં માનવાધિકાર અને લોકશાહી ઉપર અધ્યયન માટે પુરસ્કાર મેળવી ચૂકેલ છે.




રિપોર્ટના મુખ્ય મુદ્દા 

  • 1866માં શરુ થયેલી આ સંસ્થા દારૂલ ઉલુમ દેવબંદના 100 વર્ષ જયારે 1967માં પૂરા થયા ત્યાં સુધીમાં સંસ્થામાંથી કુલ 7417 મૌલવીઓ ભણીને બહાર નીકળ્યા છે જેમાંથી 3795 ભારતીય, 3191 પાકિસ્તાની અને 431 અન્ય દેશોમાંથી હતા. અન્ય દેશોમાં ચીન, મલેશિયા અને અફઘાનિસ્તાનનો  સમાવેશ થાય છે. 
  • સંસ્થાના જયારે 100 વર્ષ પત્યા ત્યારે 1967માં તેની દુનિયાભરમાં કુલ 8934 શાળાઓ (મદરેસાઓ) હતા. આજની તારીખે તો આ આંકડો ઘણો વધારે છે. પણ પાક્કો આંકડો મળતો નથી.
  • 1947માં ભારતના ભાગલા બાદ સંસ્થામાંથી સ્નાતક થયેલા ઘણાં ખરા મૌલવીઓ પાકિસ્તાન ચાલ્યા ગયા જેને લીધે ઉપર 3191 નો આંકડો પાકિસ્તાન માટે આપેલ છે. 
  • દુરંદ સીમા રેખાની બંને બાજુ (પાકિસ્તાન અને અફઘાનિસ્તાન) માં વસતા પશ્તુનોમાં આ દેવબંદી ઇસ્લામ સૌથી વધુ પ્રચલિત છે. 
  • જાણીતા પશ્તુન નેતા અબ્દુલ ગફાર ખાને દેવબંદી અભ્યાસક્રમ પ્રમાણેની ઘણાં સ્થાનિક દેવબંદી મદરેસાઓ ચાલુ કર્યા  હતા.
  • અફઘાનિસ્તાનના તાલિબાનીઓ મૂળ દેવબંદી ઇસ્લામ ભણેલા છે. સાઉદી અરબના હસ્તક્ષેપના કારણે અફઘાનિસ્તાનના દેવબંદી ઇસ્લામમાં વહાબી ઇસ્લામ (કે જે સૌથી કટ્ટર ઇસ્લામી  પંથ ગણાય છે) ના વિચારો ભેળવી દેવામાં આવ્યા છે.
  • તાલિબાનનો એક વખતનો નાયક મુલ્લાહ ઓમર દેવબંદી મદરેસામાં ભણ્યો હતો. તે 2013માં ક્ષય (TB) રોગના લીધે મર્યો.
  • મોટા ભાગના અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં તાલિબાનના કમાન્ડરો દેવબંદી ઇસ્લામ ભણેલા હોય છે. પાકિસ્તાન સ્થિત તાલિબાન જૂથ તેહરીક-એ-તાલિબાન તરીકે ઓળખાય છે. 
  • 1990ની આસપાસથી ભારત સરકારે વિદેશથી દેવબંદમાં ભણવા આવતાં  વિદ્યાર્થીઓની ખૂબ જ સઘન તપાસ આદરી છે અને બહુ બધી ચકાસણી કર્યા બાદ અમુક ગણતરીનાને જ વિસા  આપવામાં આવે છે. ભારત સરકારને ચિંતા છે કે પાકિસ્તાન/અફઘાનિસ્તાનથી આવતાં વિદ્યાર્થીઓ કે જે ત્યાં દેવબંદીમાં ભળી ગયેલી વહાબી વિચારધારાને અનુસરે છે તે આ સંસ્થામાં ભણતા ભારતીય મુસલમાન વિદ્યાર્થીઓને ધાર્મિક ઉન્માદ અને કટ્ટરતા તરફ દોરી જશે.

2007માં બ્રિટનમાં પ્રકાશિત એક સંશોધન અહેવાલમાં એમ જણાવ્યું છે કે ત્યારે બ્રિટનમાં સ્થિત 1350 મસ્જિદોમાંથી 600 મસ્જિદો દેવબંદી ઇસ્લામ ભણેલા મૌલવીઓ ચલાવે છે. એમ પણ કહેવાયું છે કે આ દેવબંદી ઇસ્લામ એક ખૂબ જ રૂઢિચૂસ્ત ઇસ્લામનો પ્રકાર છે જે મુસલમાનોને અન્ય સમુદાયો સાથે હળવા-મળવા તેમજ સામાજિક સંબંધ રાખવા ઉપર પ્રતિબંધની તરફેણ કરે છે. અને તે વખતે એટલે 2007માં, 80% મૌલવીઓ કે જે બ્રિટનમાં જ ઇસ્લામનો અભ્યાસ કરીને મૌલવી બને છે તે બધાં જ દેવબંદી ઇસ્લામના અનુયાયીઓ છે.

આડ વાત : તમે લંડનના  [ કે યુરોપના શહેરોના જેવા કે પેરિસ કે જર્મની કે બીજા ઘણાંય ] "No-Go Zones" વિશે  સાંભળ્યું છે? ના સાંભળ્યું હોય તો Youtube છે જ. તે છતાંય આ નીચે એક લિંક મૂકું છું. હા પાછું તમને એવું ના લાગે કે ગપગોળા હાંકુ છું. એટલે ફરવા જવાનો વિચાર કરતાં  હો તો સરખી તપાસ કરીને હોટલ બુક કરજો.



 હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે "આપણે શું?" 

આ હજી આજ અઠવાડીયાના સમાચાર વાંચ્યા કે નહિ? આ ૧૦ મહાનુભાવો શું અને ક્યાંથી ભણ્યા હતા ?


આપણાં હિંદુઓ ભોળા અને ભલા બહુ ને ભાઈ, એટલે અમુક મને ખાનગીમાં કહે કે અરે ભાઈ કોઈ ધર્મમાં આવું મરવા-મારવાની વાતો ના હોય, આ તો અમુક લોકોએ કુરાનમાંથી ખોટો અર્થ કાઢ્યો છે અને ધર્મને બદનામ કરે છે. આવું બોલનારા એ લોકો છે જેમણે જીવનમાં ક્યારેય કુરાન વાંચ્યું તો જવા દો, હાથમાંય પકડ્યું નથી. આવા ભોળા અને અજ્ઞાનતાથી ભરેલા લોકો માટે અમુક જાણીતાં લેખકોએ સરસ ટ્વીટ મૂક્યા છે.

પણ હું બરાબર જાણું છું મારા હિન્દુ ભાઈ બહેનોને. હજીય વાત મગજમાં નહિ ઉતરે. કહેશે, અરે પણ આ લખનારા તો સંક્રાંત (હિંદુ) અને ફ્રાન્સિસ્કો ( ઈસાઈ) છે. એટલે આ નીચેનો મૂળ પાકિસ્તાનના પણ હાલમાં અહી અમેરિકામાં વસતાં ભાઈ જાવેદ અહમદ ઘમીદીને સાંભળો. એમના જેવા ખરા અર્થમાં વિચારશીલ, પ્રગતિશીલ મુસલમાનોની તાતી જરૂર છે જેઓ પોતાના સમાજમાંની બદીઓ વિશે જાહેરમાં બોલવાની અને સુધારા સૂચવવાની હિંમત રાખે છે. બાકી એ સમાજમાં, સમાજની વિરુદ્ધ જનારને સીધે સીધો 'પતાઈ' દેવામાં આવે છે. આ જાવેદભાઈ પાકિસ્તાનના અન્ય એક પ્રગતિશીલ અને જાણીતાં વ્યક્તિ તારેક ફતહ (કેનેડા સ્થિત) અને આપણાં ભારતના આરીફ મુહંમદ ખાન સાહેબની શ્રેણીમાં આવે છે.


છેલ્લે છેલ્લે,

જો કોઈ એમ કહેતો હોય કેઆપણો તો બેઠો છે ને "હિન્દૂ હૃદય સમ્રાટ"!!! આપણે શું ચિંતા? આવા લોકો માટે એક ખાસ નાનું પ્રેસન્ટેશન બનાવ્યું છે....


અને હજીયે મન સ્વીકારવા તૈયાર ના હોય તો એક માત્ર આ એક નીચેનો વિડીયો જોઈ લે.[ઈચ્છા રહી હોય તો આવા બીજા નેતાઓના વિડિયો  પણ બતાવીશ ] આ શ્રીમાનને તો આપ ઓળખતાં જ હશો. સાહેબના સારામાં સારા મંત્રીઓમાંના એક છે. આ સાહેબ રોજ સવારે એમની પ્રાર્થનામાં "શહાદા" બોલે છે....આ લોકો કરશે હિન્દુઓની રક્ષા...વાહ રે ભારતનું લોકતંત્ર.


નીચેની કડીઓ અમુક ચિત્ર-વિચિત્ર ફતવાના  સમાચારોની છે...
  1. https://gujarati.news18.com/news/national-international/saharanpur-darul-uloom-release-a-deoband-fatwa-on-muslim-women-bangles-743282.html
  2. https://www.bbc.com/gujarati/india-48821840
  3. https://www.divyabhaskar.co.in/news/NAT-deoband-fatwa-on-abortion-1840626.html
  4. http://jaihinddaily.in/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%B2-%E0%AA%89%E0%AA%B2%E0%AB%81%E0%AA%AE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE/
  5. https://zeenews.india.com/gujarati/india/fatwa-of-darul-uloom-it-wrong-to-hug-each-other-on-the-day-of-eid-50847
  6. http://sandesh.com/muslim-women-social-me/
  7. https://www.akilanews.com/Main_news/Detail/2018-11-05/150484

સ્ત્રોત :

Monday, June 17, 2019

तजिंदर भाई साब के वीडियो का प्रत्युत्तर

तजिंदर भाई साब,

नमस्कार |

आप का ये नीचे की लिंक पर उपलब्ध वीडियो देखा | मन तो ये था की मैं भी वीडियो के माध्यम से ही आपको उत्तर दूँ पर ढंग का वीडियो बनाना, उस में फेर-बदल/सुधार करना, उपलोड करना वगैरा वगैरा | उसके मुकाबले ये ब्लॉग जल्दी और आसानी से लिखा जा सकता है तो फिर यही सही |  हमारा प्रत्यक्ष मिलना हुआ नहीं पर मुझे इस बात का आनंद है की हम दोनों ट्विटर पर एक-दूसरे को फोलो करते है और अधिक आनंद इस बात का है उस वक्त से फोलो करते है जब आप के पास 'ब्लू टिक' नहीं हुआ करता था, आप ना ही भाजपा के आधिकारिक संवाददाता थे और ट्विटर नया नया हुआ करता था |




वैसे शुरुआत मैं ही यह बात स्पष्ट करना जरुरी है की गुजराती होने के नाते जब गुजरात के बाहर लोग मोदीजी  को जानते तक नहीं थे तब से मै मोदीजी का समर्थक रहा हूँ | यह बात की मेरे इस ब्लॉग पर उपलब्ध पुराने लेख पुष्टि करते है | आप ८-१० साल पुराने लेख खोज सकते है | वो मेरे जैसे NRG (Non-Resident Gujarati) ही थे जिन्होंने अपने तन-मन और धन से मोदी जी का प्रधान-मंत्री जी के तौर पर देशभर में प्रचार किया, उनके द्वरा किए गए गुजरात के विकास की बात हर जगह की , हर रोज की, महीनो नहीं सालों तक की | चाहे वो हमारी अमेरिका ऑफिस का कोंफरंस रूम हो या पेरिस एअरपोर्ट का वेइटिंग लाउन्ज | और तब जाके हमने मोदीजी को २०१४ में देश के प्रधान मंत्री के रूप में पहलीबार पाया था | तो कृपया लेख के अंत में मेरे लिए कोई भी धारणा बांधते वक्त इस हकीकत तो संज्ञान में लीजिएगा |

मै ये बहस में नहीं जाना चाहता की मोदीजी इस योजनओं के द्वारा जिस राजनीति (तुष्टिकरण की ) का हमेंशा से विरोध करते आए है उसी और खुद चल पड़े है या नहीं | मेरा आशय बस एक समर्थक के नाते कुछ बातों पर आपका अभिप्राय जानना है | थोडा भूतकाल में जाकर शुरुआत करते है |

१) अवैध गौ-मांस के व्यापार पर चुप्पी 

मोदी जीने सार्वजनिक निवेदन देकर "गौ-रक्षको" की बड़ी तीखी आलोचना की और राज्य-सरकारों को उन के साथ सख्ती से पेश आने का निवेदन किया |उनका वीडियो निचे लिंक पर उपलब्घ है | ध्यान से देखिए, मोदी जी के आवाज में जो आक्रोश और गुस्सा गौ-रक्षको के प्रति दिख रहा है ऐसा गुस्सा और आक्रोश "Beef Mafia" के लिए की जिनकी वजह से गाँवों में गौ-रक्षको को हथियार उठाने पड़े है वो तो कभी नहीं देखा | अरे तजिंदर भाई साब, गुस्सा तो छोडिए आज तक मोदी जी ने इन "Beef Mafia" का कभी सार्वजनिक तौर पर उल्लेख भी नहीं किया है |




अलवर राजस्थान और पूर्वी उत्तर प्रदेश में Beef Mafia के गेंग इतने बेख़ौफ़ है की पुलिसवालों तक को गोली मार देते है | सारे देश को और आपको भी पता है की अवैध गौ-मॉस के इस धिनौने व्यापार के पीछे अधिकतर कौन सी 'कौम' जिम्मेदार है | जब आप प्रधान-मंत्री के तौर पर इस बात पर अब तक चुप्पी साधे बैठे हो तो फिर गौ-रक्षको को बदनाम करने की पीछे आप की क्या मजबूरी है ?  गौ-रक्षको के मुद्दे पर भी आपने चुप्पी रखनी थी? गलत कहा?

२) गिरिराज सिंह जी के एक ट्वीट पर आपत्ति और कई ज्यादा संगीन अपराधो पर चुप्पी

अभी कुछ दिन पहेले ही भाजपा के सांसद गिरिराज सिंह जी के एक ट्वीट पर पार्टीने आपत्ति जताई और उन्हें ऐसे निवेदनो से दूर रहने को कहा |उनका ट्विट सही था या गलत इसकी चर्चा में नहीं करता पर जो भी सांसद खुलकर कुछ बात बोले उस पर प्रतिक्रिया दी जाती है, चेतावनी दी जाती है |



पर उसी सप्ताह में जब की गिरिराज सिंह को चेतावनी दी गई थी तब अलीगढ से नाबालिग और मासूम ३ साल की ट्विंकल शर्मा के साथ जिस वैशीपन और नराधमता की चरमसीमा का किस्सा बाहर आया उसमें आप ने फिर से चुप्पी साध ली | जब अखलाक मरा था तब तो आपने आक्रोश व्यक्त किया था, नहीं किया था ? फिर क्या वजह है ? क्या इसीलिए की अलीगढ वाले किस्से में मुजरिम समुदाय विशेष से है ? चुप्पी तो अखलाक के वख्त भी रखी जा सकती थी |

३) मुख़्तार अब्बास नकवी द्वारा गिरिराज सिंह जी के लिए अभद्र भाषा का प्रयोग 

 अभी पिछले हफ्ते ही "आपकी अदालत" के टीवी साक्षत्कार कार्यक्रम में नकवीजी ने गिरिराज सिंह जी को "फालतू प्राणी" कहकर अपमानित किया | ये नकवी साहब वो शक्सियत है जो २०१९ का चुनाव ना लड़ें ना जीते  | पिछली बार राज्यसभा तक मनोनीत करे जाने पर पहुंचे है | इसके बावजूद वो एक जनता के चुने गए और उनके सहयोगी और केबिनेट मंत्री जे लिए ऐसी भाषा का प्रयोग करते है वो क्या बताता है ? उनको कही ना कही पार्टी से समर्थन प्राप्त है वरना वो ऐसे शब्द प्रयोग ना करते |  [वीडियो में ३१ मिनट से सुने ]





क्यूँ गिरिराज सिंह को निशाना बनाया जा रहा है ? क्यूँ की वो खुलकर ऐसी बातों का विरोध करते है जिनका सम्बन्ध तुष्टिकरण की राजनीति से है ?

तजिंदरभाई साब,

में चाहता हूँ की जो ये बाते है उनका सही उत्तर मिले | इसीलिए ये आप को लिखकर भेज रहा हूँ | आप के उत्तर की प्रतीक्षा रहेगी |

धन्यवाद |
देश-दाज़ |

Thursday, June 13, 2019

હિન્દુ શૂરવીર - જસ્સા સિંહ આહલુવાલિયા : હિંદુ સ્ત્રીઓના તારણહાર

ભાઈ જસ્સા સિંહ આહલુવાલિયા  ( ૩ મે ૧૭૧૮ - ૨૨ ઓક્ટોબર ૧૭૮૩)

તમારામાંથી કેટલાને મારી જેમ આખો દિ સમાચાર વાંચવાની કુટેવ છે ? આના લીધે ઘણી મુશ્કેલીઓ થાય છે. જેમ કે બધું વાંચીને અને જાણીને દુખી થવું અને બીજાઓને જણાવીને એમનેય દુખી કરવા. હમણાં હમણાં બે દિવસમાં ઉપરા-ઉપરી દેશના જુદા જુદા ભાગોમાં નાની નાની હિંદુ બાળકીઓ ઉપર કુકર્મ કર્યાના એટલા બધાં સમાચાર વાંચ્યા કે મગજ ખરાબ થઇ ગયું. એક તો સમાચાર અને વિગતો જ એટલી ભયંકર હતી કે મગજ ખરાબ નાં થાય તો બીજું શું થાય. પણ એના કરતાં વધુ ખરાબ એટલે થયું કે હવે તો હિંદુ સમાજને આટલી પીડાજનક વાતથી પણ ફરક નથી પડતો. નિર્ભયા કેસની જેમ કોઈ સમાચારોમાં કે ટીવી ઉપર ઉહાપોહ નહિ, કોઈ Candle March નહિ કશું જ નહિ. ટ્વિન્કલ શર્મા નામની બાળકી હજુ ૩ વર્ષની પણ નહોતી અને એની સાથે આ જઘન્ય ગુનો આચરવામાં આવ્યો. હિંમત હોય તો Google કરીને એના કેસની વિગતો વાંચજો. મારે અહી લખીને મારી અને તમારી પીડા વધારવી નથી. પણ આના પરથી મને વિચાર આવ્યો કે શું આપણો સમાજ હંમેશાથી જ આવો નિષ્ઠુર રહ્યો હશે. ત્યારે ટ્વીટર પર આ એક નીચેનો સંદેશ વાંચ્યો....

મને થયું કે વાત તો સાચી છે પણ આ વાતને તો હજારો વર્ષોનો સમય થઇ ગયો છે અત્યારનું શું.એનો તો જવાબ નથી મારી પાસે પણ આ અંગે શોધતાં શોધતાં ઇતિહાસની એક બીજી નાની વાત હાથ લાગી ગઈ જે આપણને  કોંગ્રેસની મહેરબાનીના લીધે શીખવાડવામાં નહોતી આવી...

ચાલો આ પોસ્ટના મૂળ વિષય પર આવીએ. ભાઈ જસ્સા સિંહનું નામ આ પોસ્ટનું ટાઈટલ વાંચ્યા પહેલાં તમે વાંચ્યું કે સાંભળ્યું હોય તો તમને ધન્યવાદ છે.

પાણીપતનું ત્રીજું યુદ્ધ :
૧૪ જાન્યુઆરી ૧૭૬૧ના રોજ, દિલ્હીથી આશરે ૧૦૦ કિ.મી. દૂર ઉત્તરમાં પાણીપતમાં મરાઠા અને અફઘાનીસ્તાનના રાજા અહમદ શાહ અબ્દાલી વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હતું. અહમદશાહ ને ભારતના સ્થાનિક મુસલમાન રાજા શુજા-ઉદ-દૌલા (અવધનો નવાબ) અને સ્થાનિક  ગંગા-યમુના પ્રદેશના અફઘાન રોહિલ્લા પઠાણ નજીબ-ઉદ્-દૌલાનો ટેકો પ્રાપ્ય હતો.આ યુદ્ધ ૧૮મી સદીનું સૌથી લોહીયાળ અને ભયાનક યુદ્ધ ગણાય છે કે જે એક જ દિવસમાં સૌથી વધુ જાનહાનિ થઇ હોવાનો વિક્રમ ધરાવે છે.

અહમદશાહ અબ્દાલીની આગેવાનીમાં આગળ વધી રહેલું જિહાદી અફઘાની સૈન્ય
મરાઠાઓનો સંહાર :

શૂરવીર મરાઠાઓ સદાશિવરાવ ભાઉની આગેવાનીમાં ૪૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સૈનિકો સાથે અફઘાનો સામે ઝઝૂમ્યા હતા. તેમની સાથે આશરે ૨,૦૦,૦૦૦  જેટલા બિન-લડાકુ નાગરિકો હતા કે જેમાં સૈનિકોના કુટુંબના બાળકો/સ્ત્રીઓ અને અન્ય સભ્યો હતા કે જેઓ ઉત્તર ભારતમાં પવિત્ર હિંદુ તીર્થ-સ્થાનોની જાત્રા માટે સાથે નીકળ્યા હતા.

અહમદશાહ અબ્દાલી (કે જે દુરાની સામ્રાજ્યનો રાજા હતો)નું સૈન્ય બમણા કરતાંયે વધુ હતું. તેની પાસે લાખથી વધુ સૈનિકો હતા.  યુદ્ધની વિગતોમાં નથી જવું પણ અંત એવો આવ્યો હતો કે મરાઠાઓની હાર થઇ હતી અને યુધ્ધમાં બધાં જ મુખ્ય સેનાધ્યક્ષો જેવા કે વિલાસરાવ ભાઉ, સદાશિવરાવ ભાઉ, જાંકોજી શીંદે, ઈબ્રાહીમ ખાન ગાર્દી વગેરે વીરગતિ પામ્યા. આંકડાઓ વિષે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે પણ બંને બાજુ થઈને આશરે ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ સૈનિકો મરણ  પામ્યાં. જેમાં અડધોઅડધ ધર્મ કાજે બલિદાનની વેદી ઉપર ચઢી ગયેલા જાંબાઝ મરાઠા સૈનિકો હતા. યુદ્ધ વિષે જાણવામાં રસ હોય તો આ લીંક ઉપર વિકિપીડિયા ઉપર સારી જાણકારી છે --> પાણીપતનું ત્રીજું યુદ્ધ

મરાઠા હારના કારણો : 

હારના કારણોમાં મુખ્યત્વે મરાઠાઓને બીજા કોઈ રાજા-રજવાડાંઓનો ટેકો નહોતો તે ગણી શકાય. રાજપૂત, જાટ, શીખ કોઈએ મરાઠાઓને ટેકો નહોતો કર્યો. કહે છે કે મરાઠાઓએ રાજપૂતોની આંતરિક બાબતોમાં દખલગીરી કરી હતી અને તેમના જીતેલા અમુક રાજપૂતોના પ્રદેશ ઉપર ભારે કર અને દંડ લાગુ કર્યો હતો. તેવી જ રીતે જાટના પ્રદેશો ઉપરના હુમલાઓના લીધે તેમણે સુરજ મલ જેવા જાટ રાજાઓનો ભરોસો ખોયો હતો. ટૂંકમાં મરાઠાઓની અમુક ખોટી ગણતરીઓ અને ભૂલોના લીધે તેમણે તેમના કરતાં વધુ મોટા અને સશકત સામ્રાજ્યનો એકલે હાથે સામનો કરવાનો વારો આવ્યો હતો.

દુર્રાની પાસે મરાઠાઓ કરતાં સંખ્યાબળ અને ગુણવત્તાની દૃષ્ટિએ ચડિયાતું સૈન્ય હતું. સંયુક્ત અફઘાન સૈન્ય મરાઠાઓ કરતાં ઘણું વધારે મોટું હતું. મરાઠા પાયદળ યુરોપી ઢબે સુવ્યવસ્થિત ગોઠવાયેલ હતું અને તત્કાલીન શ્રેષ્ઠ ગણાતી તોપો સૈન્ય પાસે હતી પણ તે ઝડપી અફઘાન સૈન્યની સાપેક્ષમાં સ્થિર એક જ જગ્યાએ રહેતી હતી. મરાઠાઓના હળવાં બખ્તરવાળા અશ્વદળ કરતાં ભારે બખ્તર ધરાવતું અફઘાન અશ્વદળ વધુ અસરકારક હતું.[૪૨] અબ્દાલી સામે લડવા કોઈપણ હિંદુ રાજાએ સહાય ન કરી. અબ્દાલીના મિત્ર શાસકો નજીબ, શુજા અને રોહિલ્લાઓ ઉત્તર ભારતને વધુ સારી રીતે જાણતા અને સમજતા હતા. અબ્દાલી પોતે રાજદ્વારી કુનેહ ધરાવતા હતા અને તેનું પ્રદર્શન તેમણે હિંદુ શાસકો જેમ કે જાટ અને રાજપૂત સાથે સમજુતી કરી અને જુના વિરોધિ અવધના નવાબને ધર્મના નામે અપીલ કરી પોતાની છાવણીમાં લાવીને કર્યું હતું.[૪૩]
વધુમાં, મરાઠા સરદારો વચ્ચે આંતરિક ઝઘડાઓ વારંવાર થતા હતા. દરેકને પોતાનું સ્વતંત્ર રાજ્ય ઉભું કરવાના મનસૂબા હતા અને તેઓ એક જ દુશ્મન સામે લડવા તૈયાર નહોતા.[૪૪] તેમાંના કેટલાક ગોળ લડાઈ અથવા આમને સામને લડવાને બદલે છાપામાર યુદ્ધ લડવાના હિમાયતી હતી.મરાઠાઓ તેમની રાજધાની પૂનાથી આશરે ૧,૫૦૦ કિમી દૂર એકલા લડી રહ્યા હતા.[૪૫]

આ ઉપરાંત સાથે રહેલા ૨,૦૦,૦૦૦ નાગરિકોની રક્ષા કરવાની અને લડવાની  બેવડી જવાબદારીના લીધે મરાઠા સૈન્ય વહેચાઈ ગયું હતું જે આમેય સંખ્યા બળની દ્રષ્ટિએ અફઘાની સૈન્ય કરતાં નાનું હતું.



પારંપરિક પોશાકમાં મરાઠી દીકરીઓ.

લડાઈ બાદનો નરસંહાર

અફઘાન અશ્વદળ અને ભાલા ધારી સૈનિકોએ પાણીપતની શેરીઓમાં આતંક મચાવ્યો અને હજારો મરાઠા સૈનિકો અને નાગરિકોની હત્યા કરી.[૫][૬] પાણીપતની શેરીઓમાં આશરો લેનાર સ્ત્રીઓ અને બાળકોને બંદી બનાવી અફઘાન છાવણીમાં મોકલી દેવાયાં. ૧૪ વર્ષથી વધુ વયના પુરુષ બાળકોને તેમની માતા અને બહેનો સામે માથું વાઢીને હત્યા કરવામાં આવી. જે અફઘાન સરદારોએ લડાઈમાં પોતાના સગા-સંબંધી ગુમાવ્યા હતા તેમને પાણીપત અને આસપાસના વિસ્તારોમાં કાફર હિંદુઓની હત્યા કરવા છૂટ આપવામાં આવી.[૪૮] અફઘાન છાવણીની બહાર કપાયેલાં માથાંઓથી વિજય ટેકરા ઉભા કરાયા. શુજા-ઉદ્-દૌલાના દિવાન કાશી રાજે તેમના પ્રથમદર્શી અનુભવની નોંધ કરતાં કહ્યું છે તે અનુસાર લડાઈના બીજા દિવસે ૪૦,૦૦૦ મરાઠા બંદીઓનો ઠંડા કલેજે નરસંહાર કરવામાં આવ્યો હતો.[૫][૬] બોમ્બે ગેઝેટના પત્રકાર હેમિલ્ટન અનુસાર લડાઈના દિવસે પાણીપત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં થઈને આશરે ૫,૦૦,૦૦૦ લાખ મરાઠા સૈનિકો અને નાગરિકો હાજર હતા અને બીજા દિવસે આશરે ૪૦,૦૦૦ બંદીઓની હત્યા કરવામાં આવી. ભાગી રહેલ અનેક મરાઠા સ્ત્રીઓ બળાત્કાર અને અપમાન સહેવાના ડરના કારણે પાણીપતના કૂવાઓમાં કૂદી આપઘાત કર્યો.[૪૮]

સિયાર-ઉત્-મુતાખરીની અનુસાર:[૪૮]
નાખુશ બંદીઓને લાંબી કતારમાં કૂચ કરવા ફરજ પડાઈ અને કેટલુંક સુકું અનાજ અને પાણીના ઘુંટ બાદ તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો.જે બાળકો અને સ્ત્રીઓ જીવિત રહ્યા તેમને ગુલામીમાં ધકેલવામાં આવ્યા- જેની સંખ્યા આશરે ૨૨,૦૦૦ હતી અને તેમાં ઘણા ઉચ્ચ હોદ્દો ધરાવતા જમીનદારો હતા. તેમને અફઘાનિસ્તાન ગુલામ તરીકે પાછા લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી. તમામ કેદીઓને બળદગાંડા, ઊંટ અને હાથીઓ પર વાંસના પિંજરામાં અફઘાનિસ્તાન મોકલવાની વ્યવસ્થા થઇ હતી.[૪૮]

ઐતિહાસિક બચાવ : 
1761ના એપ્રિલમાં જયારે અહમદશાહ ૨૨,૦૦૦ ગુલામ સ્ત્રીઓ અને દીકરીઓ સાથે પાછો જવા કાબુલનો પ્રવાસ ખેડી રહ્યો હતો ત્યારે તેના સૈનિકો પાછા ફરતાં લાંબી સફર દરમ્યાન તેમની સાથે બળાત્કાર ઉપરાંત અવર્ણનીય જુલમ અને યાતનાઓ આપતાં હતા. અત્યાર સુધી શીખ મિસલો (શીખ શબ્દ કે જેનો અર્થ થાય છે રજવાડાંઓ )એ આ યુધ્ધમાં કોઈ સક્રિય ભૂમિકા નિભાવી નહોતી અને દૂર જ રહ્યા હતા.અબ્દાલી પાછો ફરી રહ્યો હતો ત્યારે ૧૨ શીખ મિસલોની સરબત્ત ખાલસા તરીકે ઓળખાતી દ્વિ-વાર્ષિક બેઠક અમૃતસરમાં યોજાઈ રહી હતી. બચીને ભાગી છૂટેલા મરાઠી નાગરિકો ત્યાં જઈ પહોંચ્યા અને આખી આપવીતી કહી અને કેવી રીતે અહમદશાહ ૨૨,૦૦૦ સ્ત્રીઓ અને દીકરીઓ સાથે પરત ફરી રહ્યો છે તે અંગે વાત કરી અને મદદ કરવા આજીજી કરી. અમાનવીય વર્તનની વાતો સાંભળી શીખ સરદારોનો રોષ/ક્રોધ ભભૂકી ઉઠ્યો અને તેમણે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે શીખ રજવાડાંઓ સ્ત્રીઓની રક્ષા કરશે.

શીખોએ નાની નાની ટુકડીઓમાં વહેંચાઈને પરત ફરી રહેલા સૈન્ય ઉપર પાછળથી હુમલો કરવાની યોજના ઘડી. પરત ફરી રહેલા અબ્દાલીના કાફલામાં ગુલામ સ્ત્રીઓને સૌથી છેલ્લે રાખવામાં આવી હતી. જસ્સા  સિંહની આગેવાનીમાં શીખ સ્વયંસેવકોની ટુકડીઓએ સતલજ નદી પાસે ગોઈન્દવાલમાં અહમદશાહના કાફલા ઉપર ઓચિંતા  હુમલા  કર્યા. હજી તો કંઈ સમજે, કળ  વળે અને પ્રત્યુત્તર આપવા સંગઠિત થાય એ પહેલા તો શીખો ગુલામ બનાવેલી બહેન/દીકરીઓને લઈને પરત ફરી ગયા.

મોટા ભાગના હુમલા મધરાતે કે જયારે અફઘાની સૈનિકો ઊંઘતા હોય અને આગલાં યુદ્ધોનો થાક ઉતારતાં  હોય ત્યારે અથવા તો તેઓ વિજયના મદ માં અને દારૂના નશામાં ચૂર હોય ત્યારે કરવામાં આવ્યા. એમના કાફલામાં  રાતે શીખોના ઓચિંતા હુમલાની ફડક પેસી ગઈ હતી અને અંગ્રેજી "12 O' clock" એ મૂળ અફઘાનીઓની આ ગભરાટની ટીખળ/મજાક કરતી ઉક્તિ હતી જેને આપણે હિન્દુઓએ આજની તારીખે શીખોની જ મજાકનું સાધન બનાવી દીધું.

હજી  તો આટ -આટલી પીડા ઓછી હોય એમાં અમુક મરાઠી પરિવારોએ આ સ્ત્રીઓનો પાછો પોતાના કુટુંબોમાં અસ્વીકાર કર્યો. ઘણાંય  શીખ સૈનિકોએ આ સ્ત્રીઓ સાથે લગન કરી એમને સહારો આપ્યો.

દેશની દીકરીઓ સન્માન કાજે પોતાનાથી ક્યાંય વધુ શક્તિશાળી વિદેશી આક્રાંતા સામે પરિણામની પરવાહ કર્યા  વગર યુધ્ધે ચઢી જનાર અને સફળ થનાર સાહસિક અને ધર્મ-પ્રેમી શીખ જસ્સા સિંહ જેવી વાત દુનિયાના ઇતિહાસોમાં ક્યાંય મળે તો જણાવજો. આ પ્રસંગ બાદ જુસ્સા સિંહ એ ઉત્તર ભારતના ઘેર ઘેર પ્રચલિત નામ થઇ ગયું. અને છ મહિના બાદ ભરાયેલી શીખોની "સરબત્ત  ખાલસા " સભામાં તેમની
 સર્વાનુમતે 12 શીખ રજવાડાંના વડા  એટલે કે "જથેદાર" તરીકે પસંદગી થઇ. અતિ-પ્રભાવશાળી અને લોકચાહિતા ગુજરાતી લોક-કલાકાર રાજભા ગઢવીના શબ્દોમાં કહું તો આ બધું વાંચીએ જાણીએ તો ખબર પડે કે વિચાર તો કરો આપણે સનાતનીઓ (હિન્દૂ કે જૈન જે શીખ) કોના વંશજ છીએ.

અબ્દાલી તૂટેલા ઘમંડ અને યુદ્ધમાં કપાયેલા નાક સાથે કાબુલ પાછો પહોંચ્યો. તેણે  આ યુદ્ધ બાદ જીવન પર્યન્ત ચાંદીનું નકલી નાક પહેર્યું હતું! જોકે તે શાંત બેસે એવો માણસ નહોતો. પૂરો શેતાન હતો અને 1762માં  બદલો લેવા પાછો આવ્યો હતો. તેણે  ભારત પર કુલ સાત વાર હુમલાઓ કર્યા  હતા તેમનો આ 1762નો અમૃતસર પરનો 6ઠો  હુમલો હતો જેમાં હજારો  શીખો વીરગતિ પામ્યા અને જતાં  જતાં તે શીખોના અતિ-પવિત્ર એવા હરિમંદિર સાહિબને ખૂબ નુકસાન પહોંચાડતો ગયો.  શીખો ફરી બેઠા થયા, હરિમંદિરને તેના કબ્જામાંથી છોડાવ્યું અને તેને ફરી પાછો કાબુલ ભાગી જવા વિવશ કર્યો. એ વાર્તા અને ઇતિહાસ પણ ઘણો લાંબો છે, પણ તે ફરી ક્યારેક.....

રસ પડ્યો હોય અને આ મહાન શીખ સરદાર ભાઈ જુસ્સા સિંહ વિષે વધુ જાણવું હોય તો આ નીચેના વિડીયો અને સંદર્ભોથી શરૂઆત કરો....



સંદર્ભો :
1. http://www.indiandefencereview.com/spotlights/the-forgotten-hero-of-punjab-jassa-singh-ahluwalia/ 
2. http://www.tribuneindia.com/2009/20090503/spectrum/main3.htm
3. https://en.wikipedia.org/wiki/Jassa_Singh_Ahluwalia
4. http://www.rediff.com/news/column/250-years-on-battle-of-panipat-revisited/20110113.htm
5. https://en.wikipedia.org/wiki/Third_Battle_of_Panipat 
6. https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B2%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88
7. http://malicethoughts.blogspot.com/2016/02/when-sikhs-rescued-maratha-women.html


Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...